શોધખોળ કરો

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

નોટિસ વગર ડિમોલિશન કરવા મામલે હાઈકોર્ટે લાલ આંખ કરતા રાજ્ય સરકારે મોડી રાત્રે કડક પગલાં લીધા. એમ. નાગરાજનને 'સમગ્ર શિક્ષા અભિયાન'ના ડાયરેક્ટર બનાવાયા, સુરત કલેક્ટર તેજસ પરમારને કમિશનરનો વધારાનો ચાર્જ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નાસિરનગર ડિમોલિશન કેસમાં હાઈકોર્ટે કમિશનરની બદલી કરાવી.
  • નોટિસ વિના ડિમોલિશન, પાલિકાના વલણથી હાઈકોર્ટે નારાજગી દર્શાવી.
  • નાગરાજન સમગ્ર શિક્ષા અભિયાનમાં, પરમારને સુરત કમિશનરનો ચાર્જ.

surat municipal commissioner transfer: સુરતમાં અત્યારે સૌથી વધુ ચર્ચાઈ રહેલા અને વિવાદાસ્પદ બનેલા 'નાસીરનગર ડિમોલિશન' કેસમાં ગુજરાત હાઈકોર્ટની આકરી ફટકાર બાદ રાજ્ય સરકારે મોટી કાર્યવાહી કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 11 ઓગસ્ટ, 2026 ના રોજ મંગળવારે મોડી રાત્રે તાત્કાલિક અસરથી સુરત મ્યુનિસિપલ કમિશનર (SMC) શાલિની નાગરાજન (IAS: 2009) ની બદલી કરી દેવામાં આવી છે.

નાસીરનગરમાં કોઈપણ પ્રકારની આગોતરી નોટિસ આપ્યા વિના જ સીધી ડિમોલિશનની કાર્યવાહી કરી દેવાતા હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે જવાબદાર અધિકારીઓની ભૂમિકા નક્કી કરવા અને તેમની સામે કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો, જેના પગલે સરકારે આ મહત્વનો વહીવટી નિર્ણય લીધો છે.

નવી નિમણૂકો ક્યાં થઈ?

રાજ્ય સરકારના સત્તાવાર નોટિફિકેશન મુજબ, એમ. નાગરાજનની હવે ગાંધીનગર ખાતે 'સમગ્ર શિક્ષા અભિયાન' ના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની જગ્યાએ હાલના સુરત જિલ્લા કલેક્ટર તેજસ દિલીપભાઈ પરમાર (IAS: 2016) ને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (GPMC) એક્ટ, 1949 ની કલમ 39 હેઠળ સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ (હવાલો) સોંપવામાં આવ્યો છે.

આ સાથે જ, 'સમગ્ર શિક્ષા અભિયાન' ના પૂર્વ સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર રંજીથ કુમાર જે. (IAS: 2005) ની ગાંધીનગર ખાતે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (GERC) ના સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે.


નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

કેમ થયો વિવાદ? પાલિકાના નિવેદનમાં હતો વિરોધાભાસ

નાસીરનગર ડિમોલિશન પ્રકરણ કેટલાક દિવસોથી ભારે વિવાદનું કેન્દ્ર બનેલું છે. જ્યારે આ વિસ્તારમાં ડિમોલિશન થયું, ત્યારે શરૂઆતમાં સુરત પાલિકાએ એવો બચાવ કર્યો હતો કે આ કાર્યવાહી તેમણે કરી જ નથી. પરંતુ, બાદમાં ખુદ પાલિકા કમિશનર એમ. નાગરાજને સ્વીકાર્યું કે આ ડિમોલિશન પાલિકા તંત્ર દ્વારા જ કરવામાં આવ્યું હતું!

આમ, પહેલા હાથ અદ્ધર કરી દેવા અને પછી કાર્યવાહી સ્વીકારવી - આ વિરોધાભાસને કારણે પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા હતા. જ્યારે આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, ત્યારે કોર્ટે કડક વલણ અપનાવીને ડિમોલિશન કરનારા જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા તાકીદ કરી હતી. કોર્ટની કાર્યવાહી બાદ તરત જ સરકારે લીધેલા આ નિર્ણયથી વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

આ પણ વાંચોઃ સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ

Frequently Asked Questions

સુરત મ્યુનિસિપલ કમિશનરની બદલી શા માટે કરવામાં આવી?

હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારે 'નાસીરનગર ડિમોલિશન' કેસમાં સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની નાગરાજનની તાત્કાલિક અસરથી બદલી કરી છે. હાઈકોર્ટે નોટિસ વિના ડિમોલિશન બદલ નારાજગી વ્યક્ત કરી હતી.

સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ કોને સોંપવામાં આવ્યો છે?

હાલના સુરત જિલ્લા કલેક્ટર તેજસ દિલીપભાઈ પરમાર (IAS: 2016) ને સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

નાસીરનગર ડિમોલિશન પ્રકરણમાં શું વિવાદ થયો હતો?

શરૂઆતમાં પાલિકાએ ડિમોલિશન કર્યું હોવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ બાદમાં કમિશનરે સ્વીકાર્યું કે કાર્યવાહી પાલિકા દ્વારા જ થઈ હતી. આ વિરોધાભાસને કારણે પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા હતા.

બદલી પામેલા કમિશનર શાલિની નાગરાજનને ક્યાં નિમણૂક આપવામાં આવી છે?

શાલિની નાગરાજનને હવે ગાંધીનગર ખાતે 'સમગ્ર શિક્ષા અભિયાન' ના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget