શોધખોળ કરો

Dara Singh Death Anniversary: અખાડા જ નહી દરેક ક્ષેત્રના ચેમ્પિયન દારા સિંહની આજે પુણ્યતિથિ, જાણો તેમની જાણી- અજાણી વાતો?

Dara Singh: તે જે મેદાનમાં ઉતર્યા ત્યાં તે બાજી પોતાના નામે કરી. અમે વાત કરી રહ્યા છીએ દારા સિંહની જેમણે વર્ષ 2012માં આજના દિવસે એટલે કે 12મી જુલાઈના રોજ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.

Dara Singh Unknown Facts: તેમને નાનપણથી જ કુસ્તીનો શોખ હતો. આ જ કારણ હતું કે જ્યાં પણ તેમને મોકો મળ્યો, તેમણે પોતાના વિરોધીને ધૂળ ચટાવી દીધી. અમે વાત કરી રહ્યા છીએ તેમના સમયના પ્રખ્યાત રેસલર દારા સિંહની, જેનો જન્મ 19 નવેમ્બર 1928ના રોજ પંજાબના અમૃતસરના ધર્મુચક ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ સુરતસિંહ રંધાવા અને માતાનું નામ બળવંત કૌર હતું. ડેથ એનિવર્સરી સ્પેશિયલમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે દારા સિંહ માત્ર અખાડાના ચેમ્પિયન જ નહીં પરંતુ દરેક ક્ષેત્રના ચેમ્પિયન પણ હતા. જીવનમાં માત્ર એક જ વસ્તુએ તેમને હાર દેખાડી હતી. ચાલો જાણીએ તે શું હતું?

આ રીતે કુસ્તીની સફર શરૂ થઈ

વર્ષ 1947માં જ્યારે દેશ આઝાદીનો સ્વાદ ચાખી રહ્યો હતો ત્યારે દારા સિંહ પોતાની કુસ્તી સાબિત કરવા સિંગાપુર પહોંચ્યા હતા. ત્યાં તેમણે મલેશિયાના એક કુસ્તીબાજને હરાવીને પોતાનું નામ પ્રખ્યાત કર્યું. 1954માં જ્યારે તે ભારતીય કુસ્તીના ચેમ્પિયન બન્યા ત્યારે તેમણે કોમનવેલ્થમાં પણ મેડલ જીત્યો હતો. તે ગાળામાં દારા સિંહનો અખાડામાં દાદાગીરી એટલી વધી ગઇ હતી કે વિશ્વ ચેમ્પિયન કિંગ કોંગ પણ તેની સામે ટકી શક્યો ન હતો.

કુસ્તીમાં જીતી દરેક જંગ

કિંગ કોંગને હરાવ્યા બાદ કેનેડા અને ન્યુઝીલેન્ડના કુસ્તીબાજોએ દારા સિંહને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. દારા સિંહે કેનેડિયન ચેમ્પિયન જ્યોર્જ ગોડિયનકો અને ન્યુઝીલેન્ડના જોન ડી'સિલ્વાને પણ ટકી રહેવા દીધા ન હતા. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યાં સુધી તે વર્લ્ડ ચેમ્પિયનશિપ નહીં જીતે ત્યાં સુધી તે કુસ્તી કરતો રહેશે. 29 મે, 1968ના રોજ તે અમેરિકાના વિશ્વ ચેમ્પિયન લાઉ થેજને હરાવીને ફ્રી સ્ટાઇલ કુસ્તીનો બેતાજ બાદશાહ બન્યા. તમને જાણીને નવાઈ લાગશે કે 55 વર્ષના ગાળામાં તેમણે 500 મેચો લડી અને તે તમામમાં જીત મેળવી. વર્ષ 1983માં કુશ્તીની છેલ્લી મેચ જીત્યા બાદ તેણે પ્રોફેશનલ રેસલિંગને અલવિદા કહી દીધું. તે દરમિયાન તત્કાલિન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહે તેમને અજેય કુસ્તીબાજનું બિરુદ આપ્યું હતું.

ફિલ્મોમાં પણ તાકાત દેખાડી

વર્ષ 1952 દરમિયાન દારા સિંહે ફિલ્મ સંગદિલથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી, તેમણે ફૌલાદ, મેરા નામ જોકર, ધર્માત્મા, રામ ભરોસે, મર્દ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને અમીટ છાપ છોડી. જણાવી દઈએ કે દારા સિંહે પોતાના કરિયરમાં 500થી વધુ ફિલ્મોમાં પોતાનો અભિનય દેખાડ્યો હતો. તેણે રામાનંદ સાગરની સીરિયલ રામાયણમાં ભગવાન હનુમાનની ભૂમિકા ભજવી હતી, ત્યારબાદ ઘણી જગ્યાએ તેમની ભગવાનની જેમ પૂજા કરવામાં આવી હતી. કહેવાય છે કે આ પાત્ર માટે દારા સિંહે માંસાહારી ખોરાક પણ છોડી દીધો હતો.

કલમ વડે પણ કારીગરી પુરવાર કરી

દારા સિંહે કલમ વડે પણ પોતાનું પરાક્રમ બતાવવામાં કોઈ કસર છોડી ન હતી. તેમણે તેમની આત્મકથા 'મેરી આત્મકથા' વર્ષ 1989માં લખી હતી, જે 1993 દરમિયાન હિન્દીમાં પણ પ્રકાશિત થઈ હતી. આ પછી તેમણે ફિલ્મ 'નાનક દુઃખિયા સબ સંસાર' બનાવી, જેનું તેણે પોતે જ નિર્દેશન અને નિર્માણ કર્યું હતું. હિન્દી ઉપરાંત તેમણે પંજાબીમાં પણ ઘણી ફિલ્મો બનાવી અને આ નવી શૈલીમાં પણ પોતાની કારીગરી સાબિત કરી.

રાજકારણમાં પણ રાજ કર્યું

અખાડા પછી ફિલ્મો અને લેખનમાં પોતાની તાકાત બતાવ્યા બાદ દારા સિંહે રાજકારણની દુનિયામાં પણ પ્રવેશ કર્યો. તેમણે 1998માં ભાજપમાં જોડાઈને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 2003માં તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા. આ સિવાય તેઓ જાટ મહાસભાના અધ્યક્ષ પણ હતા.

એક રમતમાં હાર્યા દારા સિંહ 

કુસ્તીથી લઈને અભિનય-લેખન સુધીના જીવનની દરેક રમત જીતનાર દારા સિંહ જીવનની લડાઈમાં હારી ગયા હતા. 7 જુલાઈ, 2012ના રોજ તેમને હાર્ટ એટેક આવ્યો, જેની સામે આ અપરાજિત રેસલર પણ હારી ગયો. હુમલા બાદ તેમને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયત સતત બગડતી રહી અને 12 જુલાઈના રોજ તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
Advertisement

વિડિઓઝ

Porbandar Police: બદલી થાય તો થાય દબાણ તો હટશે જ....: પોરબંદરના PIની વેપારીઓને સ્પષ્ટ ચેતવણી
ED Raids: ગુજરાત સહિત 15 રાજ્યોની 7 મેડિકલ કોલેજો પર EDના દરોડા
Ahmedabad News : અમદાવાદમાં એલ.ડી. એન્જિ. કોલેજની હોસ્ટેલમાં  મારામારી કર્યાનો આરોપ
Hun To Bolish | હું તો બોલીશ | BLO માણસ કે મશીન?
Hun To Bolish | હું તો બોલીશ | સ્વચ્છતા અભિયાનનો સત્યાનાશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
ભારતમાં કોની પાસે છે પરમાણુ શસ્ત્રોનો કંટ્રોલ? શું વડાપ્રધાન આપી શકે છે હુમલો કરવાનો આદેશ?
ભારતમાં કોની પાસે છે પરમાણુ શસ્ત્રોનો કંટ્રોલ? શું વડાપ્રધાન આપી શકે છે હુમલો કરવાનો આદેશ?
ક્યાંક તમે તો નથી ખાઈ રહ્યાને કેમિકલવાળા શેકેલા ચણા, વધી જશે કેન્સરનું જોખમ
ક્યાંક તમે તો નથી ખાઈ રહ્યાને કેમિકલવાળા શેકેલા ચણા, વધી જશે કેન્સરનું જોખમ
ડિસેમ્બરમાં 18 દિવસ બેંકો રહેશે બંધ, જોઈલો રજાઓની યાદી નહીં તો અટવાઈ જશે તમારા કામ
ડિસેમ્બરમાં 18 દિવસ બેંકો રહેશે બંધ, જોઈલો રજાઓની યાદી નહીં તો અટવાઈ જશે તમારા કામ
પહેલી વનડેમાં રોહિત શર્મા બનાવશે નવો વર્લ્ડ રેકોર્ડ! શાહિદ આફ્રિદીને પાછળ છોડી બની જશે 'સિક્સર કિંગ'?
પહેલી વનડેમાં રોહિત શર્મા બનાવશે નવો વર્લ્ડ રેકોર્ડ! શાહિદ આફ્રિદીને પાછળ છોડી બની જશે 'સિક્સર કિંગ'?
Embed widget