Mahashivratri 2026: મનોકામનાની પૂર્તિ માટેનો શુભ અવસર, આ મંત્રોના જાપ સાથે કરો અભિષેક
Mahashivratri 2026:‘ઓમ નમઃ શિવાય’ એ ભગવાન શિવના શક્તિશાળી મંત્રોમાંનો એક છે. મહાશિવરાત્રીના દિવસે આ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો. તેનાથી તમને માનસિક શાંતિ મળશે અને ભગવાન શિવ તમારા પર તેમના આશીર્વાદ વરસાવશે.

Mahashivratri 2026: મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા કરવાથી તે પ્રસન્ન થાય છે અને શીઘ્ર શુભ ફળ આપે છે. નોકરી કે કરિયરમાં પ્રગતિ માટે યુવાનોએ આ દિવસે મંત્રનો જાપ કરવો જોઈએ.
ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 15 ફેબ્રુઆરી રવિવાર 2026ના રોજ ઉજવવામાં આવશે. ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે આ દિવસ ખૂબ જ અવસર મનાય છે.
જ્યોતિષ અનીશ વ્યાસ અનુસાર, તમે આ દિવસે ભગવાન શિવના કેટલાક વિશેષ મંત્રોનો જાપ પણ કરી શકો છો. આ મંત્રોના જાપ કરવાથી નોકરી, શિક્ષણ કે કરિયર વગેરે સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. તેથી, ખાસ કરીને યુવાનોએ મહાશિવરાત્રિ પર આ મંત્રોનો જાપ કરવો જોઈએ.
મહાશિવરાત્રિના દિવસે વિદ્યાર્થીઓએ 21 વાર ‘ઓમ ઐં હ્રીં સરસ્વત્યાય નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ. શિક્ષણની સાથે કારકિર્દીમાં સફળતા માટે તમે આ મંત્રનો જાપ કરી શકો છો.
‘ઓમ નમઃ શિવાય’ એ ભગવાન શિવના શક્તિશાળી મંત્રોમાંનો એક છે. મહાશિવરાત્રીના દિવસે આ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો. તેનાથી તમને માનસિક શાંતિ મળશે અને ભગવાન શિવ તમારા પર તેમના આશીર્વાદ વરસાવશે.
‘ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ’ને ભગવાન શિવનો રુદ્ર મંત્ર પણ કહેવામાં આવે છે. જો તમે મહાશિવરાત્રીના દિવસે આ મંત્રનો જાપ કરશો તો તમારી મનોકામના ચોક્કસથી પૂર્ણ થશે. આ મંત્ર મનોકામના પૂર્ણ કરવા માટે અસરકારક માનવામાં આવે છે.
પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે મહાશિવરાત્રિ પર મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરો. મંત્ર છે - ‘ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધી પુષ્ટિવર્ધનમ. ઉર્વરુકમિવ બન્ધનં મૃત્યુર્મુક્ષિયા મમૃતાત્
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.




















