શોધખોળ કરો

Mahakumbh 2025: પહેલી વાર ક્યારે અને ક્યાં યોજાયો હતો મહાકુંભ,જાણો કેટલો જૂનો છે તેનો ઇતિહાસ

Mahakumbh 2025:  ભારતનો સૌથી ભવ્ય મેળો કુંભ છે, જે દર 12 વર્ષે આયોજિત થાય છે. વર્ષ 2025 માં, પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Mahakumbh 2025:  ભારતનો સૌથી ભવ્ય મેળો કુંભ છે, જે દર 12 વર્ષે આયોજિત થાય છે. વર્ષ 2025 માં, પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. આગામી 45 દિવસ સુધી ચાલનાર મહાકુંભ પોષ પૂર્ણિમાના દિવસે શરૂ થાય છે અને મહાશિવરાત્રી એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે.

હિન્દુ શાસ્ત્રોમાં કુંભ મેળાને 'અમરત્વનો મેળો' કહેવામાં આવ્યો છે. એટલા માટે કુંભ મેળામાં, લાખો ભક્તો આ પવિત્ર સ્થળે સ્નાન કરવા માટે આવે છે જેથી તેઓ પોતાના આત્માને શુદ્ધ કરી શકે. મહાકુંભમાં, વિશ્વભરના સંતો, ઋષિઓ અને ભક્તો પવિત્ર ડૂબકી લગાવે છે. કુંભ મેળામાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ છે. ચાલો જાણીએ કે પહેલો મહાકુંભ ક્યાં યોજાયો હતો અને તેનાથી સંબંધિત રસપ્રદ તથ્યો વાંચો.

મહાકુંભનો ઇતિહાસ

મહાકુંભનો ઇતિહાસ ખૂબ જૂનો છે. કેટલાક ગ્રંથો અનુસાર, એવું માનવામાં આવે છે કે પ્રથમ કુંભ મેળો સતયુગમાં યોજાયો હતો. જેની શરૂઆત શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. કેટલાક લોકો માને છે કે કુંભ મેળો સમુદ્ર મંથન પછી શરૂ થયો હતો. આ અંગે વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી. વિદ્વાનોના મતે કુંભની પરંપરા હજારો વર્ષ જૂની છે. પ્રાચીન શિલાલેખોમાં પણ મહાકુંભનો ઐતિહાસિક ઉલ્લેખ જોવા મળે છે. 600 બીસીમાં બૌદ્ધ લખાણોમાં નદીના મેળાઓની હાજરીના પુરાવા છે.

મહાકુંભ કેવી રીતે શરૂ થયો?

સમુદ્ર મંથન સમયે, જ્યારે દેવતાઓ અને દાનવો અમૃતના કુંભ માટે લડી રહ્યા હતા, ત્યારે ભગવાન ઇન્દ્રનો પુત્ર જયંત અમૃતનો કુંભ લઈને ભાગી ગયો. રાક્ષસો પણ ઘડો લેવા માટે તેમની પાછળ દોડ્યા. આ સમયગાળા દરમિયાન દેવતાઓ અને રાક્ષસો વચ્ચે યુદ્ધ થયું. જ્યારે જયંત અમૃત કળશ લઈને ભાગી ગયો, ત્યારે અમૃત કળશના કેટલાક ટીપાં આ ચાર સ્થળોએ પડ્યા જ્યાં આજે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારથી, પ્રયાગરાજ, ઉજ્જૈન, નાસિક અને હરિદ્વારમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.

મહાકુંભમાં શાહી સ્નાનનું શું છે વિશેષ મહત્વ ? 

શાહી સ્નાન એટલે મનની અશુદ્ધિઓ દૂર કરનાર સ્નાન. મહાકુંભનું પ્રથમ શાહી સ્નાન 14 જાન્યુઆરી 2025ના રોજ યોજાશે. શાહી સ્નાન દરમિયાન નાગા સાધુઓ પહેલા સ્નાન કરે છે. આ પછી જ સામાન્ય લોકો સ્નાન કરી શકશે. શાહી સ્નાનના દિવસે સંગમમાં સ્નાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. એટલું જ નહીં, શાહી સ્નાનના દિવસે સ્નાન કરવાથી વ્યક્તિ આ જન્મના પાપોની સાથે પાછલા જન્મના પાપોમાંથી મુક્તિ મેળવે છે. મહાકુંભમાં શાહી સ્નાનના દિવસે સ્નાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે.

મહાકુંભ 2025 શાહી સ્નાન તારીખો

પ્રથમ શાહી સ્નાન- 14 જાન્યુઆરી 2025, મકરસંક્રાંતિ
બીજું શાહી સ્નાન- 29 જાન્યુઆરી 2025, મૌની અમાવસ્યા
ત્રીજું શાહી સ્નાન- 3 ફેબ્રુઆરી 2025, સરસ્વતી પૂજા, વસંત પંચમી

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો....

Makar Sankranti: મકસંક્રાતિ અને પતંગનું શું છે સંબંઘ, જાણો શું ધાર્મિક માન્યતા અને વૈજ્ઞાનિક તર્ક

ટોપ સ્ટોરી

શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Embed widget