શોધખોળ કરો

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા

Ahmedabad: અમદાવાદમાં એક જ દિવસમાં અકસ્માતની ત્રણ ભયાનક ઘટનાઓએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. રફતારના શોખીન નબીરાઓએ નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા છે.

Ahmedabad: અમદાવાદમાં એક જ દિવસમાં અકસ્માતની ત્રણ ભયાનક ઘટનાઓએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. રફતારના શોખીન નબીરાઓએ નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. થલતેજ, એરપોર્ટ રોડ અને વૈષ્ણોદેવી સર્કલ પાસે બનેલી આ ઘટનાઓ 'હિટ એન્ડ રન' અને બેફામ ડ્રાઈવિંગનો વરવો નમૂનો પેશ કરે છે.

અમદાવાદમાં રફતારનો કહેર: એક જ દિવસમાં ત્રણ ગંભીર અકસ્માત

1. થલતેજ-શીલજ રોડ: નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા

મોડી રાત્રે થલતેજથી શીલજ રોડ પર એક કીયા (Kia) કારના ચાલકે આતંક મચાવ્યો હતો. આરોપી નબીરાની ઓળખ નીસીર શાહ તરીકે થઈ છે. નીસીર શાહ તાજ હોટલ પાસેથી નશામાં ધૂત હાલતમાં કાર હંકારી રહ્યો હતો. તેણે રસ્તામાં આવતા એક પછી એક એમ કુલ 9 વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જી ભાગી રહેલા આ નબીરાનો અન્ય વાહનચાલકોએ પીછો કર્યો હતો અને છેક રાચરડા રોડ પાસેથી તેને ઝડપી પાડ્યો હતો. લોકોના ટોળાએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે ચાલક નશામાં હતો. હાલ એમ-ડિવિઝન ટ્રાફિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

2. એરપોર્ટ આઈકોનિક રોડ: બેફામ કાર પલટી, ચાલક ફરાર
અકસ્માતની બીજી ઘટના એરપોર્ટ આઈકોનિક રોડ અને ઈન્દિરા બ્રિજ વચ્ચે બની હતી.  જેમાં એક નબીરાએ પૂરઝડપે કાર દોડાવતા સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર એટલી સ્પીડમાં હતી કે તે રોડ પર જ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ કારનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસ હાલ આ ચાલકની શોધખોળ કરી રહી છે.

3. વૈષ્ણોદેવી સર્કલ: ભાજપ નેતાના પુત્રનું મોત
વૈષ્ણોદેવી બ્રિજ પાસે રવિવારે વહેલી સવારે ત્રીજો કરુણ અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી આઈ.બી. વાઘેલાના પુત્ર ધવલ વાઘેલા પોતાની ફોર્ચ્યુનર કાર લઈને જઈ રહ્યો હતો ત્યારે ઓવરટેક કરવાની લ્હાયમાં કાર ડિવાઈડર કૂદીને સામે આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં ધવલ વાઘેલાનું ગંભીર ઈજા થવાને કારણે મોત નીપજ્યું છે, જ્યારે કારમાં સવાર અન્ય એક યુવતી ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. અમદાવાદના રસ્તાઓ પર સ્પીડ અને નશાનું જોખમી મિશ્રણ લોહી વહેવડાવી રહ્યું છે. પોલીસની કડક કાર્યવાહી છતાં નબીરાઓ બેફામ બની રહ્યા છે, જે સામાન્ય નાગરિકો માટે ચિંતાનો વિષય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
Embed widget