શોધખોળ કરો
રવિવારે પેટ્રોલ પંપ બંધ કરવા પર થશે યોગ્ય કાર્રવાઈ, સરકારની ડીલર્સને ચીમકી
1/4

ડીલર્સ સંગઠનના પ્રતિનિધિઓએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તેમનો નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પેટ્રોલ અને ડીઝલ બચાઓના આહ્વાનને અનુરુપ છે. પરંતુ તેની સાથે જ તેમણે એ પણ ખુલાસો કર્યો હતો કે આર્થિક રીતે તેમને કઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાંથી એક એ પણ હતું કે રવિવારની રજાના દિવસે કામ કરાવવા પર તેમને બે ગણી ચૂકવણી કરવી પડે છે.
2/4

આ નિર્ણય હરિયાણા, મહારાષ્ટર્, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, કેરળની સાથે કેન્દ્રશાસિત પુડુચેરીમાં લાગુ થવાનો છે. સૂત્ર અનુસાર અધિકારીએ કહ્યું કે, હાલમાં રાહ જોઈને એ જોવાનું રહેશે કે આ નિર્ણયની કેટલી અસર થશે, કારણ કે પેટ્રોલિયમ ઉત્પાદન જીવન જરૂરી વસ્તુ તરીકે વર્ગીકૃત છે અને જરૂરત પડ્યે જરૂરી વસ્તુ અધિનિયમ (ઈસીએ)નો ઉપયોગ થઈ શકે છે.
Published at : 20 Apr 2017 07:03 AM (IST)
View More























