શોધખોળ કરો

Adnan Samiને ભારતીય નાગરિક બનવામાં લાગ્યા 18 વર્ષ, કહ્યું- 'દોઢ વર્ષથી હું કોઈ દેશનો નાગરિક નહોતો'

ભારતની નાગરિકતા મેળવવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણી વખત તે નિરાશ પણ થયો હતો. તેણે કહ્યું કે તેને બે વખત રિજેક્ટ કરવામાં આવ્યો હતો

સિંગર અદનાન સામી 2016માં ભારતીય નાગરિક બન્યો હતો. હવે તેણે જણાવ્યું કે ભારતીય નાગરિકતા મેળવવા માટે તેની સફર કેટલી મુશ્કેલ હતી. સામીએ કહ્યું કે તેની બદલાતી નાગરિકતા વચ્ચે તેણે એવો સમય પણ જોયો જ્યારે તે કોઈ દેશનો નાગરિક નહોતો. આ દરમિયાન તે ન તો મુસાફરી કરી શક્યો અને ન તો બીજું કંઈ કરી શક્યો.

ભારતની નાગરિકતા મેળવવામાં મુશ્કેલી પડી 

સિંગર અદનાન સામીનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો હતો અને તેની પાસે પાકિસ્તાની નાગરિકતા હતી. ઘણા વર્ષોથી ભારતમાં કામ કરી રહેલા સામીને 2016માં ભારતીય નાગરિકતા મળી હતી. પોતાની બદલાયેલી નાગરિકતાના કારણે તે ઘણી ચર્ચામાં રહી હતી. હવે અદનાન સામીએ કહ્યું છે કે તેણે ભારતીય નાગરિક બનવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. અદનાને એક નવી વાતચીતમાં કહ્યું છે કે તેનું જીવન એટલું 'ક્રેઝી' રહ્યું છે કે જો તે બોલિવૂડના ફિલ્મ લેખકોને તેની વાર્તા કહેશે, તો તેઓ બધા હસશે અને કહેશે કે તું આ બધી વાતો બનાવી રહ્યો છે. એક નવા ઈન્ટરવ્યુમાં અદનાને કહ્યું કે તેને ભારતીય નાગરિકતા મેળવવામાં 18 વર્ષ લાગ્યા અને જનતાને તે વાતની અડધી ખબર પણ નથી.

ભારતીય નાગરિક બનવું સરળ નહોતું

એક ઇંટરવ્યૂ દરમિયાન અદનાને કહ્યું કે તેને ભારતની નાગરિકતા મેળવવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણી વખત તે નિરાશ પણ થયો હતો. તેણે કહ્યું કે તેને બે વખત રિજેક્ટ કરવામાં આવ્યો હતો. અદનાને કહ્યું, 'લોકોને લાગે છે કે તે ખૂબ જ સરળ રહ્યું હશે કારણ કે હું સેલિબ્રિટી છું. પરંતુ તેવું નથી. આ કામ મારા માટે સરળ ન હતું. પોતાના સંઘર્ષ વિશે વાત કરતાં અદનને કહ્યું, 'આસાન ઉકેલ જેવી કોઈ વસ્તુ નથી. તમારે દરેક વસ્તુ માટે સખત મહેનત કરવી પડશે. વાત એટલી જ છે કે એક દિવસ તમને અચાનક તેની ખબર પડી. તમે એક દિવસ જાગી ગયા અને અખબારોમાંથી ખબર પડી કે મને ભારતીય નાગરિકતા મળી છે.

અદનાન દોઢ વર્ષથી કોઈ દેશનો નહોતો

અદનાને ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને ભારતીય નાગરિકતા મેળવવામાં 18 વર્ષ લાગ્યા હતા. તેણે કહ્યું, 'હું અહીં કહેવા માંગુ છું કે તે 18 વર્ષમાં મેં દુનિયાને કશું કહ્યું નથી. મને બે વાર રિજેક્ટ કરવામાં આવ્યો. મારે મારી મૂળ નાગરિકતા છોડી દેવી પડી અને આ દરમિયાન દોઢ વર્ષ વીતી ગયું જ્યારે હું કોઈ દેશનો નહોતો. પાસપોર્ટ એ માત્ર એક દસ્તાવેજ છે, પરંતુ હું કોઈ દેશનો નાગરિક નહોતો, આ સ્થિતિમાં હું મુસાફરી કરી શકતો નથી, કંઈ કરી શકતો નથી.

પાકિસ્તાનમાં મારી સાથે ખરાબ વર્તન થયુ: અદનાન સામી 

ગયા વર્ષે T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં જ્યારે ઈંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવ્યું હતું, ત્યારે અદનાને ટ્વીટ કરીને ઈંગ્લેન્ડને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. અદનાન જે પહેલા પાકિસ્તાની હતો. તેણે આ ટ્વિટ કર્યું હતું. અને કેટલાક લોકોએ તેને ટ્રોલ પણ કર્યો હતો. અદનાને કેમ પાકિસ્તાની નાગરિકતા છોડી દીધી તેના જવાબમાં અદનાને કહ્યું હતું કે પાકિસ્તાનમાં મારી સાથે ખરાબ વર્તન થતું હતું. તેણે એમ પણ કહ્યું કે એક દિવસ તે ખુલાસો કરશે કે પાકિસ્તાનમાં તેની સાથે કેવો વ્યવહાર કરવામાં આવ્યો અને તે ઘણા લોકોને ચોંકાવી દેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget