શોધખોળ કરો

Jagannath Rath Yatra 2026 Date: ક્યારે છે ભગવાન જગન્નાથની રથયાત્રા? જાણો તિથિ અને તેનું મહત્વ

Jagannath Rath Yatra 2026 Date: જગન્નાથ રથયાત્રા ભારતનો એક ખાસ તહેવાર છે. આ કાર્યક્રમ દરમિયાન, ભક્તો ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાને રથ પર બેસાડે છે અને તેમને જગન્નાથ મંદિરથી ગુંડિચા મંદિર (તેમના માસીનું ઘર) સુધી લઈ જાય છે.

Jagannath Rath Yatra 2026 Date: જગન્નાથ રથયાત્રા ભારતના મુખ્ય અને વિશેષ તહેવારોમાંનો એક છે. તેને રથયાત્રા કે શ્રી ગુંડિચા યાત્રા પણ કહેવામાં આવે છે, જે ખાસ કરીને ઓડિશાના પુરીમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. જગન્નાથ રથયાત્રાનો પર્વ ભગવાન વિષ્ણુના અવતાર જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને સમર્પિત છે. સાથે જ તે વિશ્વભરના મોટા ધાર્મિક આયોજનોમાંનું એક છે, જેમાં ભારત જ નહીં પણ વિદેશથી પણ લોકો સામેલ થાય છે.

જગન્નાથ રથયાત્રાનો પર્વ એવો પવિત્ર અનુષ્ઠાન છે, જેમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રા શણગારેલા રથોમાં સવાર થઈને માસીના ઘરે જાય છે. દર વર્ષે આ વાર્ષિક યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સામેલ થાય છે અને રથને જગન્નાથ મંદિરથી ગુંડિચા મંદિર (Gundicha Temple) સુધી લઈ જાય છે.

ધાર્મિક માન્યતા છે કે, જગન્નાથ રથયાત્રામાં સામેલ થનાર વ્યક્તિના ભાગ્ય ખૂલી જાય છે. સ્કંદ પુરાણ અનુસાર, રથયાત્રા દરમિયાન જે વ્યક્તિ ભગવાન જગન્નાથના નામનું કીર્તન કરતા ગુંડિચા સુધી જાય છે, તે જન્મ-મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. પંચાંગ અનુસાર, જગન્નાથ રથયાત્રા દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિએ કાઢવામાં આવે છે. ચાલો જાણીએ આ વર્ષે 2026 માં રથયાત્રાનો પર્વ ક્યારે મનાવવામાં આવશે.

જગન્નાથ રથયાત્રા 2026 તારીખ 

જગન્નાથ રથયાત્રા અષાઢ મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિએ મનાવવામાં આવે છે. જોકે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ દર વર્ષે તારીખમાં તફાવત હોય છે અને તે સામાન્ય રીતે જૂન-જુલાઈ મહિનામાં આવે છે. આ વર્ષે જગન્નાથ રથયાત્રા ગુરુવાર, 16 જુલાઈ 2026 ના રોજ મનાવવામાં આવશે. પંચાંગ અનુસાર દ્વિતીયા તિથિ 15 જુલાઈ સવારે 11:50 વાગ્યે શરૂ થશે અને 16 જુલાઈ સવારે 08:52 વાગ્યે સમાપ્ત થશે. ઉદયાતિથિને માન્યતા આપતા 16 જુલાઈના રોજ પર્વ મનાવવામાં આવશે.

જગન્નાથ રથયાત્રાનું મહત્વ 

જગન્નાથ રથયાત્રાની શરૂઆત કેવી રીતે અને ક્યારે થઈ, તેને લઈને ઘણી કથાઓ પ્રચલિત છે. જોકે 12મી થી 16મી સદી વચ્ચે તેની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે. આ પર્વનું સૌથી ખાસ મહત્વ એ છે કે, રથયાત્રાનો તહેવાર સામાજિક ભાવના અને એકતાને વધારે છે. રથયાત્રાના ભવ્ય આયોજનમાં મોટી સંખ્યામાં લોકો એકસાથે આવે છે અને પર્વ ઉજવે છે.

જગન્નાથ રથયાત્રા પર્વના રીતિ-રિવાજો 

  • છેરા વિધિ: ભગવાન જગન્નાથનો રથ જગન્નાથ મંદિરથી ગુંડિચા મંદિર સુધી જાય છે. પરંતુ યાત્રા પહેલા છેરા પહેરા વિધિની પરંપરા છે. આમાં ઓડિશાના મહારાજ સોનાના સાવરણાથી રથની સાફ-સફાઈ કરે છે. આ પ્રક્રિયાને છેરા પહેરા રસ્મ કહેવામાં આવે છે.

  • બને છે ત્રણ રથ: રથયાત્રા દરમિયાન એક નહીં પણ ત્રણ રથ બનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથના રથનું નામ 'નંદીઘોષ' છે. આ લાલ રંગનો 16 પૈડાંવાળો સૌથી મોટો રથ હોય છે. ભગવાન બલભદ્રના રથનું નામ 'તાલધ્વજ' છે જે લીલા, વાદળી અને લાલ રંગનો તૈયાર થાય છે અને તે 14 પૈડાંનો હોય છે. જ્યારે દેવી સુભદ્રાના રથનું નામ 'દર્પદલન' છે જે લાલ અને કાળા રંગનો હોય છે અને તેમાં 12 પૈડાં હોય છે.

  • નવ દિવસ સુધી ચાલે છે ઉત્સવ: જગન્નાથ રથયાત્રા માત્ર એક દિવસનું આયોજન નથી, પરંતુ તે લગભગ નવ દિવસ સુધી ચાલતો ઉત્સવ છે. ભગવાન જગન્નાથ ગુંડિચા મંદિરમાં થોડા દિવસ વિશ્રામ કરે છે અને પછી ‘બહુડા યાત્રા’ દરમિયાન પાછા પોતાના મુખ્ય મંદિરે ફરે છે. આ આખા ઉત્સવમાં ભજન-કીર્તન, પૂજા-અર્ચના અને વિશાળ મેળાનું આયોજન થાય છે.

ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. કોઈ પણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 
Budh Uday: 23 મેના થશે બુધનો ઉદય, 4 રાશિના જાતકોની તિજોરીમાં આવશે બમ્પર પૈસા!
Budh Uday: 23 મેના થશે બુધનો ઉદય, 4 રાશિના જાતકોની તિજોરીમાં આવશે બમ્પર પૈસા!
Panchak Yog 2026: આ દિવસે બની રહ્યો છે પંચક યોગ, આ 4 રાશિઓનો શરુ થશે ગોલ્ડન ટાઈમ, સંપત્તિમાં થશે વધારો 
Panchak Yog 2026: આ દિવસે બની રહ્યો છે પંચક યોગ, આ 4 રાશિઓનો શરુ થશે ગોલ્ડન ટાઈમ, સંપત્તિમાં થશે વધારો 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તથ્યને જામીન
Hun To Bolish : હું તો બોલીશ : કથા પહેલા કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : આવો ખેલ ના ચાલે!
Ebola Virus : ઈબોલાને લઈ સરકાર એક્શનમાં, કોંગોથી આવેલા વ્યક્તિને લઈ આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?
Gujarat Rain Forecast : વીજળીના કડાકા-ભડાકા સાથે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વૈભવના તોફાનમાં હૈદરાબાદનો સફાયો: રાજસ્થાન 47 રને જીતી ક્વોલિફાયર 2માં પહોંચ્યું, SRH બહાર
વૈભવના તોફાનમાં હૈદરાબાદનો સફાયો: રાજસ્થાન 47 રને જીતી ક્વોલિફાયર 2માં પહોંચ્યું, SRH બહાર
આવતીકાલનું હવામાન, 28 મે: આગામી 15 કલાકમાં 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાન, 28 મે: આગામી 15 કલાકમાં 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
રાજકોટ મનપાને આવતીકાલે મળશે નવા મેયર; જુઓ રેસમાં ચાલી રહેલા આ 7 દિગ્ગજ નામો
રાજકોટ મનપાને આવતીકાલે મળશે નવા મેયર; જુઓ રેસમાં ચાલી રહેલા આ 7 દિગ્ગજ નામો
આગામી 4 દિવસ ગુજરાતના આ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ; હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 4 દિવસ ગુજરાતના આ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ; હવામાન વિભાગની મોટી આગાહી
વિશ્વ બેંકે અત્યાર સુધીમાં દુનિયાભરના દેશોને કેટલી લોન આપી છે? રકમ જાણીને માથું પકડી લેશો
વિશ્વ બેંકે અત્યાર સુધીમાં દુનિયાભરના દેશોને કેટલી લોન આપી છે? રકમ જાણીને માથું પકડી લેશો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય, આ સહાયમાં કર્યો વધારો, ચોમાસા પહેલાં કરી લો આ કામ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય, આ સહાયમાં કર્યો વધારો, ચોમાસા પહેલાં કરી લો આ કામ
IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ એલિમિનેટરમાં 5 રેકોર્ડ તોડ્યા, તમામ દિગ્ગજોને છોડ્યા પાછળ
IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ એલિમિનેટરમાં 5 રેકોર્ડ તોડ્યા, તમામ દિગ્ગજોને છોડ્યા પાછળ
IPL 2026માં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો ધમાકો: પંત અને ક્રિસ ગેઈલનો મોટો રેકોર્ડ તોડ્યો
IPL 2026માં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો ધમાકો: પંત અને ક્રિસ ગેઈલનો મોટો રેકોર્ડ તોડ્યો
Embed widget