શોધખોળ કરો

Adipurush Advance Booking: રિલીઝ પહેલા જ 'આદિપુરુષ' મચાવી રહી છે ધમાલ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કરી કમાણી

આવનારા દિવસોમાં સાઉથ સુપરસ્ટાર  પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર 'આદિપુરુષ' સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે.

Adipurush Advance Booking: આવનારા દિવસોમાં સાઉથ સુપરસ્ટાર  પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર 'આદિપુરુષ' સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. જે ઝડપે ફિલ્મની ટિકિટો એડવાન્સમાં બુક થઈ રહી છે તે જોઈને લાગે છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરશે.

80 હજારની ટિકિટ વેચાઈ

સૂત્રોને ટાંકીને કોઈમોઈએ લખ્યું છે કે, ફિલ્મના હિન્દી 3D વર્ઝન માટે 80,000 ટિકિટ બુક કરવામાં આવી છે. મતલબ કે આ ફિલ્મે 2.80 કરોડનું કલેક્શન કરી લીધું છે.  હિન્દી 2D વર્ઝન  માટે અત્યાર સુધીમાં 18 લાખ રૂપિયાની ટિકિટ બુક કરવામાં આવી છે. ફિલ્મના તેલુગુ વર્ઝનની વાત કરીએ તો એડવાન્સ બુકિંગથી અત્યાર સુધીમાં 64 લાખ રૂપિયાનું કલેક્શન થઈ ચૂક્યું છે. ફિલ્મની અન્ય ભાષાઓની ટિકિટનું એડવાન્સ બુકિંગ હજુ પણ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)

ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે

ઓમ રાઉતની 'આદિપુરુષ' 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. પ્રભાસ, કૃતિ સેનન, સૈફ અલી ખાન સ્ટારર આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ રામાયણ પર આધારિત છે, જેમાં પ્રભાસ ભગવાન રામ, કૃતિ માતા સીતા અને સૈફ રાવણના રોલમાં જોવા મળશે.

આદિપુરુષની કાસ્ટ

આદિપુરુષમાં પ્રભાસ, કૃતિ સેનન, સૈફ અલી ખાન  ઉપરાંત સની સિંહ, વત્સલ સેઠ, સોનલ ચૌહાણ પણ છે. તેનું નિર્માણ ભૂષણ કુમારે કર્યું છે. 500 કરોડના બજેટમાં બનાવવામાં આવ્યું છે.

નિર્માતાઓએ કરી મોટી જાહેરાત 

ચાહકો પહેલેથી જ આદિપુરુષને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ સ્થિતિમાં નિર્માતાઓએ હવે આ ફિલ્મની રિલીઝ પર દરેક થિયેટરમાં ભગવાન હનુમાનજી માટે એક સીટ ખાલી રાખવાની જાહેરાત કરી છે. ચાહકોમાં  આ ફિલ્મ માટે વધુ ઉત્સાહ જોવા મળી શકે છે. મેકર્સ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.

આદિપુરુષ ત્રણ દિવસમાં આટલી કમાણી કરી શકે છે ?

આ ફિલ્મ માટે બોક્સ ઓફિસનો અંદાજ 100 કરોડ રાખવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે આદિપુરુષ ફિલ્મનું માત્ર હિન્દી વર્ઝન જ તેની રિલીઝના 3 દિવસમાં 100 કરોડની ક્લબમાં સામેલ થઈ શકે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ આગાહી સાચી પડે છે કે કેમ!

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Embed widget