શોધખોળ કરો

Mahakumbh 2025: પહેલી વાર ક્યારે અને ક્યાં યોજાયો હતો મહાકુંભ,જાણો કેટલો જૂનો છે તેનો ઇતિહાસ

Mahakumbh 2025:  ભારતનો સૌથી ભવ્ય મેળો કુંભ છે, જે દર 12 વર્ષે આયોજિત થાય છે. વર્ષ 2025 માં, પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Mahakumbh 2025:  ભારતનો સૌથી ભવ્ય મેળો કુંભ છે, જે દર 12 વર્ષે આયોજિત થાય છે. વર્ષ 2025 માં, પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. આગામી 45 દિવસ સુધી ચાલનાર મહાકુંભ પોષ પૂર્ણિમાના દિવસે શરૂ થાય છે અને મહાશિવરાત્રી એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે.

હિન્દુ શાસ્ત્રોમાં કુંભ મેળાને 'અમરત્વનો મેળો' કહેવામાં આવ્યો છે. એટલા માટે કુંભ મેળામાં, લાખો ભક્તો આ પવિત્ર સ્થળે સ્નાન કરવા માટે આવે છે જેથી તેઓ પોતાના આત્માને શુદ્ધ કરી શકે. મહાકુંભમાં, વિશ્વભરના સંતો, ઋષિઓ અને ભક્તો પવિત્ર ડૂબકી લગાવે છે. કુંભ મેળામાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ છે. ચાલો જાણીએ કે પહેલો મહાકુંભ ક્યાં યોજાયો હતો અને તેનાથી સંબંધિત રસપ્રદ તથ્યો વાંચો.

મહાકુંભનો ઇતિહાસ

મહાકુંભનો ઇતિહાસ ખૂબ જૂનો છે. કેટલાક ગ્રંથો અનુસાર, એવું માનવામાં આવે છે કે પ્રથમ કુંભ મેળો સતયુગમાં યોજાયો હતો. જેની શરૂઆત શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. કેટલાક લોકો માને છે કે કુંભ મેળો સમુદ્ર મંથન પછી શરૂ થયો હતો. આ અંગે વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી. વિદ્વાનોના મતે કુંભની પરંપરા હજારો વર્ષ જૂની છે. પ્રાચીન શિલાલેખોમાં પણ મહાકુંભનો ઐતિહાસિક ઉલ્લેખ જોવા મળે છે. 600 બીસીમાં બૌદ્ધ લખાણોમાં નદીના મેળાઓની હાજરીના પુરાવા છે.

મહાકુંભ કેવી રીતે શરૂ થયો?

સમુદ્ર મંથન સમયે, જ્યારે દેવતાઓ અને દાનવો અમૃતના કુંભ માટે લડી રહ્યા હતા, ત્યારે ભગવાન ઇન્દ્રનો પુત્ર જયંત અમૃતનો કુંભ લઈને ભાગી ગયો. રાક્ષસો પણ ઘડો લેવા માટે તેમની પાછળ દોડ્યા. આ સમયગાળા દરમિયાન દેવતાઓ અને રાક્ષસો વચ્ચે યુદ્ધ થયું. જ્યારે જયંત અમૃત કળશ લઈને ભાગી ગયો, ત્યારે અમૃત કળશના કેટલાક ટીપાં આ ચાર સ્થળોએ પડ્યા જ્યાં આજે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારથી, પ્રયાગરાજ, ઉજ્જૈન, નાસિક અને હરિદ્વારમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.

મહાકુંભમાં શાહી સ્નાનનું શું છે વિશેષ મહત્વ ? 

શાહી સ્નાન એટલે મનની અશુદ્ધિઓ દૂર કરનાર સ્નાન. મહાકુંભનું પ્રથમ શાહી સ્નાન 14 જાન્યુઆરી 2025ના રોજ યોજાશે. શાહી સ્નાન દરમિયાન નાગા સાધુઓ પહેલા સ્નાન કરે છે. આ પછી જ સામાન્ય લોકો સ્નાન કરી શકશે. શાહી સ્નાનના દિવસે સંગમમાં સ્નાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. એટલું જ નહીં, શાહી સ્નાનના દિવસે સ્નાન કરવાથી વ્યક્તિ આ જન્મના પાપોની સાથે પાછલા જન્મના પાપોમાંથી મુક્તિ મેળવે છે. મહાકુંભમાં શાહી સ્નાનના દિવસે સ્નાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે.

મહાકુંભ 2025 શાહી સ્નાન તારીખો

પ્રથમ શાહી સ્નાન- 14 જાન્યુઆરી 2025, મકરસંક્રાંતિ
બીજું શાહી સ્નાન- 29 જાન્યુઆરી 2025, મૌની અમાવસ્યા
ત્રીજું શાહી સ્નાન- 3 ફેબ્રુઆરી 2025, સરસ્વતી પૂજા, વસંત પંચમી

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો....

Makar Sankranti: મકસંક્રાતિ અને પતંગનું શું છે સંબંઘ, જાણો શું ધાર્મિક માન્યતા અને વૈજ્ઞાનિક તર્ક

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Embed widget