શોધખોળ કરો

Guru Purnima 2022: ગુરુ માત્ર બે અક્ષરનો શબ્દ સમૂહ નથીઃ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી

Guru Purnima: ગુરુના આપણા પર અનેક ઉપકાર છે. અનંત જન્મો સુધી આપણે તેમનું ઋણ ચૂકવી ન શકીએ.

 Guru Prinima Vachnamrut by Goswami 108 Shri Dwarkeshlalji Maharajshree Amreli: આજે વ્યાસ પૂર્ણિમા છે. આજના દિવસનો સંબંધ મહર્ષિ વેદ વ્યાસ સાથે છે.  વ્યાસજીએ જ્ઞાનનો જે દીપક પ્રજવલિત કર્યો છે તે આજદિન સુધી વ્યાસપીઠના માધ્યમથી દૈદિપ્યમાન છે. તેથી વ્યાસજીને વિશ્વના ગુરુ માનવામાં આવ્યા છે. વ્યાસ પૂર્ણિમાનો આ દિવસ આપણા ગુરુદેવને વંદન કરવાનો દિવસ છે. આપણા ગુરુદેવનું ઋણ ચૂકવવાનો, અભિવંદના કરવાનો દિવસ છે.

ગુરુ શબ્દમાં સમગ્ર વિશ્વનો જ્ઞાન, ખજાનો છૂપાયેલો છે

ગુરુના આપણા પર અનેક ઉપકાર છે. અનંત જન્મો સુધી આપણે તેમનું ઋણ ચૂકવી ન શકીએ. ગુરુ માત્ર બે અક્ષરનો શબ્દ સમૂહ નથી. ગુરુ શબ્દમાં સમગ્ર વિશ્વનો જ્ઞાન, ખજાનો છૂપાયેલો છે. ગુરુ એટલે અંધકારને દૂર કરનારા. વ્યક્તિના જીવનમાં બે પ્રકારના અંધકાર હોય છે. એક હોય છે અજ્ઞાનતાનો અંધકાર અને બીજો હોય છે માતાના ઉદરના ગર્ભનો અંધકાર, કહેવાય છે અજ્ઞાની અને અંધ બંને સમાન છે. બંનેને હાથ પકડીને રસ્તો બતાવનારા કોઈ જોઈએ ત્યારે જ તેઓ તેમના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે. આપણા જીવનમાં અજ્ઞાનતાનો એવો અંધકાર છવાયો છે કે સર્વત્ર બ્રહ્મ હોવા છતાં પણ અજ્ઞાનતાના આવરણમાં આપણને પ્રભુનો અનુભવ થતો નથી. ગુરુ જ્ઞાનની જ્યોતિથી આપણા જીવનને પ્રજવલિત કરે છે. જે આપણા જીવનમાંથી અંધકારને દૂર કરે અને જ્ઞાનના પ્રકાશમાં પ્રભુના દર્શન કરાવે તેને જ ગુરુ કહેવાય.


Guru Purnima 2022: ગુરુ માત્ર બે અક્ષરનો શબ્દ સમૂહ નથીઃ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી

મંગલાચરણનો શ્લોક પણ ગુરુ ગીતામાંથી લેવામાં આવ્યો છે

બીજો હોય છે માતાના ઉદરનો અંધકાર. જીવ માતાના ઉદરમાં ગર્ભ સ્વરૂપે આવે છે, જન્મ લે છે, જીવન જીવે છે અને મૃત્યુ પામે છે ફરી માતાના ઉદરમાં આવે છે. જન્મ અને મરણનું પરિભ્રમણ સતત ચાલતું રહે છે. પોતાના જ્ઞાન દ્વારા માતાના ઉદરના અંધકારથી આપણને મુક્ત કરીને મોક્ષ પ્રાપ્તિ સુધી લઈ જાય, જીવનના તમામ અંધકાર દૂર કરે તેને જ ગુરુ કહેવાય. સ્કંદ પુરાણમાં ગુરુ ગીતા કહેવામાં આવી છે,જેમાં 300થી વધારે શ્લોક છે. સ્વયં શિવજીએ તેમના મુખથી ગુરુનું માહાત્મ્ય પ્રગટ કર્યુ છે. તેમાં પણ કહેવામાં આવ્યું છે કે અજ્ઞાનનો નાશ કરનારા, તેજ રૂપ જે બ્રહ્મ છે તે ગુરુ છે તેમાં કોઈ શંકા નથી. મંગલાચરણમાં આપણે વારંવાર શ્લોક બોલીએ છીએ તે શ્લોક – “અજ્ઞાનતિમિરાંધસ્ય, જ્ઞાનાંજનશલાકયા I ચક્ષરૂન્મીલિતં યેન, તસ્મૈ શ્રીગુરવે નમઃ” પણ ગુરુ ગીતામાંથી લેવામાં આવ્યો છે.

ગુરુ માત્ર પૂર્ણ નથી, પરિપૂર્ણ છે

અષાઢી પૂર્ણિમા આપણા ગુરુને વંદન કરવાનો પરમ દિવસ છે.પૂર્ણિમાનો સંબંધ ચંદ્ર સાથે છે. આ દિવસે ચંદ્ર પૂર્ણ કળાએ પ્રકાશિત હોય છે. ગુરુ પણ આપણને પૂર્ણ કલાનો અનુભવ કરાવે છે. ગુરુ માત્ર પૂર્ણ નથી, પરિપૂર્ણ છે.

(સંકલનઃ મયુર ખૂંટ)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
Gold Price Today: સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, આ શહેરમાં 18 કેરેટ સોનું પણ 1 લાખને પાર
Gold Price Today: સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, આ શહેરમાં 18 કેરેટ સોનું પણ 1 લાખને પાર

વિડિઓઝ

Sonia Gandhi Voter ID Case: વોટર લિસ્ટ વિવાદમાં કોર્ટે સોનિયા ગાંધીને આપી નોટિસ
Panchmahal News: જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
Gold Price Today: સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, આ શહેરમાં 18 કેરેટ સોનું પણ 1 લાખને પાર
Gold Price Today: સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, આ શહેરમાં 18 કેરેટ સોનું પણ 1 લાખને પાર
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
Embed widget