શોધખોળ કરો

Diwali and Dhanteras Daan: આ વસ્તુનું દાન કરવાથી પ્રસન્ન થાય છે લક્ષ્મીજી, ધનતેરસના દિને અચૂક કરો આ કામ

Diwali and Dhanteras Date 2022: ધનતેરસ અને દિવાળીના દિવસે કરવામાં આવેલ ઉપાય વિશેષ ફળદાયી રહે છે. આ દિવસે દાન કરવાથી શુભ ફળ મળે છે અને દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે.

Diwali and Dhanteras Date 2022: ધનતેરસ અને દિવાળીના દિવસે કરવામાં આવેલ ઉપાય વિશેષ ફળદાયી રહે છે. આ દિવસે દાન કરવાથી શુભ ફળ મળે છે અને દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે.

ધનતેરસ અને દિવાળીના દિવસે લોકો જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે વિવિધ ઉપાયો કરે છે. ધનતેરસ અને દિવાળી બંને પર દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા યુક્તિઓ કરવામાં આવે છે. ધનતેરસના દિવસથી દિવાળીનો તહેવાર શરૂ થાય છે. ધનતેરસના દિવસે સોનું, ચાંદી કે વાસણો ખરીદવાની પરંપરા છે. ધનતેરસ અને દિવાળી પર પણ તેને કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. આવો જાણીએ ધનતેરસ અને દિવાળી પર કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.

દિવાળી અને ધનતેરસ પર ભોજનનું દાન કરો

ધનતેરસ અને દિવાળી પર ભોજનનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. અનાજનું દાન કરવાથી પુણ્ય મળે છે. એવી માન્યતા છે કે, ધનતેરસના દિવસે અનાજનું દાન કરવાથી ઘરમાં રહેલ અન્ન ભંડાર ક્યારેય ખાલી નથી થતા. ભોજન લીધા પછી તે વ્યક્તિને દક્ષિણા આપીને વિદાય કરવી જોઈએ.

લોખંડનું દાન

ધનતેરસના દિવસે લોખંડનું દાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ધનતેરસના દિવસે લોખંડનું દાન કરવાથી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. લોખંડને શનિદેવની ધાતુ માનવામાં આવે છે. ધનતેરસ કે દિવાળીના દિવસે લોખંડનું દાન કરવાથી દેવી લક્ષ્મીની કૃપા સાથે શનિદેવનું શુભ ફળ પણ પ્રાપ્ત થાય છે.

સાવરણીનું દાન

ધનતેરસ અને દિવાળીના દિવસે સાવરણીનું દાન કરવું ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ બંને દિવસે સાવરણીનું દાન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. આ સિવાય તમે કોઈ પણ મંદિરમાં સાવરણી દાન કરી શકો છો. આવું કરવાથી ધનની દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને ધનની ક્યારેય કમી નથી રહેતી.

કપડાંનું દાન

દિવાળી અને ધનતેરસના દિવસે કોઈ જરૂરિયાતમંદને કપડાંનું દાન કરવું ખૂબ જ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન કુબેર તેનાથી પ્રસન્ન થાય છે અને  આશીર્વાદ વરસાવે છે. કુબેરની કૃપાથી ઘરમાં ધનનો ભંડાર ક્યારેય ખાલી થતો નથી. ધનતેરસના દિવસે વસ્ત્રોનું દાન મહાદાન માનવામાં આવે છે.

મીઠાઈની ભેટ

ધનતેરસ અને દિવાળી પર ભોજન અને વસ્ત્રો સિવાય નારિયેળ અને મીઠાઈઓ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધનનો ભંડાર ભરાય છે અને જીવનમાં શુભતા  આવે છે.

Disclaimer:અહીં આપેલી સૂચના માત્ર માન્યતા અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇપણ માન્યતા  કે જાણકારીને અમલમાં લાવતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાતની સલાહ લો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સહિત 3 આતંકવાદી ઠાર
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સહિત 3 આતંકવાદી ઠાર
Gandhinagar: કમલમ ખાતે મહત્વની બેઠક શરૂ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પણ હાજર
Gandhinagar: કમલમ ખાતે મહત્વની બેઠક શરૂ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પણ હાજર
LSG vs GT: આજે લખનૌ અને ગુજરાત વચ્ચે મુકાબલો,જાણો પિચ રિપોર્ટ,વેધર અને સંભવિત પ્લેઇંગ 11
LSG vs GT: આજે લખનૌ અને ગુજરાત વચ્ચે મુકાબલો,જાણો પિચ રિપોર્ટ,વેધર અને સંભવિત પ્લેઇંગ 11
Weather forecast:  રાજ્યમાં વંટોળ, ભારે પવન સાથે  કમોસમી વરસાદ પડશે કે હિટવેવની રહેશે સ્થિતિ? જાણો હવામાન અપડેટ્સ
Weather forecast: રાજ્યમાં વંટોળ, ભારે પવન સાથે કમોસમી વરસાદ પડશે કે હિટવેવની રહેશે સ્થિતિ? જાણો હવામાન અપડેટ્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat BJP Meeting : પાટીલની અધ્યક્ષતામાં કમલમ ખાતે મહત્વની બેઠક શરૂ, ભાજપનો શું છે માસ્ટરપ્લાન?Surat Govt School Admission : સુરતમાં સરકારી શાળામાં પ્રવેશ માટે લાગી લાંબી લાઇન, શું છે કારણ?Surat News : 118 રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ મામલે સૌથી મોટા સમાચાર, પોલીસે કર્યો ધડાકોGujarat Congress : ભાજપના રસ્તે કોંગ્રેસ , ગુજરાત માટે શું લેવાયો મોટો નિર્ણય?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સહિત 3 આતંકવાદી ઠાર
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સહિત 3 આતંકવાદી ઠાર
Gandhinagar: કમલમ ખાતે મહત્વની બેઠક શરૂ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પણ હાજર
Gandhinagar: કમલમ ખાતે મહત્વની બેઠક શરૂ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પણ હાજર
LSG vs GT: આજે લખનૌ અને ગુજરાત વચ્ચે મુકાબલો,જાણો પિચ રિપોર્ટ,વેધર અને સંભવિત પ્લેઇંગ 11
LSG vs GT: આજે લખનૌ અને ગુજરાત વચ્ચે મુકાબલો,જાણો પિચ રિપોર્ટ,વેધર અને સંભવિત પ્લેઇંગ 11
Weather forecast:  રાજ્યમાં વંટોળ, ભારે પવન સાથે  કમોસમી વરસાદ પડશે કે હિટવેવની રહેશે સ્થિતિ? જાણો હવામાન અપડેટ્સ
Weather forecast: રાજ્યમાં વંટોળ, ભારે પવન સાથે કમોસમી વરસાદ પડશે કે હિટવેવની રહેશે સ્થિતિ? જાણો હવામાન અપડેટ્સ
Tariff: 'અમે બંદૂકની અણીએ વાત નથી કરતા', ટ્રમ્પના ટેરિફ વોર પર પિયુષ ગોયલ અને એસ જયશંકરે અમેરિકાને રોકડું પરખાવ્યું
Tariff: 'અમે બંદૂકની અણીએ વાત નથી કરતા', ટ્રમ્પના ટેરિફ વોર પર પિયુષ ગોયલ અને એસ જયશંકરે અમેરિકાને રોકડું પરખાવ્યું
Weather Update: વંટોળ, ભારે પવન સાથે આ રાજ્યોમાં  વરસ્યો વરસાદ, જાણો હવામાન વિભાગે શું આપી ચેતવણી
Weather Update: વંટોળ, ભારે પવન સાથે આ રાજ્યોમાં વરસ્યો વરસાદ, જાણો હવામાન વિભાગે શું આપી ચેતવણી
Gold: અમેરિકા અને ચીન વચ્ચેના ટેરિફ વોરની અસર,ઓલ ટાઈમ હાઈ પર સોનું, 1 લાખથી એક ડગલું દૂર
Gold: અમેરિકા અને ચીન વચ્ચેના ટેરિફ વોરની અસર,ઓલ ટાઈમ હાઈ પર સોનું, 1 લાખથી એક ડગલું દૂર
Health Tips: આ છે હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના લક્ષણો,ઉનાળામાં બની શકે છે ખતરનાક
Health Tips: આ છે હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના લક્ષણો,ઉનાળામાં બની શકે છે ખતરનાક
Embed widget