શોધખોળ કરો

Mahashivratri 2024: મહાશિવરાત્રી પર શું ઘરમાં શિવલિંગની પૂજા કરવી જોઇએ? જાણો શું છે નિયમો?

Mahashivratri 2024: શિવલિંગ પર જળાભિષેક કરવાથી ભોલેનાથ ભક્તો પર પોતાના આશીર્વાદ વરસાવે છે.

Mahashivratri 2024: શિવલિંગને લઈને કેટલાક લોકોની માન્યતા છે કે ઘરમાં શિવલિંગ ન રાખવું જોઈએ. તેથી મોટાભાગના લોકો મહાશિવરાત્રી પર નજીકના શિવ મંદિરોમાં અભિષેક કરવા જાય છે. જોકે શિવલિંગને ઘરમાં રાખવાથી કોઈ નુકસાન નથી, પરંતુ ભગવાન શિવના શક્તિશાળી પ્રતીક એવા શિવલિંગને ઘરમાં જ સ્થાપિત ત્યારે જ  કરવું જોઈએ જો આપણે તેનો દરરોજ અને નિયમિત રીતે જળાભિષેક કરીએ. જો સમયના અભાવે કે સ્વાસ્થ્ય વગેરેના કારણે શિવલિંગ પર નિયમિત જળાભિષેક ન કરવામાં આવે તો શિવલિંગ ઘરમાં ન રાખવું જોઈએ. નહિંતર તમારે ભગવાન શિવના ક્રોધનો સામનો કરવો પડી શકે છે અથવા કોઈ મોટા અનિષ્ઠનો સામનો કરવો પડી શકે છે. અહીં અમે વાત કરીશું કે જો ઘરમાં શિવલિંગ હોય તો કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે હિન્દુ માન્યતાઓ અનુસાર શિવલિંગ પર જળાભિષેક કરવાથી ભોલેનાથ ખૂબ જ ઝડપથી ભક્ત પર પોતાના આશીર્વાદ વરસાવે છે.

* શિવપુરાણ અનુસાર શિવલિંગને ઘરમાં સ્થાપિત કરવાથી કોઈ દોષ નથી, પરંતુ ધ્યાન રાખો કે ઘરમાં હાથના અંગૂઠાના પહેલાં ભાગથી મોટું શિવલિંગ રાખવું જોઇએ નહીં. ખૂબ મોટા કદના શિવલિંગની પૂજા કરવાથી અશુભ ફળ મળે છે. મોટું શિવલિંગ માત્ર મંદિરોમાં જ સ્થાપિત કરવું જોઈએ, ઘર માટે નાનું શિવલિંગ શુભ રહે છે. શિવ પુરાણ અનુસાર, શિવલિંગ સાથે જ ગણેશજી, દેવી પાર્વતી, કાર્તિકેય સ્વામી અને નંદીની નાની પ્રતિમા પણ રાખવી જોઈએ.

* ભગવાન શિવનો જળાભિષેક કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે શિવલિંગ પર સ્ટીલ કે લોખંડના વાસણથી જળાભિષેક ન કરવો જોઈએ. આ અશુભતાનો સંકેત આપી શકે છે. હિન્દુ ધર્મના શાસ્ત્રો અનુસાર શિવલિંગ પર તાંબાના વાસણથી જ જળાભિષેક કરવો વધુ સારું છે, જો તાંબાનું વાસણ ઉપલબ્ધ ન હોય તો પિત્તળના વાસણનો પણ ઉપયોગ કરી શકાય છે.

* ઘરમાં શિવલિંગની સ્થાપના કરતા પહેલા જળાભિષેક તમારા ચહેરાને ઉત્તર દિશા તરફ રાખીને કરો. આનાથી વિપરીત ભૂલથી પણ પશ્ચિમ અને દક્ષિણ દિશા તરફ મુખ કરીને શિવલિંગનો જળાભિષેક ન કરવો જોઈએ. નિયમિત રીતે જળાભિષેક કરવાથી ભગવાન શિવની સાથે સાથે માતા પાર્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

* ઘરમાં ભગવાન શિવની મૂર્તિ કે પ્રતિમા લગાવતા સમયે એ વાતનું ધ્યાન રાખો કે ભગવાન શિવની તસવીર કે પ્રતિમા ક્રોધિત મુદ્રામાં ન હોય. આવા ચિત્રો અથવા મૂર્તિઓના કારણે પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા અને વિખવાદ થાય છે

* મહાશિવરાત્રીના દિવસે જળાભિષેક કરતા પહેલા શિવલિંગને થાળીમાં રાખો, જળાભિષેકનું પાણી અથવા દૂધ, દહીં જે થાળીમાં પડે છે તેને ફ્લાવર પોટમાં નાખો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2 જૂલાઈએ શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, આ 4 રાશિઓએ રહેવું પડશે સાવધાન 
2 જૂલાઈએ શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, આ 4 રાશિઓએ રહેવું પડશે સાવધાન 
Horoscope Today : મંગળવારે આ ત્રણ રાશિઓ પર ભગવાન હનુમાનજીની રહેશે કૃપા, જાણો આજનું રાશિફળ
Horoscope Today : મંગળવારે આ ત્રણ રાશિઓ પર ભગવાન હનુમાનજીની રહેશે કૃપા, જાણો આજનું રાશિફળ
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત
Hun To Bolish : હું તો બોલીશ : સુખદ ઉકેલ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારનું ડિમોલિશન ક્યારે?
Jitu Vaghani : ખેડૂતોની માગ પર સરકારે શું કર્યો મોટો ખુલાસો?
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
રાજ્યના 85 તાલુકાઓ પાણી-પાણી: વાપીમાં 5.31 ઇંચ વરસાદ, જુઓ આજના તમામ આંકડા!
રાજ્યના 85 તાલુકાઓ પાણી-પાણી: વાપીમાં 5.31 ઇંચ વરસાદ, જુઓ આજના તમામ આંકડા!
ગુજરાત સરકારની અનોખી પહેલ; રાજ્યના 1.89 કરોડ બાળકોનો બનશે 'હેલ્થ પાસપોર્ટ', જાણો શું થશે ફાયદો!
ગુજરાત સરકારની અનોખી પહેલ; રાજ્યના 1.89 કરોડ બાળકોનો બનશે 'હેલ્થ પાસપોર્ટ', જાણો શું થશે ફાયદો!
શું સોના અને ચાંદીના ભાવમાં આવશે મોટો ઘટાડો? જાણો કેન્દ્ર સરકારના આ નવા નિર્ણય વિશે!
શું સોના અને ચાંદીના ભાવમાં આવશે મોટો ઘટાડો? જાણો કેન્દ્ર સરકારના આ નવા નિર્ણય વિશે!
IPL 2027: મુંબઈ ઇન્ડિયન્સનો સાથ છોડશે હાર્દિક પંડ્યા? ખરીદવા માટે 7 ટીમો વચ્ચે જામી હોડ
IPL 2027: મુંબઈ ઇન્ડિયન્સનો સાથ છોડશે હાર્દિક પંડ્યા? ખરીદવા માટે 7 ટીમો વચ્ચે જામી હોડ
Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  
Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  
ગુજરાતમાં આગામી 3 કલાક ભારેઃ 36 વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારેઃ 36 વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
Embed widget