શોધખોળ કરો

Jagannath Rath Yatra 2026 Date: ક્યારે છે ભગવાન જગન્નાથની રથયાત્રા? જાણો તિથિ અને તેનું મહત્વ

Jagannath Rath Yatra 2026 Date: જગન્નાથ રથયાત્રા ભારતનો એક ખાસ તહેવાર છે. આ કાર્યક્રમ દરમિયાન, ભક્તો ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાને રથ પર બેસાડે છે અને તેમને જગન્નાથ મંદિરથી ગુંડિચા મંદિર (તેમના માસીનું ઘર) સુધી લઈ જાય છે.

Jagannath Rath Yatra 2026 Date: જગન્નાથ રથયાત્રા ભારતના મુખ્ય અને વિશેષ તહેવારોમાંનો એક છે. તેને રથયાત્રા કે શ્રી ગુંડિચા યાત્રા પણ કહેવામાં આવે છે, જે ખાસ કરીને ઓડિશાના પુરીમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. જગન્નાથ રથયાત્રાનો પર્વ ભગવાન વિષ્ણુના અવતાર જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને સમર્પિત છે. સાથે જ તે વિશ્વભરના મોટા ધાર્મિક આયોજનોમાંનું એક છે, જેમાં ભારત જ નહીં પણ વિદેશથી પણ લોકો સામેલ થાય છે.

જગન્નાથ રથયાત્રાનો પર્વ એવો પવિત્ર અનુષ્ઠાન છે, જેમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રા શણગારેલા રથોમાં સવાર થઈને માસીના ઘરે જાય છે. દર વર્ષે આ વાર્ષિક યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સામેલ થાય છે અને રથને જગન્નાથ મંદિરથી ગુંડિચા મંદિર (Gundicha Temple) સુધી લઈ જાય છે.

ધાર્મિક માન્યતા છે કે, જગન્નાથ રથયાત્રામાં સામેલ થનાર વ્યક્તિના ભાગ્ય ખૂલી જાય છે. સ્કંદ પુરાણ અનુસાર, રથયાત્રા દરમિયાન જે વ્યક્તિ ભગવાન જગન્નાથના નામનું કીર્તન કરતા ગુંડિચા સુધી જાય છે, તે જન્મ-મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. પંચાંગ અનુસાર, જગન્નાથ રથયાત્રા દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિએ કાઢવામાં આવે છે. ચાલો જાણીએ આ વર્ષે 2026 માં રથયાત્રાનો પર્વ ક્યારે મનાવવામાં આવશે.

જગન્નાથ રથયાત્રા 2026 તારીખ 

જગન્નાથ રથયાત્રા અષાઢ મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિએ મનાવવામાં આવે છે. જોકે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ દર વર્ષે તારીખમાં તફાવત હોય છે અને તે સામાન્ય રીતે જૂન-જુલાઈ મહિનામાં આવે છે. આ વર્ષે જગન્નાથ રથયાત્રા ગુરુવાર, 16 જુલાઈ 2026 ના રોજ મનાવવામાં આવશે. પંચાંગ અનુસાર દ્વિતીયા તિથિ 15 જુલાઈ સવારે 11:50 વાગ્યે શરૂ થશે અને 16 જુલાઈ સવારે 08:52 વાગ્યે સમાપ્ત થશે. ઉદયાતિથિને માન્યતા આપતા 16 જુલાઈના રોજ પર્વ મનાવવામાં આવશે.

જગન્નાથ રથયાત્રાનું મહત્વ 

જગન્નાથ રથયાત્રાની શરૂઆત કેવી રીતે અને ક્યારે થઈ, તેને લઈને ઘણી કથાઓ પ્રચલિત છે. જોકે 12મી થી 16મી સદી વચ્ચે તેની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે. આ પર્વનું સૌથી ખાસ મહત્વ એ છે કે, રથયાત્રાનો તહેવાર સામાજિક ભાવના અને એકતાને વધારે છે. રથયાત્રાના ભવ્ય આયોજનમાં મોટી સંખ્યામાં લોકો એકસાથે આવે છે અને પર્વ ઉજવે છે.

જગન્નાથ રથયાત્રા પર્વના રીતિ-રિવાજો 

  • છેરા વિધિ: ભગવાન જગન્નાથનો રથ જગન્નાથ મંદિરથી ગુંડિચા મંદિર સુધી જાય છે. પરંતુ યાત્રા પહેલા છેરા પહેરા વિધિની પરંપરા છે. આમાં ઓડિશાના મહારાજ સોનાના સાવરણાથી રથની સાફ-સફાઈ કરે છે. આ પ્રક્રિયાને છેરા પહેરા રસ્મ કહેવામાં આવે છે.

  • બને છે ત્રણ રથ: રથયાત્રા દરમિયાન એક નહીં પણ ત્રણ રથ બનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથના રથનું નામ 'નંદીઘોષ' છે. આ લાલ રંગનો 16 પૈડાંવાળો સૌથી મોટો રથ હોય છે. ભગવાન બલભદ્રના રથનું નામ 'તાલધ્વજ' છે જે લીલા, વાદળી અને લાલ રંગનો તૈયાર થાય છે અને તે 14 પૈડાંનો હોય છે. જ્યારે દેવી સુભદ્રાના રથનું નામ 'દર્પદલન' છે જે લાલ અને કાળા રંગનો હોય છે અને તેમાં 12 પૈડાં હોય છે.

  • નવ દિવસ સુધી ચાલે છે ઉત્સવ: જગન્નાથ રથયાત્રા માત્ર એક દિવસનું આયોજન નથી, પરંતુ તે લગભગ નવ દિવસ સુધી ચાલતો ઉત્સવ છે. ભગવાન જગન્નાથ ગુંડિચા મંદિરમાં થોડા દિવસ વિશ્રામ કરે છે અને પછી ‘બહુડા યાત્રા’ દરમિયાન પાછા પોતાના મુખ્ય મંદિરે ફરે છે. આ આખા ઉત્સવમાં ભજન-કીર્તન, પૂજા-અર્ચના અને વિશાળ મેળાનું આયોજન થાય છે.

ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. કોઈ પણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
નવસારીના ચીખલીમાં વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં વધારો, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
નવસારીના ચીખલીમાં વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં વધારો, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
નવસારીના ચીખલીમાં વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં વધારો, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
નવસારીના ચીખલીમાં વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં વધારો, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
Embed widget