![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં કઇ દિશામાં મૂકેલો ઇલેક્ટ્રોનિક સામાન આપને કરી શકે છે બીમાર
Vastu Tips: ઘરમાં એસી, ફ્રિજ અને કુલર હંમેશા યોગ્ય દિશામાં લગાવવા જોઈએ કારણ કે તેને ખોટી જગ્યાએ મૂકવાથી માનસિક, શારીરિક અને આર્થિક સમસ્યાઓ આવવા લાગે છે.
![Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં કઇ દિશામાં મૂકેલો ઇલેક્ટ્રોનિક સામાન આપને કરી શકે છે બીમાર Electronic items do not put in this direction at home Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં કઇ દિશામાં મૂકેલો ઇલેક્ટ્રોનિક સામાન આપને કરી શકે છે બીમાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/21/0a44811f2b12d763ecaf3ba10a7d9f9a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vastu Tips: ઘરમાં એસી, ફ્રિજ અને કુલર હંમેશા યોગ્ય દિશામાં લગાવવા જોઈએ કારણ કે તેને ખોટી જગ્યાએ મૂકવાથી માનસિક, શારીરિક અને આર્થિક સમસ્યાઓ આવવા લાગે છે.
ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુનું પોતાનું વિશેષ મહત્વ હોય છે. જો આપણે આ જ વસ્તુઓને યોગ્ય જગ્યાએ ન રાખીએ તો વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે, જેની ખરાબ અસર ઘરના સભ્યો પર પડે છે.વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક વસ્તુની પોતાની દિશા હોય છે, તેને તેની યોગ્ય જગ્યાએ રાખવાથી સકારાત્મક અસર સર્જાઇ છે. જેની અસર તે ઘરમાં રહેતા વ્યક્તિ પર ફણ પડે છે. ચાલો વાસ્તુ નિષ્ણાત આરતી દહિયા પાસેથી જાણીએ કે પરિવારની પ્રગતિ અને સુખ માટે ઈલેક્ટ્રોનિક સામાન કઈ દિશામાં મૂકવો યોગ્ય છે.
એસી કઈ દિશામાં મૂકવું
ઘરમાં AC દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવું જોઈએ. જો કોઈ કારણસર દક્ષિણપૂર્વમાં AC લગાવવું શક્ય ન હોય તો તેને ઉત્તરપૂર્વમાં લગાવી શકાય છે.તમે સ્પ્લિટ એસીની બહાર દક્ષિણ, દક્ષિણપૂર્વ કે દક્ષિણ-પશ્ચિમમાં યુનિટ મૂકી શકો છો. તમે ઉત્તર, ઉત્તર પૂર્વ અથવા પૂર્વમાં ઇન્ડોર એસી ઇન્સ્ટોલ કરી શકો છો. વાસ્તુ અનુસાર ઘરની પશ્ચિમ દિશામાં ક્યારેય AC લગાવવું જોઈએ નહીં. આમ કરવાથી આવકમાં અસ્થિરતા રહે છે અને ઘરમાં બરકત નથી રહેતી
ફ્રીજ કઈ દિશામાં રાખવું જોઈએ?
ફ્રિજ રાખવા માટે શ્રેષ્ઠ દિશા ઉત્તર-પશ્ચિમ દિશા છે. તમે તેને પશ્ચિમની દિવાલ પર મૂકીને રાખી શકો છો. ધ્યાન રાખો કે ફ્રિજનો દરવાજો પૂર્વ દિશામાં ખોલવો જોઈએ, તેનાથી સકારાત્મકતા જળવાઈ રહે છે.
ટીવી કઈ દિશામાં મૂકવું
ઘરમાં ટીવીને લિવિંગ એરિયા અથવા ડ્રોઈંગ રૂમમાં પૂર્વ દિશામાં લગાવો. પૂર્વ દિશામાં મુખ રાખીને ટીવી જોવાથી સકારાત્મક ઉર્જા બની રહે છે.
કઈ દિશામાં કૂલર રાખવું
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચાર ઘરના ચંદ્ર શનિ, રાહુ અને બુધ ઠંડક સાથે સંકળાયેલા છે, તેથી કૂલરને ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખી શકાય છે. કુલર ઉત્તર પૂર્વ, ઉત્તર પશ્ચિમ અને પૂર્વ દિશામાં મૂકી શકાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)