Ganesh Chaturthi 2025: વિઘ્નહર્તાનો પ્રિય ભોગ લાડુ કેમ છે ? જાણો આ શું છે રોચક ગાથા
Ganesh Chaturthi 2025: ભાદરવાની શુક્લપક્ષની ચુર્તર્થીને ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે, આ વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ બુધવારના રોજ છે. ત્યારે આ અવસરે જાણીએ ગણેશજીને મોદક કેમ પ્રિય ભોગ છે. શું છે રોચક ગાથા

Ganesh Chaturthi 2025:ગણેશ ચતુર્થી આવતા જ દરેક ઘરમાં મોદક બનવાનું શરૂ થઈ જાય છે. આ દિવસોમાં દરેક લોકો ગણપતિ બાપ્પાના સ્વાગતની તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે ગણપતિજીને માત્ર મોદક જ કેમ ચઢાવવામાં આવે છે? જેમ આપણે બધાને કંઇને કંઇ પ્રિય હોય છે, તેવી જ રીતે ભગવાન ગણેશને મોદક પ્રિય છે. તેની પાછળ એક દિલચશ્ય કહાણી છે. જાણીએ..
ગણેશજીને કેમ પસંદ છે મોદક?
એવું કહેવાય છે કે, ભગવાન ગણેશને મોદક પસંદ કરવા પાછળનું કારણ એ છે કે, તેમના દાંત તૂટી ગયા હતા . પરશુરામ સાથે યુ્ધ્ધ કરતા આવું બન્યું હતું. દાંત તુટી જતાં તેમને સખત વસ્તુઓ ખાવામાં ઘણી તકલીફ પડતી હતી. મોદક ખૂબ જ નરમ હોય છે અને તે ખાવામાં ખૂબ જ સરળ હોય છે, તેથી ગણપતિ બાપ્પાને મોદક ખૂબ જ ગમે છે. આ જ કારણ છે કે ભગવાન ગણેશને મોદકનો ભોગ અર્પણ કરવામાં આવે છે.
એક કહાણી આ પણ છે
ભગવાન ગણેશને મોદક ખૂબ જ પસંદ હતા અને તેની પાછળ એક અન્ય કથા પણ છે. કહેવાય છે કે એક વખત ભગવાન શિવ સૂતા હતા અને ગણેશજી તેમની રક્ષા કરી રહ્યા હતા. આ દરમિયાન પરશુરામ ત્યાં પહોંચી ગયા પરંતુ ગણેશજીએ તેમને રોક્યા.તો પરશુરામ ક્રોધે ભરાયા અને ગણેશજી સાથે યુદ્ન કર્યું આ દરમિયાન એક દાંત તૂટી ગયો. . તૂટેલા દાંતને કારણે તેને સખત વસ્તુઓ ખાવામાં ઘણી તકલીફ પડતી હતી. મોદક ખૂબ જ નરમ હોય છે અને તે ખાવામાં ખૂબ જ સરળ હોય છે, તેથી ગણપતિ બાપ્પાને મોદક ખૂબ જ ગમે છે. આ જ કારણ છે કે ભગવાન ગણેશને મોદકનો ભોગ અર્પણ કરવામાં આવે છે.
Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો




















