8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
vb-g ram g scheme details: કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવવા માટે ગુજરાત કોંગ્રેસે કમર કસી છે.

vb-g ram g scheme details: કેન્દ્ર સરકારે ગ્રામીણ રોજગાર માટેની જૂની MGNREGA યોજનામાં ધરમૂળથી ફેરફાર કરી તેને નવા નામ અને માળખા સાથે લાગુ કરી છે. જોકે, આ નવા ફેરફારો સામે વિપક્ષ (Opposition) આક્રમક મૂડમાં છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે સરકારની નવી નીતિ સામે બાંયો ચડાવી છે અને આગામી 8 જાન્યુઆરીથી રાજ્યભરમાં 'મનરેગા બચાવો કાર્યક્રમ' શરૂ કરવાની જાહેરાત કરી છે. નવી યોજનામાં રોજગારીના દિવસો વધ્યા છે, પરંતુ ફંડિંગ પેટર્ન (Funding Pattern) બદલાતા વિવાદ સર્જાયો છે.
કોંગ્રેસનો આક્રમક એક્શન પ્લાન: 50 દિવસનું આંદોલન
કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવવા માટે ગુજરાત કોંગ્રેસે કમર કસી છે. પ્રદેશ નેતૃત્વ દ્વારા 8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધીના લાંબા આંદોલનનો રોડમેપ જાહેર કરવામાં આવ્યો છે. આ વિરોધ પ્રદર્શન (Protest) માં ગ્રામ પંચાયતથી લઈને કલેક્ટર કચેરી સુધીના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
કોંગ્રેસના કાર્યક્રમની રૂપરેખા:
8 જાન્યુઆરી: પ્રદેશ સ્તરે બેઠક યોજીને રણનીતિ નક્કી કરાશે.
10 જાન્યુઆરી: તમામ જિલ્લા મથકો પર પ્રેસ કોન્ફરન્સ યોજાશે.
11 જાન્યુઆરી: દરેક જિલ્લા મથકે પ્રતિકાત્મક ઉપવાસ અને ધરણા યોજાશે.
12 થી 29 જાન્યુઆરી: ગ્રામ પંચાયત સ્તરે 'જનસંપર્ક અભિયાન' ચલાવવામાં આવશે.
30 જાન્યુઆરી: તમામ વોર્ડમાં શાંતિપૂર્ણ ધરણા.
31 જાન્યુઆરી થી 6 ફેબ્રુઆરી: જિલ્લા કલેક્ટર કચેરીએ ધરણા અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ.
16 થી 25 ફેબ્રુઆરી: રાજ્યના તમામ ઝોનમાં વિશાળ રેલી અને જનસભા યોજાશે.
શું છે નવી 'VB G RAM G' યોજના?
ડિસેમ્બર 2025 માં કેન્દ્ર સરકારે જૂના કાયદામાં ફેરફાર કરીને નવો કાયદો "વિકસિત ભારત–ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)" (VB G RAM G) અમલમાં મૂક્યો છે. આ યોજનાનો મુખ્ય હેતુ 2047 સુધીમાં વિકસિત ભારત (Developed India) ના લક્ષ્યને હાંસલ કરવાનો છે. હવે જૂની MGNREGA યોજનાનું સ્થાન આ નવા એક્ટ દ્વારા લેવામાં આવ્યું છે.
રોજગારીના દિવસો વધ્યા: 100 થી 125 દિવસ
ગ્રામીણ શ્રમિકો માટે એક સારા સમાચાર એ છે કે નવી યોજના હેઠળ રોજગારીની ગેરંટી વધારવામાં આવી છે. અત્યાર સુધી એક નાણાકીય વર્ષમાં 100 દિવસની રોજગારી મળતી હતી, જે વધારીને હવે 125 દિવસ (125 Days) કરવામાં આવી છે. આ ફેરફારથી ગ્રામીણ અર્થતંત્ર (Rural Economy) મજબૂત થશે અને શ્રમિકોની આવકમાં વધારો થશે તેવો સરકારનો દાવો છે.
વિવાદનું મૂળ: ખર્ચનો બોજ હવે રાજ્યો પર
નવી યોજનામાં સૌથી મોટો વિવાદ નાણાકીય જોગવાઈ (Financial Provision) ને લઈને છે. અગાઉની મનરેગા યોજનામાં મજૂરીનો 100% ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવતી હતી. પરંતુ નવા VB G RAM G એક્ટ મુજબ, ગુજરાત જેવા સામાન્ય રાજ્યો માટે આ રેશિયો બદલીને 60:40 કરી દેવામાં આવ્યો છે.
એટલે કે, હવે વેતન અને મટિરિયલના કુલ ખર્ચના 40% (40 Percent) રાજ્ય સરકારે ભોગવવા પડશે.
માત્ર પૂર્વોત્તર અને પહાડી રાજ્યો માટે જ કેન્દ્ર 90% અને રાજ્ય 10% નો હિસ્સો આપશે. કોંગ્રેસનો આક્ષેપ છે કે આનાથી રાજ્ય સરકારો પર આર્થિક બોજ વધશે અને આખરે ગરીબોને નુકસાન થશે.





















