શોધખોળ કરો

પૂજ્ય મોરારી બાપૂ અયોધ્યામાં રામ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના પ્રચારક પૂજ્ય મોરારી બાપૂ સોમવારે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

અયોધ્યાઃ જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના પ્રચારક પૂજ્ય મોરારી બાપૂ સોમવારે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ શુભ પ્રસંગે દેશભરના પ્રમુખ સંતો અને સાધુ મહાત્મા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ ઐતિહાસિક સમારોહ ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે કારણકે પવિત્ર શહેર અયોધ્યામાં સમગ્ર દેશવાસીઓનું સપનું આજે સાકાર થયું હતું અને શહેર તેનું સાક્ષી બન્યું હતું.

આજે યોજાયેલા કાર્યક્રમમાં પ્રભુ શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ હતી. તે પહેલાં રામલલ્લાની મૂર્તિ ઉપર દૂધનો અભિષેક કરવા સહિત ઘણી વિધિ કરાઇ હતી.


પૂજ્ય મોરારી બાપૂ અયોધ્યામાં રામ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

આ સમગ્ર કાર્યક્રમનો પ્રારંભ 16 જાન્યુઆરીએથી શરૂ થયો હતો તથા આજે 12.15થી 12.45 દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂજા કરી હતી, જે પ્રસંગે ટોચના રાજકારણીઓ, ફિલ્મ હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને બીજા મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યારબાદ મૂર્તિને ગર્ભ ગૃહમાં સ્થાપિત કરાઇ હતી. મૂર્તિની સામે અરિસો મૂકાયો હતો તથા તેની આંખો ઉપર કાજલ લગાવવામાં આવ્યું હતું.

પ્રભુ શ્રીરામ અને તેમના ઉપદેશોના પ્રસારમાં જીવનના 64 વર્ષ સમર્પિત કરનાર પૂજ્ય મોરારી બાપૂએ વિશ્વભરમાં 930 રામકથા યોજી છે તથા આ શુભ સમારોહમાં એકતા, શાંતિ અને ભક્તિનો સંદેશ લઇને આવ્યાં હતાં.

આ પવિત્ર સમારોહનો હિસ્સો બનવા બદલ પૂજ્ય બાપૂએ ખુશી અને સન્માનની લાગણી વ્યક્ત કરી હતી તેમજ પ્રભુ શ્રીરામના પ્રતીક એવાં પ્રેમ, કરૂણા અને ધર્મના ગુણો ઉપર ભાર મૂક્યો હતો.

આ પહેલાં મોરારી બાપૂએ કહ્યું હતું કે તેઓ શ્રી ચિત્રકૂટધામ તલગજરડા અને વિશ્વભરમાં રામકથાના શ્રોતાઓના પ્રતિનિધિ તરીકે રામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે.

પૂજ્ય મોરારી બાપૂએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજનો કાર્યક્રમ એક શુભ શરૂઆત છે અને તેઓ ભારતના ઉજ્જવળ ભવિષ્યની કલ્પના કરે છે, જે વિશ્વ માટે માર્ગદર્શન બની રહેશે. તેમણે આ પવિત્ર કાર્યક્રમને વિશ્વ માટે ત્રેતા યુગના અગ્રદૂત તરીકે વર્ણવ્યું હતું. 

મહત્વપૂર્ણ છે કે પૂજ્ય બાપૂએ ઉત્તર પ્રદેશના શ્રાવસ્તીમાં રામકથા પૂર્ણ કર્યાં બાદ રવિવાર બપોરે અયોધ્યા પહોંચ્યાં હતાં. રામ મંદિર ચળવળનું નેતૃત્વ કરનાર સંગઠન રામ જન્મભૂમિ ન્યાસના આમંત્રણ ઉપર તેઓ 24 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન અયોધ્યામાં આગામી રામકથામાં માનસ રામ મંદિર વિશે વાત કરશે.

(Disclaimer: ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.)
 
 
 
 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran US War: મોતના મુખમાંથી પાયલટને બચાવી લાવી અમેરિકી આર્મી, જાણો ઈરાનમાં ભીષણ ગોળીબાર વચ્ચે કેવી રીતે કર્યું રેસ્ક્યૂ?
Iran US War: મોતના મુખમાંથી પાયલટને બચાવી લાવી અમેરિકી આર્મી, જાણો ઈરાનમાં ભીષણ ગોળીબાર વચ્ચે કેવી રીતે કર્યું રેસ્ક્યૂ?
અમદાવાદમાં 5 ટર્મથી કોર્પોરેટર રહેલા ઈકબાલ શેખે હાથનો સાથ છોડ્યો, ગીર સોમનાથમાં BJP ના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા
અમદાવાદમાં 5 ટર્મથી કોર્પોરેટર રહેલા ઈકબાલ શેખે હાથનો સાથ છોડ્યો, ગીર સોમનાથમાં BJP ના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા
US-Iran Conflict: અમેરિકાએ ઈરાન પર કર્યો ઘાતક હુમલો; ઈરાની કમાન્ડર ઠાર, ખાડી દેશોમાં વધ્યો તણાવ
US-Iran Conflict: અમેરિકાએ ઈરાન પર કર્યો ઘાતક હુમલો; ઈરાની કમાન્ડર ઠાર, ખાડી દેશોમાં વધ્યો તણાવ
અમેરિકામાં ઉથલપાથળ! ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાના ચક્કરમાં પોતાના ઘરમાં જ ઘેરાયા ટ્ર્મ્પ, શું જોખમમાં છે ખુરશી?
અમેરિકામાં ઉથલપાથળ! ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાના ચક્કરમાં પોતાના ઘરમાં જ ઘેરાયા ટ્ર્મ્પ, શું જોખમમાં છે ખુરશી?
ખોટો Email મોકલાય જાય તો નો ટેન્શન, Gmail ની આ ટ્રીક સેકન્ડોમાં કરી દેશે Undo, જાણો કેવી રીતે
ખોટો Email મોકલાય જાય તો નો ટેન્શન, Gmail ની આ ટ્રીક સેકન્ડોમાં કરી દેશે Undo, જાણો કેવી રીતે
Who is Ashok Sharma: કોણ છે અશોક શર્મા? જેણે IPL 2026 માં 154.2 કિમીની ઝડપે બોલ ફેંકીને સૌને ચોંકાવ્યા
Who is Ashok Sharma: કોણ છે અશોક શર્મા? જેણે IPL 2026 માં 154.2 કિમીની ઝડપે બોલ ફેંકીને સૌને ચોંકાવ્યા
PAK Threat to India: પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ભારતના આ શહેર પર હુમલાની આપી ધમકી
PAK Threat to India: પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ભારતના આ શહેર પર હુમલાની આપી ધમકી
Ather Rizta થી લઈને Suzuki E Access સુધી, રોજ અપડાઉન કરતા લોકો માટે બેસ્ટ છે આ ઇલેક્ટ્રિક સ્કૂટર
Ather Rizta થી લઈને Suzuki E Access સુધી, રોજ અપડાઉન કરતા લોકો માટે બેસ્ટ છે આ ઇલેક્ટ્રિક સ્કૂટર
Embed widget