શોધખોળ કરો

Tulsi Vivah 2024: ક્યારે છે તુલસી વિવાહ ? જાણો તારીખ અને શુભ મુહૂર્ત  

તુલસી વિવાહનું ખાસ મહત્વ છે. આ તહેવાર દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે ઉજવવામાં આવે છે.

Tulsi Vivah 2024 Date and Muhurat: તુલસી વિવાહનું ખાસ મહત્વ છે. આ તહેવાર દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં સૂચિત છે કે તુલસી વિવાહના દિવસે ભગવાન વિષ્ણુ અને તુલસી માતા લગ્નના બંધનમાં બંધાયા હતા. વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. તુલસી માતાની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન થાય છે. તેમની કૃપાથી સાધક જીવનમાં તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. આ દિવસે શુભ મુહૂર્તમાં યોગ્ય રીતે તુલસી વિવાહ કરાવવાથી વ્યક્તિના દામ્પત્ય જીવનમાં મધુરતા અને ખુશીઓ આવે છે. જ્યારે અપરિણીત છોકરીઓને તેમની પસંદગીનો જીવનસાથી મળે છે. તો અહીં જાણો આ વર્ષે તુલસી વિવાહની તારીખ અને શુભ મુહૂર્ત શું છે.


તુલસી વિવાહની તારીખ અને શુભ મુહૂર્ત 2024 

હિંદુ કેલેન્ડર મુજબ, કારતક મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી તિથિ 12 નવેમ્બરે સાંજે 4:04 કલાકે શરૂ થશે. દ્વાદશી 13 નવેમ્બર 2024 ના રોજ બપોરે 1:01 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ મુજબ તુલસી વિવાહ 13 નવેમ્બરે ઉજવવામાં આવશે. તુલસી વિવાહ અને પૂજાનો શુભ સમય બપોરે 1.01 વાગ્યા સુધી રહેશે.

તુલસી વિવાહનું મહત્વ 

તમને જણાવી દઈએ કે હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ રાખવામાં આવે છે તે ઘરમાં હંમેશા ધન અને સમૃદ્ધિ આવે છે. દરરોજ તુલસીની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. તુલસી પૂજાના દિવસે તુલસી માતાની પૂજા કરવાથી વૈવાહિક જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.  પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ વધુ વધે છે અને તેમના સંબંધો પહેલા કરતા પણ વધુ અતૂટ બને છે. તુલસી પૂજાના દિવસે ભગવાન શાલિગ્રામને વરની જેમ અને માતા તુલસીને કન્યાની જેમ સંપૂર્ણ રીતે શણગારવામાં આવે છે.

તુલસી પૂજા સાથે જોડાયેલી પૌરાણિક કથા 


લોકપ્રિય પૌરાણિક કથાઓ અનુસાર, જલંધરનો જન્મ ભગવાન શિવના ક્રોધથી થયો હતો. જલંધર આગળ જતા અસુરોનો શાસક બન્યો અને પછી તેને દૈત્યરાદ જલંધર તરીકે ઓળખાવા લાગ્યો. જલંધરના લગ્ન વૃંદા સાથે થયા હતા તે એક પતિવ્રતા સ્ત્રી હતી. વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. તેમના પતિવ્રતની શક્તિઓને કારણે જલંધર દિવસે દિવસે વધુ શક્તિશાળી બન્યો.  વૃંદાની તેના પતિ પ્રત્યેની ભક્તિને કારણે જ દેવતાઓ પણ જલંધર સાથે યુદ્ધ જીતી શક્યા ન હતા.

આ કારણે જલંધરને પોતાની શક્તિનો ખૂબ જ ઘમંડ થયો અને પછી તેણે દેવતાઓની પત્નીઓને પણ હેરાન કરવાનું શરૂ કર્યું. આ જોઈને ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા, જેના કારણે મહાદેવ અને જલંધર વચ્ચે યુદ્ધ થયું. પરંતુ, જલંધરની શક્તિના કારણે મહાદેવનો દરેક હુમલા નિષ્ફળ ગયા. ત્યારે ભગવાન વિષ્ણુ જલંધરનું રૂપ ધારણ કરીને વૃંદા પહોંચ્યા. ભગવાન વિષ્ણુને જલંધરના રૂપમાં જોઈને વૃંદા તેમની સાથે પોતાના પતિની જેમ વ્યવહાર કરવા લાગી અને પછી વૃંદાએ પોતાના પતિને આપેલું વ્રત તોડ્યું. આ રીતે જલંધરને મહાદેવે માર્યો હતો. આ પછી વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો અને તેમને પથ્થર બનાવી દીધા. પરંતુ પછી માતા લક્ષ્મીની વિનંતી પછી તેને પરત કરી સતી થઈ ગયા. તેમની રાખમાંથી તુલસીના છોડનો જન્મ થયો અને તેમની સાથે શાલિગ્રામના વિવાહની પરંપરા શરૂ થઈ.  

Bhai Dooj 2024: ભાઈબીજ પર બહેનો કરે આ ઉપાય, ભાઈને મળશે અનેક ફાયદા  

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે એબીપી અસ્મિતા ન્યૂઝ કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 

વિડિઓઝ

Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
Gujarat DGP : ગુજરાત પોલીસને મળ્યા નવા વડા, GS મલિક બન્યા ગુજરાતના નવા DGP
PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ
ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
Embed widget