નાણા મંત્રાલયે સીબીડીટીને સ્પષ્ટ રીતે કહ્યુ છે કે, પ્રાથમિક તપાસ બાદ જ નોટબંધી દરમિયાન બે લાખ રૂપિયાથી વધુ રકમ જમા કરાવનારને મેસેજ કે ઇ-મેઇલ મોકલવામાં આવે. ઉલ્લેખનીય છે કે આઇટી વિભાગે નોટબંધી બાદ ૧૮ લાખ લોકો દ્વારા બેંક ખાતાઓમાં ૪.પ લાખ કરોડથી વધુના શંકાસ્પદ ખાતાઓની તપાસ કરી હતી.
4/8
આઇટી વિભાગને આ પ્રકારના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ બ્લેકમનીને વ્હાઇટ કરવા ઉપયોગ થયો હોવાની આશંકા છે. તે સિવાય આવા બેન્ક એકાઉન્ટના બે વર્ષના ટ્રાજેક્શન પર તપાસ કરવામાં આવશે જેથી આ ખાતામાં કેટલી લેવડ-દેવડ થઇ છે તે જાણી શકાશે.
5/8
આઇટી વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે, સરકારની આ જાહેરાત બાદ આઇટી વિભાગના રડારમાં ના આવવા માટે લોકોએ અઢી લાખથી ઓછીની રકમ જમા કરાવી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે હવે આ બધા બેંક એકાઉન્ટમાં જમા રકમ અને તેઓની આવકના સ્ત્રોતને ચેક કરવામાં આવશે. અને જો કોઇ ગરબડ લાગશે તો તેઓને નોટિસ આપવામાં આવશે.
6/8
જોકે, અગાઉ સરકારે કહ્યુ હતુ કે, નોટબંધી દરમિયાનના એવા બેંક ખાતાની તપાસ કરવામાં આવશે અને એવા લોકોની આવકનો હિસાબ-કિતાબ માંગવામાં આવશે જેમણે પોતાના સેવિંગ બેંક એકાઉન્ટમાં અઢી લાખ કે તેથી વધુની રકમ જમા કરાવી હોય પરંતુ હવે આયકર વિભાગ બે લાખ જમા કરાવનાર લોકોને મેસેજ મોકલી હિસાબ-કિતાબ માંગવાની તૈયારી કરી રહ્યુ છે.
7/8
એક રિપોર્ટ પ્રમાણે, બેન્ક એકાઉન્ટ્સની તપાસ દરમિયાન આઇટી વિભાગને ચોંકાવનારા આંકડાઓ પ્રાપ્ત થયા છે. તે અનુસાર, એક કરોડ બેન્ક એકાઉન્ટમાં બે લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. આ રકમનો આંકડો 10 લાખ કરોડ રૂપિયા થવા જાય છે.
8/8
અમદાવાદઃ નોટબંધી દરમિયાન પોતાના બેન્ક ખાતામાં બે લાખ રૂપિયા કે તેનાથી વધુ રૂપિયા જમા કરાવ્યા હોય તેવા લોકોને ઇન્કટેક્સ વિભાગ મેસેજ અને ઇમેઇલ મોકલીને આવકના સ્ત્રોતનો હિસાબ માંગી શકે છે. આ અગાઉ સરકારે કહ્યું હતું કે, નોટબંધી દરમિયાન અઢી લાખથી ઓછી રકમ જમા કરાવનારા લોકોની કોઇ પૂછપરછ કરવામાં આવશે નહીં.