શોધખોળ કરો

Jagannath Rath Yatra 2026 Date: ક્યારે છે ભગવાન જગન્નાથની રથયાત્રા? જાણો તિથિ અને તેનું મહત્વ

Jagannath Rath Yatra 2026 Date: જગન્નાથ રથયાત્રા ભારતનો એક ખાસ તહેવાર છે. આ કાર્યક્રમ દરમિયાન, ભક્તો ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાને રથ પર બેસાડે છે અને તેમને જગન્નાથ મંદિરથી ગુંડિચા મંદિર (તેમના માસીનું ઘર) સુધી લઈ જાય છે.

Jagannath Rath Yatra 2026 Date: જગન્નાથ રથયાત્રા ભારતના મુખ્ય અને વિશેષ તહેવારોમાંનો એક છે. તેને રથયાત્રા કે શ્રી ગુંડિચા યાત્રા પણ કહેવામાં આવે છે, જે ખાસ કરીને ઓડિશાના પુરીમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. જગન્નાથ રથયાત્રાનો પર્વ ભગવાન વિષ્ણુના અવતાર જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને સમર્પિત છે. સાથે જ તે વિશ્વભરના મોટા ધાર્મિક આયોજનોમાંનું એક છે, જેમાં ભારત જ નહીં પણ વિદેશથી પણ લોકો સામેલ થાય છે.

જગન્નાથ રથયાત્રાનો પર્વ એવો પવિત્ર અનુષ્ઠાન છે, જેમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રા શણગારેલા રથોમાં સવાર થઈને માસીના ઘરે જાય છે. દર વર્ષે આ વાર્ષિક યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સામેલ થાય છે અને રથને જગન્નાથ મંદિરથી ગુંડિચા મંદિર (Gundicha Temple) સુધી લઈ જાય છે.

ધાર્મિક માન્યતા છે કે, જગન્નાથ રથયાત્રામાં સામેલ થનાર વ્યક્તિના ભાગ્ય ખૂલી જાય છે. સ્કંદ પુરાણ અનુસાર, રથયાત્રા દરમિયાન જે વ્યક્તિ ભગવાન જગન્નાથના નામનું કીર્તન કરતા ગુંડિચા સુધી જાય છે, તે જન્મ-મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. પંચાંગ અનુસાર, જગન્નાથ રથયાત્રા દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિએ કાઢવામાં આવે છે. ચાલો જાણીએ આ વર્ષે 2026 માં રથયાત્રાનો પર્વ ક્યારે મનાવવામાં આવશે.

જગન્નાથ રથયાત્રા 2026 તારીખ 

જગન્નાથ રથયાત્રા અષાઢ મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિએ મનાવવામાં આવે છે. જોકે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ દર વર્ષે તારીખમાં તફાવત હોય છે અને તે સામાન્ય રીતે જૂન-જુલાઈ મહિનામાં આવે છે. આ વર્ષે જગન્નાથ રથયાત્રા ગુરુવાર, 16 જુલાઈ 2026 ના રોજ મનાવવામાં આવશે. પંચાંગ અનુસાર દ્વિતીયા તિથિ 15 જુલાઈ સવારે 11:50 વાગ્યે શરૂ થશે અને 16 જુલાઈ સવારે 08:52 વાગ્યે સમાપ્ત થશે. ઉદયાતિથિને માન્યતા આપતા 16 જુલાઈના રોજ પર્વ મનાવવામાં આવશે.

જગન્નાથ રથયાત્રાનું મહત્વ 

જગન્નાથ રથયાત્રાની શરૂઆત કેવી રીતે અને ક્યારે થઈ, તેને લઈને ઘણી કથાઓ પ્રચલિત છે. જોકે 12મી થી 16મી સદી વચ્ચે તેની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે. આ પર્વનું સૌથી ખાસ મહત્વ એ છે કે, રથયાત્રાનો તહેવાર સામાજિક ભાવના અને એકતાને વધારે છે. રથયાત્રાના ભવ્ય આયોજનમાં મોટી સંખ્યામાં લોકો એકસાથે આવે છે અને પર્વ ઉજવે છે.

જગન્નાથ રથયાત્રા પર્વના રીતિ-રિવાજો 

  • છેરા વિધિ: ભગવાન જગન્નાથનો રથ જગન્નાથ મંદિરથી ગુંડિચા મંદિર સુધી જાય છે. પરંતુ યાત્રા પહેલા છેરા પહેરા વિધિની પરંપરા છે. આમાં ઓડિશાના મહારાજ સોનાના સાવરણાથી રથની સાફ-સફાઈ કરે છે. આ પ્રક્રિયાને છેરા પહેરા રસ્મ કહેવામાં આવે છે.

  • બને છે ત્રણ રથ: રથયાત્રા દરમિયાન એક નહીં પણ ત્રણ રથ બનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથના રથનું નામ 'નંદીઘોષ' છે. આ લાલ રંગનો 16 પૈડાંવાળો સૌથી મોટો રથ હોય છે. ભગવાન બલભદ્રના રથનું નામ 'તાલધ્વજ' છે જે લીલા, વાદળી અને લાલ રંગનો તૈયાર થાય છે અને તે 14 પૈડાંનો હોય છે. જ્યારે દેવી સુભદ્રાના રથનું નામ 'દર્પદલન' છે જે લાલ અને કાળા રંગનો હોય છે અને તેમાં 12 પૈડાં હોય છે.

  • નવ દિવસ સુધી ચાલે છે ઉત્સવ: જગન્નાથ રથયાત્રા માત્ર એક દિવસનું આયોજન નથી, પરંતુ તે લગભગ નવ દિવસ સુધી ચાલતો ઉત્સવ છે. ભગવાન જગન્નાથ ગુંડિચા મંદિરમાં થોડા દિવસ વિશ્રામ કરે છે અને પછી ‘બહુડા યાત્રા’ દરમિયાન પાછા પોતાના મુખ્ય મંદિરે ફરે છે. આ આખા ઉત્સવમાં ભજન-કીર્તન, પૂજા-અર્ચના અને વિશાળ મેળાનું આયોજન થાય છે.

ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. કોઈ પણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Embed widget