શોધખોળ કરો

Dhanteras 2025 :ધનતેરસના દિવસે આ વસ્તુનું અભાવગ્રસ્તને કરો દાન, લક્ષ્મીની થશે અસીમ કૃપા

Dhanteras 2025 : 18 ઓક્ટોબર શનિવારે ધનતેરસ છે. આ અવસરે કેટલીક વસ્તુઓ અભાવગ્રસ્તને આપવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આપે છે આશિષ

Dhanteras 2025 :ધનતેરસ અને દિવાળીના દિવસે લોકો જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે વિવિધ ઉપાયો કરે છે. ધનતેરસ અને દિવાળી બંને પર દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા યુક્તિઓ કરવામાં આવે છે. ધનતેરસના દિવસથી દિવાળીનો તહેવાર શરૂ થાય છે. ધનતેરસના દિવસે સોનું, ચાંદી કે વાસણો ખરીદવાની પરંપરા છે. ધનતેરસ અને દિવાળી પર પણ તેને કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. આવો જાણીએ ધનતેરસ અને દિવાળી પર કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.

દિવાળી અને ધનતેરસ પર ભોજનનું દાન કરો

ધનતેરસ અને દિવાળી પર ભોજનનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. અનાજનું દાન કરવાથી પુણ્ય મળે છે. એવી માન્યતા છે કે, ધનતેરસના દિવસે અનાજનું દાન કરવાથી ઘરમાં રહેલ અન્ન ભંડાર ક્યારેય ખાલી નથી થતા. ભોજન લીધા પછી તે વ્યક્તિને દક્ષિણા આપીને વિદાય કરવી જોઈએ.

લોખંડનું દાન

ધનતેરસના દિવસે લોખંડનું દાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ધનતેરસના દિવસે લોખંડનું દાન કરવાથી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. લોખંડને શનિદેવની ધાતુ માનવામાં આવે છે. ધનતેરસ કે દિવાળીના દિવસે લોખંડનું દાન કરવાથી દેવી લક્ષ્મીની કૃપા સાથે શનિદેવનું શુભ ફળ પણ પ્રાપ્ત થાય છે.

સાવરણીનું દાન

ધનતેરસ અને દિવાળીના દિવસે સાવરણીનું દાન કરવું ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ બંને દિવસે સાવરણીનું દાન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. આ સિવાય તમે કોઈ પણ મંદિરમાં સાવરણી દાન કરી શકો છો. આવું કરવાથી ધનની દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને ધનની ક્યારેય કમી નથી રહેતી.

કપડાંનું દાન

દિવાળી અને ધનતેરસના દિવસે કોઈ જરૂરિયાતમંદને કપડાંનું દાન કરવું ખૂબ જ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન કુબેર તેનાથી પ્રસન્ન થાય છે અને  આશીર્વાદ વરસાવે છે. કુબેરની કૃપાથી ઘરમાં ધનનો ભંડાર ક્યારેય ખાલી થતો નથી. ધનતેરસના દિવસે વસ્ત્રોનું દાન મહાદાન માનવામાં આવે છે.

મીઠાઈની ભેટ

ધનતેરસ અને દિવાળી પર ભોજન અને વસ્ત્રો સિવાય નારિયેળ અને મીઠાઈઓ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધનનો ભંડાર ભરાય છે અને જીવનમાં શુભતા  આવે છે.

Disclaimer:અહીં આપેલી સૂચના માત્ર માન્યતા અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇપણ માન્યતા  કે જાણકારીને અમલમાં લાવતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાતની સલાહ લો.

 

 

 

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
Advertisement

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
Embed widget