શોધખોળ કરો

Diwali and Dhanteras Daan: આ વસ્તુનું દાન કરવાથી પ્રસન્ન થાય છે લક્ષ્મીજી, ધનતેરસના દિને અચૂક કરો આ કામ

Diwali and Dhanteras Date 2022: ધનતેરસ અને દિવાળીના દિવસે કરવામાં આવેલ ઉપાય વિશેષ ફળદાયી રહે છે. આ દિવસે દાન કરવાથી શુભ ફળ મળે છે અને દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે.

Diwali and Dhanteras Date 2022: ધનતેરસ અને દિવાળીના દિવસે કરવામાં આવેલ ઉપાય વિશેષ ફળદાયી રહે છે. આ દિવસે દાન કરવાથી શુભ ફળ મળે છે અને દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે.

ધનતેરસ અને દિવાળીના દિવસે લોકો જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે વિવિધ ઉપાયો કરે છે. ધનતેરસ અને દિવાળી બંને પર દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા યુક્તિઓ કરવામાં આવે છે. ધનતેરસના દિવસથી દિવાળીનો તહેવાર શરૂ થાય છે. ધનતેરસના દિવસે સોનું, ચાંદી કે વાસણો ખરીદવાની પરંપરા છે. ધનતેરસ અને દિવાળી પર પણ તેને કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. આવો જાણીએ ધનતેરસ અને દિવાળી પર કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.

દિવાળી અને ધનતેરસ પર ભોજનનું દાન કરો

ધનતેરસ અને દિવાળી પર ભોજનનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. અનાજનું દાન કરવાથી પુણ્ય મળે છે. એવી માન્યતા છે કે, ધનતેરસના દિવસે અનાજનું દાન કરવાથી ઘરમાં રહેલ અન્ન ભંડાર ક્યારેય ખાલી નથી થતા. ભોજન લીધા પછી તે વ્યક્તિને દક્ષિણા આપીને વિદાય કરવી જોઈએ.

લોખંડનું દાન

ધનતેરસના દિવસે લોખંડનું દાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ધનતેરસના દિવસે લોખંડનું દાન કરવાથી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. લોખંડને શનિદેવની ધાતુ માનવામાં આવે છે. ધનતેરસ કે દિવાળીના દિવસે લોખંડનું દાન કરવાથી દેવી લક્ષ્મીની કૃપા સાથે શનિદેવનું શુભ ફળ પણ પ્રાપ્ત થાય છે.

સાવરણીનું દાન

ધનતેરસ અને દિવાળીના દિવસે સાવરણીનું દાન કરવું ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ બંને દિવસે સાવરણીનું દાન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. આ સિવાય તમે કોઈ પણ મંદિરમાં સાવરણી દાન કરી શકો છો. આવું કરવાથી ધનની દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને ધનની ક્યારેય કમી નથી રહેતી.

કપડાંનું દાન

દિવાળી અને ધનતેરસના દિવસે કોઈ જરૂરિયાતમંદને કપડાંનું દાન કરવું ખૂબ જ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન કુબેર તેનાથી પ્રસન્ન થાય છે અને  આશીર્વાદ વરસાવે છે. કુબેરની કૃપાથી ઘરમાં ધનનો ભંડાર ક્યારેય ખાલી થતો નથી. ધનતેરસના દિવસે વસ્ત્રોનું દાન મહાદાન માનવામાં આવે છે.

મીઠાઈની ભેટ

ધનતેરસ અને દિવાળી પર ભોજન અને વસ્ત્રો સિવાય નારિયેળ અને મીઠાઈઓ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધનનો ભંડાર ભરાય છે અને જીવનમાં શુભતા  આવે છે.

Disclaimer:અહીં આપેલી સૂચના માત્ર માન્યતા અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇપણ માન્યતા  કે જાણકારીને અમલમાં લાવતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vastu Tips for Positivity: ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દો, નહીં તો આર્થિક થઇ શકે છે નુકસાન
Vastu Tips for Positivity: ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દો, નહીં તો આર્થિક થઇ શકે છે નુકસાન
Aaj Nu Rashifal: મકર રાશિ પર થશે ધનવર્ષા તો આ રાશિ પર સંકટના યોગ, જાણો આજનો ફળાદેશ
Aaj Nu Rashifal: મકર રાશિ પર થશે ધનવર્ષા તો આ રાશિ પર સંકટના યોગ, જાણો આજનો ફળાદેશ
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
Grahan Yog June 2026: જૂનમાં ચંદ્ર-રાહુની યુતિથી બની રહ્યો છે ગ્રહણ યોગ, આ 3 રાશિના જાતકો માટે નથી શુભ
Grahan Yog June 2026: જૂનમાં ચંદ્ર-રાહુની યુતિથી બની રહ્યો છે ગ્રહણ યોગ, આ 3 રાશિના જાતકો માટે નથી શુભ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Embed widget