શોધખોળ કરો

Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી ક્યારે? જાણો સ્થાપનનું શુભ મુહૂર્ત અને વિધિ

Ganesh Chaturthi 2024: ગણેશજીને સમૃદ્ધિના અને બુદ્ધિના દેવતા માને જાય છે. ગણેશ ચતુર્થીથી ગણેશ ઉત્સવ ((Ganesh utsav)ની શરૂઆત થાય છે. તો જાણીએ ક્યારે છે ગણેશ ચતુર્થી

Ganesh Chaturthi 2024: દર વર્ષે ગૌરીના પુત્ર ગણેશ ભક્તોની વચ્ચે 10 દિવસ માટે કૈલાસથી પૃથ્વી પર આવે છે અને તેમના કષ્ટો દૂર કરે છે. આ દિવસો ગણેશ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે.

 ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે, આ દિવસે ભગવાન ગણેશ દરેક ઘરમાં બિરાજમાન હોય છે. મોટા પંડાલોમાં ગણપતિની મૂર્તિની સ્થાપના કરીને ટેબ્લો શણગારવામાં આવે છે. 2024 માં ગણેશ ચતુર્થી ક્યારે છે?  જાણીએ  તારીખ, સ્થાન મુહૂર્ત અહીં જાણો.

ગણેશ ચતુર્થી ક્યારે છે(Ganesh Chaturthi 2024 Date)

આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર 2024ના રોજ છે. આ દિવસથી 10 દિવસીય ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. તે 17 સપ્ટેમ્બર 2024 ના રોજ અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થશે. આ દિવસે બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે અને તેમને વિદાય આપવામાં આવે છે.

ગણેશ ચતુર્થી 2024માં સ્થાપનનું શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર, ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બર 2024 ના રોજ બપોરે 03:01 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 7 સપ્ટેમ્બર 2024 ના રોજ સાંજે 05:37 વાગ્યે સમાપ્ત થશે.

મધ્યાહન ગણેશ પૂજા મુહૂર્ત - 11:10 am - 01:39 pm (02 કલાક 29 મિનિટ)

ગણેશ વિસર્જન - 17 સપ્ટેમ્બર 2024

પ્રતિબંધિત ચંદ્ર દર્શનનો સમય - 09:28 am - 08:59 pm

આ શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશને પૂરા આદર, આનંદ અને  વાજતે ગાજતે  તમારા ઘરમાં લાવો અને વિધિ પ્રમાણે તેમની પૂજા કરો.

10 દિવસ ગણેશ ઉત્સવ કેમ મનાવાય છે?

પુરાણો અનુસાર, ભગવાન શંકર અને માતા પાર્વતીના પુત્ર ભગવાન ગણપતિની જન્મજયંતિને ગણેશ ચતુર્થીના દિવસે ઉજવવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ગણેશ ઉત્સવ દરમિયાન 10 દિવસ સુધી યોગ્ય રીતે બાપ્પાની પૂજા કરે તો તેના તમામ કાર્યો સિદ્ધ થાય છે. એક પૌરાણિક કથા અનુસાર, મહર્ષિ વેદવ્યાસજીએ મહાભારતની રચના માટે ભગવાન ગણેશનું આહ્વાન કર્યું હતું.

વ્યાસ જી શ્લોકો પાઠ કરતા રહ્યા અને ગણપતિજી 10 દિવસ રોકાયા વિના મહાભારતનું પ્રતિક્રમણ કરતા રહ્યા. દસ દિવસમાં ભગવાન ગણેશ પર ધૂળનું એક થર સ્થિર થઈ ગયું. 10 દિવસ પછી એટલે કે અનંત ચતુર્દશીના દિવસે, બાપ્પાએ સરસ્વતી નદીમાં સ્નાન કરીને પોતાની જાતને સાફ કરી, ત્યારપછી દસ દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવવાનું શરૂ થયું.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતા પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget