શોધખોળ કરો
નાગરિકતા વિવાદ પર ફસાયુ રાહુલ ગાંધીનુ નામાંકન, આજે કોર્ટ કરશે ફેંસલો
અમેઠી બેઠક પ 20 એપ્રિલે રાહુલ ગાંધીના નામાંકનની સ્ક્રૂટની થવાની હતી, આ દરમિયાન રિટર્નિંગ ઓફિસમાં સ્ક્રૂટનીની પ્રક્રિયા શરૂ થતાં જ રાહુલ ગાંધીના નામનો પોકાર કરવામાં આવ્યો હતો જેમાં પર ચાર લોકોએ આપત્તિ દર્શાવી નોંધાવી હતી

અમેઠીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે બેઠકો પર લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે અને આ બન્ને બેઠકો પર નામાંકન પર વિવાદ ઉભો થયો છે. ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક પર રાહુલ ગાંધીના નામાંકન પર આપત્તિ દર્શાવ્યા બાદ સ્ક્રૂટની ટાળી દેવામાં આવી હતી, જે આજે ફરીથી કરવામાં આવશે. વળી, કેરાલાની વાયનાડ બેઠક પર પણ રાહુલની પાસે બે પાસપોર્ટ હોવાના આરોપ લગાવતા ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે. આ બન્ને ઘટનાઓએ રાહુલ ગાંધીના નામાંકન પર મોટો વિવાદ પેદા કરી દીધો છે. અમેઠી બેઠક પ 20 એપ્રિલે રાહુલ ગાંધીના નામાંકનની સ્ક્રૂટની થવાની હતી, આ દરમિયાન રિટર્નિંગ ઓફિસમાં સ્ક્રૂટનીની પ્રક્રિયા શરૂ થતાં જ રાહુલ ગાંધીના નામનો પોકાર કરવામાં આવ્યો હતો જેમાં પર ચાર લોકોએ આપત્તિ દર્શાવી નોંધાવી હતી.
આમાં અપક્ષ ઉમેદવાર ધ્રુવ લાલે બ્રિટનમાં રજિસ્ટર્ડ કંપનીના દસ્તાવેજો બતાવતા દાવો કર્યો હતો કે આમાં રાહુલ ગાંધીને બ્રિટિશ નાગરિક બતાવવામાં આવ્યો છે. ધ્રુવ લાલના વકીલ રવિ પ્રકાશે દાવો કર્યો છે કે બ્રિટિશ કંપની છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે અને તેને નફો પણ કમાવ્યો છે, પણ સોગંદનામાં આવું કંઇજ નથી બતાવવામાં આવ્યુ. આ આરોપો પર બીજેપીએ પણ રાહુલ ગાંધીને સવાલ કર્યો અને નાગરિકતા પર સ્થિતિ સ્પષ્ટ કરવાની માંગ કરી છે.
આમાં અપક્ષ ઉમેદવાર ધ્રુવ લાલે બ્રિટનમાં રજિસ્ટર્ડ કંપનીના દસ્તાવેજો બતાવતા દાવો કર્યો હતો કે આમાં રાહુલ ગાંધીને બ્રિટિશ નાગરિક બતાવવામાં આવ્યો છે. ધ્રુવ લાલના વકીલ રવિ પ્રકાશે દાવો કર્યો છે કે બ્રિટિશ કંપની છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે અને તેને નફો પણ કમાવ્યો છે, પણ સોગંદનામાં આવું કંઇજ નથી બતાવવામાં આવ્યુ. આ આરોપો પર બીજેપીએ પણ રાહુલ ગાંધીને સવાલ કર્યો અને નાગરિકતા પર સ્થિતિ સ્પષ્ટ કરવાની માંગ કરી છે. વધુ વાંચો





















