Hun To Bolish : હું તો બોલીશ : ઑટોમેટિક ટોલનાકું
આજના દિવસે કેન્દ્ર સરકારે ગુજરાતને આપી મોટી ભેટ. સુરત જિલ્લાના ચોર્યાસીમાં દેશનું પ્રથમ માનવરહિત બેરિયર લેસ ટોલનાકાનો પ્રારંભ કરાયો છે.. NHAIના ટોલ કલેક્ટર વિભાગના CEO, સુરત વિભાગના NHAIના પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય યાદવની હાજરીમાં આ માનવરહિત બેરિયરલેસ ટોલનાકુ શરૂ કરવામાં આવ્યું છે.. તાઈવાનની કંપનીએ આ ટોલનાકુ ઉભું કર્યું.. આગામી બે વર્ષમાં સમગ્ર દેશમાં ફોર લેન કે પછી તેનાથી વધુ લેનના તમામ રોડ પર આ પ્રકારના માનવરહિત ટોલનાકા ઉભા કરવાનું આયોજન છે. માનવરહિત ટોલનાકાની વિશેષતાની વાત કરીએ તો ટોલનાકા પર લગાવવામાં આવેલા અત્યાધુનિક કેમેરા અને ફાસ્ટેગ રીડર 20 મીટર દુરથી 120 કિલોમીટરની સ્પીડે આવતા વાહનોને સ્કેન કરીને ફાસ્ટેગ રીડ કરી શકશે આ સિવાય ટોલનાકાની બંન્ને તરફ કેમેરા લગાવવામાં આવ્યા છે.. જેથી વાહનની પાછળ લગાવવામાં આવેલી નંબર પ્લેટ પણ સ્કેન કરશે.. એટલુ જ નહીં.. જો કોઈ વાહન પર ફાસ્ટેગ લગાવેલુ નહીં હોય તો રજિસ્ટર નંબર પ્લેટથી વાહન માલિકના નામે ઈ-ચલણ પણ જનરેટ થશે.. આ ઈ-ચલણ અગાઉથી વસુલતા ટોલટેક્સ જેટલુ જ હશે.. આ ઈ-ચલણ વાહન માલિકે 72 કલાકની અંદર ભરવાનું રહેશે.. જો 72 કલાકની અંદર ઈ-ચલણની ભરપાઈ નહીં કરવામાં આવે તો વાહન માલિકે બે ગણો ટેક્સ ભરવો પડશે.. હાલ સુધી ચોર્યાશી ટોલનાકા પર સ્થાનિક ખાનગી વાહનો માટે માસિક પાસની સુવિધા ઉપલબ્ધ હતી.. બેરિયર લેક ટોલબુથ પર પણ એ સુવિધા ચાલુ રહેશે.. જેમાં ખાનગી વાહન ચાલકે 350 રૂપિયાનો માસિક પાસ લેવાનો રહેશે.. જેમણે પહેલેથી જ વાર્ષિક પાસ લીધો હશે તે પાસ પણ આ બેરિયર લેસ ટોલબુથ પર માન્ય રહેશે.. બેરિયર સેલ ટોલનાકાથી વાહન ચાલકોનો સમય અને ઈંધણની પણ બચત થશે..





















