કેન્દ્ર સરકાર આ વ્યવસ્થા ત્રણથી ચાર મહિનામાં લાગુ કરવા જઈ રહી છે. ઉડ્ડયન મંત્રી જયંતી સિંહાએ બુધવારે જણાવ્યું હતું કે ‘આગામી ૯૦થી ૧૨૦ દિવસ બાદ કોઈ વ્યક્તિ પાન, આધાર કે પાસપોર્ટ નંબર આપ્યા વગર એર ટિકિટ બુક નહીં કરાવી શકે. અમે અત્યારે એ જોઈ રહ્યા છીએ કે યુનિક આઇડી માટે સૌથી આસાન કયું આઇડી હોઈ શકે, જેનાથી મહત્તમ યાત્રી આ વ્યવસ્થા હેઠળ આવરી શકાય.’
2/2
નવી દિલ્હીઃ દેશમાં હવાઈ યાત્રા માટે ટૂંકમાં જ ટિકિટ બુક કરાવતા સમયે તમારે યૂનિક ઓળકની જાણકારી જેમ કે આધાર અથવા પાસપોર્ટ અથવા પાનકાર્ડ ફરજિયાત આપવા પડશે. હવાઈ યાત્રાને પેપરલેસ બનાવાના પ્રયત્નો અંતર્ગત સરકાર આ પગલું લેવા જઈ રહી છે. નાગરિક વિમાન ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિન્હાએ ગુરુવારે જણાવ્યું કે, મંત્રાલયની યોજના એર ટિકિટ બુકિંગ કરાવતા સમયે ડિજિટલ યૂનિક આઈડેન્ટીફિકેશનને ફરજિયાત કરવાની છે.