Vastu Tips: રામ નવમીના અવસરે ઘર કે ઓફિસમાં આ કામ અચૂક કરજો, ધનધાન્યમાં થશે વૃ્દ્ધિ
Vastu Tips: રામ નવમી 6 એપ્રિલ 2025 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે શ્રી રામનો જન્મોત્સવ હોવાથી આ દિવસનું ઘણું મહત્વ છે. રામ નવમીના દિવસે, ઘરની કેટલીક ખાસ સ્વસ્થ કરવાથી મહાલક્ષ્મીના આશિષ વરશે છે.

Ram Navami 2025, Vastu Tips: રામ નવમીના તહેવારનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે, કારણ કે રામ માત્ર મંદિરોમાં પૂજાતા ભગવાન નથી, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં સાચો માર્ગ બતાવનાર આદર્શ છે. કહેવાય છે કે જેના પર રામની કૃપા વરસે છે તેનું જીવન હંમેશા સુખથી છલોછલ થઇ જાય છે.
જેના પર શ્રીરામ પ્રસન્ન થાય છે જેના ભંડારા સભર રહે રહે છે. રામજી વિષ્ણુજીના અવતાર હોવાથી અને વિષ્ણુજીના દરેક અવતારની પૂજામાં વિશેષ નિયમોનું પાલન કરવું જોઈએ, તો જ માતા લક્ષ્મીની કૃપા રહે છે. આવી સ્થિતિમાં રામ નવમીના દિવસે ઘરની કેટલીક જગ્યોઓ અચૂક પવિત્ર કરો જેથી મહાલક્ષ્મીનો વાસ સદૈવ બની રહે.
રામ નવમી પર આ જગ્યાઓને સાફ કરો
મંદિર - વાસ્તુ અનુસાર ઘરનું મંદિર સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. આવી સ્થિતિમાં, રામ નવમી પર પૂજા મંદિરને સારી રીતે સાફ કરો. જૂની તૂટેલી મૂર્તિઓ ઘરમાં ન રાખવી જોઈએ, તેનાથી પરિવાર પર દોષ આવે છે. અગરબત્તીઓ, વરખ, વાસી ફૂલો, હાર અથવા પૂજા સંબંધિત અન્ય નકામી સામગ્રીના ખાલી પેકેટો દૂર કરો. આ ગરીબી તરફ દોરી જાય છે.
રસોડું - રસોડું ઘરનું સૌથી પવિત્ર સ્થાન છે. અહીં માતા લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણાનો વાસ છે. આવી સ્થિતિમાં, રામ નવમી પર, રસોડાને સારી રીતે સાફ કરો, જૂના તૂટેલા વાસણો બહાર કાઢો, ગંદા વાસણોને સારી રીતે ધોઈ લો અને જો ફ્રિજમાં રહેલી વસ્તુઓ બગડી ગઈ હોય તો તેને તરત જ કાઢી નાખો. તેનાથી રાહુ-કેતુની અસર વધે છે.
આ દિશાને અવશ્ય રાખો સ્વચ્છ - વાસ્તુ નિયમો અનુસાર ઘરની ઉત્તર, ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ દિશાઓને સ્વચ્છ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ઘરની આ દિશાઓને પહેલા સાફ કરવી જોઈએ, કારણ કે આ દિશાઓમાં તમામ દેવી-દેવતાઓનો વાસ હોય છે. જો અહીં સ્વચ્છતા ન હોય તો દેવી લક્ષ્મી ઘરમાં વાસ નથી કરતી.
મુખ્ય દરવાજા પર કોઈપણ પ્રકારની ગંદકી ન હોવી જોઈએ - સકારાત્મક અને નકારાત્મક ઉર્જા ઉંબરાથી જ ઘરમાં પ્રવેશ કરે છે. આવી સ્થિતિમાં રામનવમીના દિવસે ઘરના મુખ્ય દ્વારને સારી રીતે સાફ કરો. ત્યાં કોઈ કચરો, ભંગાર, ચપ્પલ વગેરે ન રાખો. આ કારણે પણ માતા લક્ષ્મી ઘરના દ્વારેથી પાછી ફરે છે.



















