શોધખોળ કરો

સુરતની એસપીબી કૉલેજમાં વિરલ દેસાઈનું પર્યાવરણ સંરક્ષણ વિષયક વ્યક્તવ્ય યોજાયું

ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ સુરતની એસપીબી કૉલેજમાં પોતાના પુસ્તક 'આર્કિટેક્ટ ઑફ અમૃતપથ' સંદર્ભે વક્તવ્ય આપ્યું હતું.

સુરત (ગુજરાત)[ભારત], 28 જુલાઈ: ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ સુરતની એસપીબી કૉલેજમાં પોતાના પુસ્તક 'આર્કિટેક્ટ ઑફ અમૃતપથ' સંદર્ભે વક્તવ્ય આપ્યું હતું, જેમાં કૉલેજના એનએસએસના 100થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 
કૉલેજના આચાર્ય ડૉ. વી.ડી નાયકના પ્રમુખ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વિરલ દેસાઈએ ભારત સરકાર દ્વારા પાછલા દસ વર્ષમાં આદરવામાં આવેલા પર્યાવરણીય કાર્યો વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. આ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે  'વિશ્વના મીડિયામાં એવું જ દર્શાવાય છે કે ભારત એટલે માત્ર પ્રદૂષણનો દેશ. અથવા તો કાર્બન ઉત્સર્જન માટે જાણે ભારત જ જવાબદાર હોય એમ મીડિયામાં આપણું ચિત્રણ થાય છે. પરંતુ ભારત જ એકમાત્ર એવો દેશ છે, જે હજુ પેરીસ કરારને વળગી રહ્યો છે.'

વિદ્યાર્થીઓ સમક્ષ આ વાતને વધુ વિસ્તારથી રજૂ કરતા તેમણે જણાવ્યું હતું કે, 'ભારત સરકાર દ્વારા પાછલા દસ વર્ષોમાં અનેક એવા પર્યાવરણીય કાર્યો કરવામાં આવ્યા છે, જે કાર્યો આંતરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરી શકે છે. આ કાર્યોમાં આપણે મિશન લાઈફ, નમામિ ગંગે કે બિગ કેટ્સ અલાયન્સ જેવા અત્યંત મહત્ત્વના કાર્યોનો સમાવેશ કરી શકએ છીએ.' 


સુરતની એસપીબી કૉલેજમાં વિરલ દેસાઈનું પર્યાવરણ સંરક્ષણ વિષયક વ્યક્તવ્ય યોજાયું

તેમના વક્તવ્ય દરમિયાન વિરલ દેસાઈએ વિદ્યાર્થીઓ સમક્ષ પર્યાવરણ સંરક્ષણને લગતા કેટલાક ફેક્ટ્સ પણ રજૂ કર્યા હતા. તો એસપીબી કૉલેજ સાથેના પોતાના વિદ્યાર્થીકાળના સંસ્મરણો રજૂ કરીને કૉલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં એનએસએસના કૉઑર્ડિનેટર ડૉ. સુનિલ રાજાણી તેમજ ડૉ. ફરિદાબેન માંડવીવાળા હાજર રહ્યા હતા.

વધુ વાંચો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
Christmas: ક્રિસમસ પર ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં થયા સામેલ
Christmas: ક્રિસમસ પર ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં થયા સામેલ
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
Embed widget