![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
શનિ પનોતી 2022: આ બે રાશિના જાતક થઇ જાવ સાવધાન, શરૂ થનાર છે આપ પર શનિની પનોતી
શનિ સાડા સાતીની જેમ શનિ પનોતી પણ લોકોના જીવનને પ્રભાવિત કરે છે. આ દરમિયાન દરેક કામમાં અડચણોનો સામનો કરવો પડે છે. સખત મહેનત પછી જ સફળતા મળે છે.
![શનિ પનોતી 2022: આ બે રાશિના જાતક થઇ જાવ સાવધાન, શરૂ થનાર છે આપ પર શનિની પનોતી People of these two zodiac signs should be careful shani dhaiya is about to start on you શનિ પનોતી 2022: આ બે રાશિના જાતક થઇ જાવ સાવધાન, શરૂ થનાર છે આપ પર શનિની પનોતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/11/610d63842d946702858715713fec0067_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
શનિ પનોતી 2022: શનિ સાડા સાતીની જેમ શનિ પનોતી પણ લોકોના જીવનને પ્રભાવિત કરે છે. આ દરમિયાન દરેક કામમાં અડચણોનો સામનો કરવો પડે છે. સખત મહેનત પછી જ સફળતા મળે છે.
શનિનું નામ સાંભળતા જ લોકોના મનમાં ડર આવી જાય છે. મોટાભાગના લોકો માને છે કે શનિ માત્ર ખરાબ પરિણામ આપે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવું કહેવું બિલકુલ યોગ્ય નથી. કારણ કે શનિ કર્મનો દાતા છે. તેઓ લોકોને તેમના કર્મ પ્રમાણે ફળ આપે છે. એટલે કે સારા કર્મોનું સારું પરિણામ અને ખરાબ કર્મોનું ખરાબ પરિણામ. એવું કહેવાય છે કે જે વ્યક્તિની કુંડળીમાં શનિ મજબૂત સ્થિતિમાં હોય છે તેને જીવનના તમામ સુખ મળે છે. આવી વ્યક્તિ કરિયરમાં ખૂબ જ ઝડપથી આગળ વધે છે., જેની કુંડળીમાં શનિ નબળી સ્થિતિમાં છે. આવા લોકોને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જાણો કઇ રાશિના લોકોને આ વર્ષે શનિની પનોતી શરૂ થશે.
હાલમાં શનિ મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આ દરમિયાન મિથુન અને તુલા રાશિ માટે શનિની પનોતી ચાલી રહી છે. 29 એપ્રિલથી શનિ કુંભ રાશિમાં ગોચર શરૂ કરશે. મિથુન અને તુલા રાશિના જાતકોને આ રાશિમાં શનિનું ગોચર શરૂ થતાં જ શનિ પનોતીથી મુક્તિ મળશે. બીજી તરફ કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો તેની પકડમાં રહેશે. શનિની પનોતીનો સમયગાળો અઢી વર્ષનો હોય છે.
29 એપ્રિલથી જ્યાં કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર શનિની સાડાસાતી રહેશે, જ્યારે મીન રાશિના લોકો પર શનિ સાડા સતી રહેશે. જો કે આ સમયગાળા દરમિયાન ધનુ રાશિના લોકોને સાડા સાત વર્ષ પછી શનિની મહાદશામાંથી મુક્તિ મળશે. તેથી, ધનુ રાશિના જાતકો માટે આ સંક્રમણ ખૂબ જ વિશેષ રહેશે. 2022 માં, મીન સિવાય, મકર અને કુંભ રાશિના લોકો પણ શનિદેવની સાડાસાતી રહેશે. જેમાં તેનો છેલ્લો તબક્કો મકર રાશિના લોકો પર શરૂ થશે અને બીજો તબક્કો કુંભ રાશિના લોકો પર શરૂ થશે.
આપને જણાવી દઈએ કે શનિદેવ સાડાસાતીના ત્રણ તબક્કા છે, જેમાં દરેક તબક્કાની અવધિ અઢી વર્ષ છે. વ્યક્તિએ તેના પ્રથમ તબક્કામાં માનસિક અને નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો બીજા તબક્કામાં, માનસિક, આર્થિક, શારીરિક કષ્ટોનો પણ સામનો કરવો પડે છે અને ત્રીજા તબક્કામાં, કષ્ટો થોડા ઓછા થવા લાગે છે. આ તબક્કામાં શનિદેવ વ્યક્તિને પોતાની ભૂલ સુધારીને સાચી દિશામાં આગળ વધવાનો માર્ગ બતાવે છે. ઉતરતી સાડા સાતી વખતે થોડો લાભ મળવાની પણ શક્યતાઓ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)