શોધખોળ કરો

મોરારી બાપુએ મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લીધો

મોરારી બાપુએ કહ્યું કે, “ભારત સરકારે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની જાહેરાત કરી છે. આ એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે અને આપણે બધાએ તેમાં પૂરા દિલથી યોગદાન આપવું જોઈએ.

મોરબી: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામચરિત માનસ ના પ્રચારક મોરારી બાપુ એ રવિવારે મોરબીમાં સ્વચ્છતા કાર્યક્રમમાં ભાગ લઈને ભારત સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સક્રિય યોગદાન આપ્યું હતું. મોરારીબાપુની રામકથા મોરબીમાં આવેલ કબીરધામ પાસે ઝૂલતાપૂલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષાર્થે ગઈકાલથી શરૂ થઈ હતી.

રવિવારે સવારે 10:00 કલાકે મોરબીમાં ચાલી રહેલી રામકથાના સ્થળે મોરારી બાપુ, કબીરધામના મહંત શિવરામદાસ બાપુ, સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિત અન્ય મહાનુભાવોએ ઉત્સાહભેર સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. આ રાષ્ટ્રીય ઝુંબેશમાં મોરારી બાપુની સહભાગિતાએ અસંખ્ય લોકોને સાવરણી ઉપાડવા અને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે ચોક્કસપણે પ્રેરણા આપી. મોરારીબાપુના શ્રમદાનને કારણે આજે કથા સવારે 10:00 વાગ્યાને બદલે 11:00 વાગ્યે શરૂ થઈ હતી.

સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવાની તેમની મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં, મોરારી બાપુએ એક દિવસ અગાઉ જાહેરાત કરી હતી કે આ રવિવારની રામકથા એક કલાક મોડી શરૂ થશે.

મોરારી બાપુએ કહ્યું કે, “ભારત સરકારે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની જાહેરાત કરી છે. આ એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે અને આપણે બધાએ તેમાં પૂરા દિલથી યોગદાન આપવું જોઈએ. વ્યાસપીઠ પણ પૂરા ઉત્સાહ સાથે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેશે. હું પણ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવાનો છું અને સ્વચ્છ ભારત બનાવવામાં યોગદાન આપવાનો છું. હું દરેકને આ પ્રયાસમાં જોડાવા અપીલ કરું છું.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતાના આહ્વાનના પરિણામ સ્વરૂપ 'કચરા મુક્ત ભારત' થીમ પર પખવાડિયા લાંબી સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ રવિવારે સરકારના મંત્રીઓ, અધિકારીઓ અને નાગરિકો દ્વારા વિવિધ સ્થળોએ સ્વચ્છતા ઝુંબેશમાં નાગરિકોની આગેવાની હેઠળ એક કલાક સુધી ચાલતા "સ્વચ્છતા માટે શ્રમદાન” માં ભાગ લેતા સાથે પૂર્ણ થયું હતું. એકતા અને મક્કમતાનું પ્રદર્શન કરીને અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલથી પ્રેરણા લઈને 14 દિવસમાં 32 કરોડથી વધુ દેશવાસીઓએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો.

(Disclaimer: ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.)

વધુ વાંચો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
Embed widget