શોધખોળ કરો
‘દંગલ’ને પાક.માં રીલિઝ કરવા તેમના સેંસર બોર્ડે મૂકી આ શરત, જાણો આમિરે લીધો આ નિર્ણય
1/4

સીમા પર તણાવના કારણે પાકિસ્તાને થોડા સમય પહેલા બોલીવુડ ફિલ્મોને પોતાના દેશમાં રીલિઝ ન કરવાનો નિર્ણય લીધો હતો. જો કે પછી આ બેનને પાછો પણ ખેંચી લેવામાં આવ્યો હતો. બોક્સ ઓફિસ પર સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ દંગલને પાકિસ્તાનમાં રીલિઝ નહિ કરવામાં આવે. જો કે આ નિર્ણય કોઈ રાજકારણી કે લોકોએ નહિ પણ આમિર ખાને લીધો છે.
2/4

ઉલ્લેખનીય છે કે દંગલ ફિલ્મ ભારતીય રેસલર ગીતા-બબીતા ફોગટ અને તેના પિતા મહાવીર ફોગટના જીવન પર આધારિત છે. ફિલ્મે 385 કરોડની કમાણી કરી છે. જે બે દ્રશ્યો પર પાક. સેંસર બોર્ડને આપત્તિ છે તે ફિલ્મના અંતમાં આવે છે. આમિર ખાનના પ્રવક્તાએ જણાવ્યું કે ખેલ આધારિત ફિલ્મમાં વિજેતા અને તેના જેશનું સન્માન થાય તે સ્વાભાવિક અને સારી નિયતથી કરવામાં આવ્યું છે. જો આ ફિલ્મ પાકિસ્તાનમાં રીલિઝ થઈ હોત તો તેણે 10-12 કરોડ રૂપિયા કમાયા હોત. જો કે હવે નહિ થાય અને પાઈરસી પણ થશે. પણ અમારે આ પગલું લેવું જ પડ્યું.
Published at : 07 Apr 2017 12:56 PM (IST)
View More























