શોધખોળ કરો
રિલાયન્સ Jioની સર્વિસ મેળવવાનો આ છે સૌથી સરળ રસ્તો
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 26 Sep 2016 02:38 PM (IST)
1/5

નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની સર્વિસ શરૂ થયા બાદ ગ્રાહકો તરફતી સૌથી વધારે ફરિયાદ સિમ ન મળવાને લઈને થઈ રહી છે. અમુક વિસ્તારમાં સિમ મળી પણ જાય તો એક્ટિવ થવામાં દિવસો નીકળી જાય છે. આવી સ્થિતિમાં રિલાયન્સ જિઓની સર્વિસ લેવાનો સૌથી સરળ રસ્તો છે કે તમે તમારા હાલના મોબાઈલ નંબરને જિઓ પર પોર્ટ કરાવી દો. તેના માટે ગ્રાહકોએ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી(એમએનપી)નો પ્રયોગ કરવાનો રહેશે. રિલાયન્સ જિઓને મુકેશ અંબાણીએ 5 સપ્ટેમ્બરે લોન્ચ કર્યું હતું. 31 ડિસેમ્બર સુધી 'જિયો વેલકમ ઓફર' અંતર્ગત જિઓની ડેટા, કોલ તમામ સર્વિસ ફ્રીમાં છે. બાદમાં પેક અનુસાર, ચાર્જ આપવાનો રહેશે. જિયો અંતર્ગત કોલિંગ સર્વિસ લાઈફ ટાઈમ ફ્રી છે.
2/5

સૌથી પહેલા તમારે પોતાના કરન્ટ ઓપરેટર પાસે એમએનપી માટે ટેકસ મેસેજ મોકલવાનો રહેશે. તેના માટે મેસેજ બોકસમાં PORT લખીને 1900 નંબર પર મોકલવાનો રહેશે. આ ફોર્મેટમાં એસએમએસ મોકલોઃ ફરીથી તેને 1900 પર સેન્ડ કરી દો. તેના માટે કોઈ પણ ચાર્જ નહીં લાગે. આ મેસેજને સેન્ડ કર્યા બાદ તમને યુનિક પોટિંગ કોડ(યુપીસી)નો એસએમએસ આવશે. આ કોડ 15 દિવસ માટે વેલિડ રહે છે. કસ્ટમર બાદમાં પોતાના નંબરને રિલાયન્સમાં પોર્ટ કરી શકે છે.
3/5

કસ્ટમર કોઈ પણ રિલાયન્સ મોબાઈલ સ્ટોરમાં જઈને કસ્ટમર એપ્લિકેશન ફોર્મ(સીએએફ) ભરે. મોબાઈલ સ્ટોર અથવા રિટેલરની પાસે આ ફોર્મની સાથે કેટલાક જરૂરી ડોકયુમેન્ટ જેવા કે એડ્રેસ પ્રુફ, આઈડેન્ટેટી પ્રુફ અને એક ફોટો આપવાનો રહેશે. આ પ્રોસેસને પુરી કર્યા બાદ રિલાયન્સ મોબાઈલ સ્ટોર અથવા રિટેલ તમને એક સીમ ઈસ્યુ કરશે. આ સીમ એક વખત એકટિવેટ થયા બાદ તમે જૂના નંબર પર જ રિલાયન્સ જિયોની સર્વિસનો લાભ લઈ શકશો.
4/5

રિલાયન્સ જિયો સિમને એકટીવેટ કરવામાં 7 દિવસ સુધીનો સમય લાગી શકે છે. નવું સિમ એકટીવેટ થયા બાદ જૂનુ સિમ ડિએકટીવેટ થઈ જશે. તેના માટે તમારે 19 રૂપિયા ફીસ આપવાની રહેશે.
5/5

નંબર પોર્ટ થયા બાદ સિમ એકટીવેટે થતા પહેલા ફોન બે કલાક માટે ડેડ થઈ શકે છે. આ સમય રાતના 10 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી હોઈ શકે છે. એક વાર તમારું સિમ નો સર્વિસ બતાડવા મડે પછી તમે નવું રિલાયન્સ જિયો સિમ લગાવી શકો છો. એ વાત પણ ધ્યાનમાં રાખો કે એક વાર જિઓમાં નંબર પોર્ટ કરાવ્યા બાદ તમે 90 દિવસ સુધી એમએનપી પોતાના જૂના ઓપરેટર અથવા કોઈ અન્યની પાસે નહીં કરાવી શકો. એજીએમમાં મુકેશ અંબાણીએ તમામ ઓપરેટર્સને અપીલ કરી હતી કે તે કસ્ટમરના એમએનપી અધિકારોને ન રોકે.
Published at : 26 Sep 2016 02:38 PM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
બિઝનેસ
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પણ કેમ પગાર ઓછો મળશે? જુઓ DA નું ગણિત
બિઝનેસ
સોના-ચાંદીના ભાવમાં રોકેટ ગતિ: એક જ દિવસમાં ચાંદી ₹8,500 ઉછળી, સોનું 2 સપ્તાહની ટોચે!
બિઝનેસ
ખાનગી કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન ₹1000 થી વધીને ₹7500 થશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ
બિઝનેસ
8th Pay Commission: 2.0 ફિટમેન્ટ ફેક્ટર રાખે તો કર્મચારીઓનો બેઝિક પગાર ડબલ થશે? જાણો ડિટેલ
ટ્રેન્ડિંગ સમાચાર






















