Jagannath Rath Yatra 2026 Date: ક્યારે છે ભગવાન જગન્નાથની રથયાત્રા? જાણો તિથિ અને તેનું મહત્વ
Jagannath Rath Yatra 2026 Date: જગન્નાથ રથયાત્રા ભારતનો એક ખાસ તહેવાર છે. આ કાર્યક્રમ દરમિયાન, ભક્તો ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાને રથ પર બેસાડે છે અને તેમને જગન્નાથ મંદિરથી ગુંડિચા મંદિર (તેમના માસીનું ઘર) સુધી લઈ જાય છે.

Jagannath Rath Yatra 2026 Date: જગન્નાથ રથયાત્રા ભારતના મુખ્ય અને વિશેષ તહેવારોમાંનો એક છે. તેને રથયાત્રા કે શ્રી ગુંડિચા યાત્રા પણ કહેવામાં આવે છે, જે ખાસ કરીને ઓડિશાના પુરીમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. જગન્નાથ રથયાત્રાનો પર્વ ભગવાન વિષ્ણુના અવતાર જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને સમર્પિત છે. સાથે જ તે વિશ્વભરના મોટા ધાર્મિક આયોજનોમાંનું એક છે, જેમાં ભારત જ નહીં પણ વિદેશથી પણ લોકો સામેલ થાય છે.
જગન્નાથ રથયાત્રાનો પર્વ એવો પવિત્ર અનુષ્ઠાન છે, જેમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રા શણગારેલા રથોમાં સવાર થઈને માસીના ઘરે જાય છે. દર વર્ષે આ વાર્ષિક યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સામેલ થાય છે અને રથને જગન્નાથ મંદિરથી ગુંડિચા મંદિર (Gundicha Temple) સુધી લઈ જાય છે.
ધાર્મિક માન્યતા છે કે, જગન્નાથ રથયાત્રામાં સામેલ થનાર વ્યક્તિના ભાગ્ય ખૂલી જાય છે. સ્કંદ પુરાણ અનુસાર, રથયાત્રા દરમિયાન જે વ્યક્તિ ભગવાન જગન્નાથના નામનું કીર્તન કરતા ગુંડિચા સુધી જાય છે, તે જન્મ-મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. પંચાંગ અનુસાર, જગન્નાથ રથયાત્રા દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિએ કાઢવામાં આવે છે. ચાલો જાણીએ આ વર્ષે 2026 માં રથયાત્રાનો પર્વ ક્યારે મનાવવામાં આવશે.
જગન્નાથ રથયાત્રા 2026 તારીખ
જગન્નાથ રથયાત્રા અષાઢ મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિએ મનાવવામાં આવે છે. જોકે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ દર વર્ષે તારીખમાં તફાવત હોય છે અને તે સામાન્ય રીતે જૂન-જુલાઈ મહિનામાં આવે છે. આ વર્ષે જગન્નાથ રથયાત્રા ગુરુવાર, 16 જુલાઈ 2026 ના રોજ મનાવવામાં આવશે. પંચાંગ અનુસાર દ્વિતીયા તિથિ 15 જુલાઈ સવારે 11:50 વાગ્યે શરૂ થશે અને 16 જુલાઈ સવારે 08:52 વાગ્યે સમાપ્ત થશે. ઉદયાતિથિને માન્યતા આપતા 16 જુલાઈના રોજ પર્વ મનાવવામાં આવશે.
જગન્નાથ રથયાત્રાનું મહત્વ
જગન્નાથ રથયાત્રાની શરૂઆત કેવી રીતે અને ક્યારે થઈ, તેને લઈને ઘણી કથાઓ પ્રચલિત છે. જોકે 12મી થી 16મી સદી વચ્ચે તેની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે. આ પર્વનું સૌથી ખાસ મહત્વ એ છે કે, રથયાત્રાનો તહેવાર સામાજિક ભાવના અને એકતાને વધારે છે. રથયાત્રાના ભવ્ય આયોજનમાં મોટી સંખ્યામાં લોકો એકસાથે આવે છે અને પર્વ ઉજવે છે.
જગન્નાથ રથયાત્રા પર્વના રીતિ-રિવાજો
-
છેરા વિધિ: ભગવાન જગન્નાથનો રથ જગન્નાથ મંદિરથી ગુંડિચા મંદિર સુધી જાય છે. પરંતુ યાત્રા પહેલા છેરા પહેરા વિધિની પરંપરા છે. આમાં ઓડિશાના મહારાજ સોનાના સાવરણાથી રથની સાફ-સફાઈ કરે છે. આ પ્રક્રિયાને છેરા પહેરા રસ્મ કહેવામાં આવે છે.
-
બને છે ત્રણ રથ: રથયાત્રા દરમિયાન એક નહીં પણ ત્રણ રથ બનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથના રથનું નામ 'નંદીઘોષ' છે. આ લાલ રંગનો 16 પૈડાંવાળો સૌથી મોટો રથ હોય છે. ભગવાન બલભદ્રના રથનું નામ 'તાલધ્વજ' છે જે લીલા, વાદળી અને લાલ રંગનો તૈયાર થાય છે અને તે 14 પૈડાંનો હોય છે. જ્યારે દેવી સુભદ્રાના રથનું નામ 'દર્પદલન' છે જે લાલ અને કાળા રંગનો હોય છે અને તેમાં 12 પૈડાં હોય છે.
-
નવ દિવસ સુધી ચાલે છે ઉત્સવ: જગન્નાથ રથયાત્રા માત્ર એક દિવસનું આયોજન નથી, પરંતુ તે લગભગ નવ દિવસ સુધી ચાલતો ઉત્સવ છે. ભગવાન જગન્નાથ ગુંડિચા મંદિરમાં થોડા દિવસ વિશ્રામ કરે છે અને પછી ‘બહુડા યાત્રા’ દરમિયાન પાછા પોતાના મુખ્ય મંદિરે ફરે છે. આ આખા ઉત્સવમાં ભજન-કીર્તન, પૂજા-અર્ચના અને વિશાળ મેળાનું આયોજન થાય છે.
ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. કોઈ પણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.
ટોપ સ્ટોરી



















