શોધખોળ કરો

Japan Tsunami Prediction:3 દિવસોમાં સાચી પડી શકે છે જાપાની બાબાની આ ભયાવહ આગાહી, જાણો શું કરી ભવિષ્યવાણી

Japan Tsunami Prediction:જાપાની મંગા આર્ટિસ્ટ ર્યો તાત્સુકીએ 5 જુલાઈના રોજ ભયાનક સુનામીની આગાહી કરી છે. જાણો તેની પાછળની કહાણી શું છે જેના કારણે લોકો વધુ ભયભિત છે

Japan Tsunami Prediction:આજકાલ જાપાનમાં 5 જુલાઈ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. તેનું કારણ મંગા આર્ટિસ્ટ  ર્યો તાત્સુકીની આગાહી છે, જે તેમણે   1999માં તેમના પુસ્તક "ધ ફ્યુચર આઈ સો" માં કરી હતી. આ પુસ્તકમાં તેમણે દાવો કર્યો હતો કે 5  જુલાઈ 2025માં જાપાનમાં વિનાશક સુનામી આવશે, જે 2011ની  ભયંકર તોહોકુ આપત્તિ કરતાં પણ મોટી હોઈ શકે છે.

ર્યો તાત્સુકીને ઘણીવાર જાપાની બાબા વેંગા કહેવામાં આવે છે. તેમણે કોરોના વાયરસ, રાજકુમારી ડાયનાના મૃત્યુ અને 2011ના ભૂકંપ-સુનામીની આગાહી અગાઉથી કરી હતી. તેમની આગાહીઓ મંગાના રૂપમાં પ્રકાશિત થઈ છે, પરંતુ ઘણી વખત સાચી પડી છે. તત્સુકીએ કહ્યું હતું કે ઉકળાટ, પરપોટા અને સમુદ્રમાં મજબૂત કંપન સુનામી પહેલાના સંકેતો હશે. આ જ કારણ છે કે જાપાનના દક્ષિણ ટાપુઓમાં ભૂકંપમાં વધારો થવાથી લોકોની ચિંતા વધી ગઈ છે.

અકુસેકીજીમા ટાપુ ખરેખર ભયાનક સ્થળ છે?

5 જુલાઈના રોજ સુનામીની આગાહીઓ વચ્ચે, ટોકારા ટાપુઓમાં અકુસેકીજીમા ટાપુ પર ભૂકંપના આંચકા આવ્યા છે. જો આપણે ડેટા પર નજર કરીએ તો, 21 જૂનથી 1 જુલાઇ 2025 સુધીમાં 736  ભૂકંપ આંચકા આવ્યા છે. આમાંથી 50થી વધુ ભૂકંપ અનુભવાયા હતા. મોટાભાગના ભૂકંપ 3-5ની તીવ્રતા (જાપાનના 7 પોઈન્ટ સ્કેલ પર) વચ્ચેના હતા. કેટલાક ભૂકંપ એટલા શક્તિશાળી હતા કે, સામાન છાજલીઓ પરથી પડી ગઇ હતી અકુસેકીજીમા એક જ્વાળામુખી ટાપુ છે, જે સમુદ્ર સપાટીથી 150  મીટર ઉપર સ્થિત છે. ભૌગોલિક કારણોસર સુનામીનું જોખમ થોડું ઓછું હોવા છતાં, ભૂકંપના વધતાં જતાં આંચકાએ આફતનો ભય વધુ  વધુ મજબૂત બનાવ્યો છે.

જનજીવન પર કેવી અસર પડી રહી છે?

લોકો આગાહીની અસરથી માત્ર ચિંતિત નથી, પરંતુ તેમની મુસાફરીની યોજનાઓ પણ રદ કરી રહ્યા છે. ફ્લાઇટ ટિકિટો રદ કરવામાં આવી રહી છે. લોકો દરિયાકાંઠાના વિસ્તારોમાંથી બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર તકેદારી રાખી રહ્યું છે. અકુસેકીજીમા ગામના 60 વર્ષીય ઇસામુ સાકામોટોએ કહ્યું, "આટલા બધા ભૂકંપ પછી, એવું લાગે છે કે જમીન હંમેશા ધ્રુજી રહી છે." તેમનો ડર વાજબી છે કારણ કે જો સતત ભૂકંપથી ઇમારતોની રચના નબળી પડી ગઈ હોય, તો મોટા ભૂકંપથી મોટું નુકસાન થઈ શકે છે.

વિજ્ઞાન શું કહે છે?

જાપાન હવામાન એજન્સી (JMA) એ કોઈ સત્તાવાર સુનામી ચેતવણી જારી કરી નથી, પરંતુ તેઓએ ભૂકંપની પ્રવૃત્તિઓ પર દેખરેખ વધારી છે. નિષ્ણાતો માને છે કે સતત ભૂકંપ મોટા ભૂકંપનો સંકેત હોઈ શકે છે, એટલે કે, જ્યારે તાત્સુકીની આગાહીને વૈજ્ઞાનિક માન્યતા મળી નથી, ભૂકંપની પ્રવૃત્તિઓ ચોક્કસપણે ગંભીર ચિંતાનો વિષય છે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ

વિડિઓઝ

Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત
Surat Congress Protest : સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલાના વિરોધમાં રેલી
PM Modi Speech At Sardar Dham : PM મોદીની દેશના નાગરિકોને અપીલ, શાળાઓમાં ઓનલાઇન એજ્યુકેશન પર ભાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
તમિલનાડુના CM બનતાં જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય, 15 દિવસોની અંદર દારૂની દુકાનો....
તમિલનાડુના CM બનતાં જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય, 15 દિવસોની અંદર દારૂની દુકાનો....
Embed widget