શોધખોળ કરો
રિલાયન્સ Jioનો આરોપ, એરટેલ નેટવર્ક પર રોજ થઈ રહ્યા છે 2 કરોડ કોલ ડ્રોપ
1/6

મોબાઈલ નંબર પોર્ટેબિલિટીઃ રિલાયન્સ જિઓએ એક અન્ય આરોપ લગાવ્યો છે કે, એરટેલ પાયાવિહોણા અને કોઈપણ કારણો વગર પોતાના ગ્રાહકોને જિઓના નેટવર્કમાં આવતા એટલેકે મોબાઈલ નંબર પોર્ટેબિલિટીથી રોકી રહી છે. મોબાઈલ નંબર પોર્ટેબિલિટી ગ્રાહકોને પોતાનો નંબર બદલ્યા વગર એક નેટવર્કમાંથી બીજા નેટવર્ક પર જવાની સુવિધા આપે છે. ગ્રાહક જો ઇચ્છે તો પોતાની હાલની સેવાથી સંતુષ્ટ ન હોવા પર અમુક ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ અન્ય કંપનીઓની સેવામાં સામેલ થઈ શકે છે. આ આરોપ પર એરટેલે વળતો જવાબ આપ્યો હતો કે, મોબાઈલ નંબર પોર્ટેબિલિટીને લઈને તમામ અરજી પર દિશાનિર્દેશો અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. હજારોની સંખ્યામાં દરરોજ અન્ય નેટવર્કના ગ્રાહકો એક બીજાના નેટવર્ક પર આવતા અને જતા રહે છે, માટે પોર્ટેબિલિટીની 69 અરજીઓ રોકી રાખવા માટે જિઓના આરોપોમાં કોઈ દમ નથી.
2/6

જિઓના નિવેદન પર વળતો પ્રહાર કરતાં એરટેલે ગ્રાહકોને થનારી મુશ્કેલી માટે જિઓને જ જવાબદર ઠેરવ્યા છે. એરટેલ અનુસાર એવું લાગે છે કે જિઓ સતત નિવેદનબાજી કરીને પોતાના નેટવર્કની ટેકનીકલી ખામીઓને છૂપાવવાનો પ્રયત્ન કરી રહી છે. આ ખામીઓમાં સુધારો કરવાની જગ્યાએ સતત અન્ય ટેલીકોમ કંપનીઓ પર આરોપ લગાવી રહી છે. એરટેલે એ પણ કહ્યું કે, કોલ ડ્રોપ અથવા વીઓએલટીઆઈ (VoLTE : Voice over Long-Term Evolution)માં સ્થાયિત્વ જેવા મુદ્દાને ઇન્ટરકનેક્શન પોઈન્ટ મુદ્દાથી ઢાંકવાનો પ્રયત્ન ન થવો જોઈએ.
Published at : 19 Sep 2016 07:22 AM (IST)
View More





















