શોધખોળ કરો

'આદિપુરુષ' માટે Manoj Muntashirએ માંગી માફી, કહ્યું- ‘હું માંનું છું કે જનતાની ભાવનાને ઠેસ પહોંચી છે’

Manoj Muntashir: મનોજ મુન્તાશીરે 'આદિપુરુષ' વિવાદ પર માફી માંગી છે. તેણે ટ્વીટ કરીને બજરંગ બલીને ભગવાન પણ કહ્યા છે. જોકે તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે.

Manoj Muntashir On Adipurush: ઓમ રાઉતના ડાયરેક્શનમાં બનેલી 'આદિપુરુષ' 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. સંસ્કૃત મહાકાવ્ય રામાયણ પર આધારિત ફિલ્મમાં પ્રભાસે રાઘવ, કૃતિ સેનને માતા જાનકી અને સૈફ અલી ખાને લંકેશની ભૂમિકા ભજવી હતી. જો કે, ફિલ્મ નબળા VFX અને સંવાદો અને પાત્રોના નબળા ચિત્રણને કારણે વિવાદમાં આવી હતી.મેકર્સ પર સનાતન ધર્મની મજાક ઉડાવવાનો આરોપ હતો.

'આદિપુરુષ' માટે Manoj Muntashirએ માંગી માફી

તે જ સમયે મનોજ મુન્તાશીરને ફિલ્મમાં સડક છાપ ભાષાનો ઉપયોગ કરવા અને સંવાદમાં આધુનિક અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ આકરી ટીકા કરવામાં આવી હતી. જો કે અગાઉ મેકર્સ અને મનોજ મુન્તાશીરે 'આદિપુરુષ'ને સમર્થન આપ્યું હતું. પરંતુ હવે આખરે મનોજ મુન્તાશીરે 'આદિપુરુષ' વિવાદ પર માફી માંગી છે.

મનોજ મુન્તાશીરે 'આદિપુરુષ' વિવાદ પર માફી માંગી

ફિલ્મ રિલીઝ થયાના ત્રણ અઠવાડિયા બાદ મનોજ મુન્તાશીરે આદિપુરુષ વિવાદ માટે ટ્વીટ કરીને માફી માંગી છે. તેણે હનુમાનને પણ ભગવાન કહ્યા છે. મનોજે 8 જુલાઈ શનિવારના રોજ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર હિન્દી અને અંગ્રેજીમાં માફી પત્ર લખ્યો છે. તેણે લખ્યું, "હું સ્વીકારું છું કે આદિપુરુષ ફિલ્મથી જનભાવનાઓને ઠેસ પહોંચી છે. હું મારા તમામ ભાઈઓ-બહેનો, વડીલો, આદરણીય ઋષિ-સંતો અને શ્રી રામના ભક્તોની હાથ જોડીને માફી માંગુ છું. ભગવાન બજરંગ બલી આપણાં પર કૃપા રાખે, અમને એક અને અખંડ રહીને આપણા પવિત્ર શાશ્વત અને મહાન દેશની સેવા કરવાની શક્તિ આપો!"

મનોજ મુન્તાશીર માફી માંગ્યા પછી પણ ટ્રોલ થઈ રહ્યા છે

આ માફી પછી સોશિયલ મીડિયા યુઝર્સ મનોજ મુન્તાશીરને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “ઘણું મોડું થયું. જ્યારે ફિલ્મ ફ્લોપ થઈ, સિનેમાઘરો પડદા પરથી ઉતરવા લાગ્યા, જ્યારે ગુમાવવા માટે કંઈ બચ્યું નહોતું, જ્યારે જનતાનો ગુસ્સો પોતાની મેળે ઠંડો પડી ગયો, ત્યારે તમે માફી માગો છો. આ કામ ફિલ્મ રિલીઝ થયાના થોડા દિવસોમાં જ થઈ જવું જોઈતું હતું, પણ પછી તમે કલેકશનની ગણતરીમાં વ્યસ્ત હતા અને ફિલ્મનો બચાવ કરીને ઘા પર મીઠું ભભરાવતા હતા. હવે ફિલ્મની કમાણી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે, તેથી તેઓ માફી માંગી રહ્યાં છે.વેલ, લેટ ધેન નેવર.

અન્ય એક યુઝરે લખ્યું, "તમે માફી માગી હતી જ્યારે બધી હવાઓ છૂટી ગઈ હતી. જ્યારે આખો દેશ આદિપુરુષ પર ગુસ્સે હતો ત્યારે તમે નિર્લજ્જતાથી 'Thank you my country' લખીને કલેક્શન બતાવી રહ્યા હતા. તે પછી આદિપુરુષના નિર્માતાઓ નિર્લજ્જતાથી તેમના ગુનાઓનો બચાવ કરી રહ્યા હતા. તમે હિંદુ સમાજને મૂર્ખ માનતા હતા. તમને મહર્ષિ વાલ્મીકિ કે તુલસી બાબા માનીને તમારી દરેક વાત સ્વીકારશે. પરંતુ જ્યારે ફિલ્મ થિયેટરમાંથી બહાર નીકળી ગઈ છે. તમે ખર્ચ વસૂલ કરી શક્યા નથી ત્યારે  તમે માફી માગો છો. બાય ધ વે શું આદિપુરુષમાં થયેલા ગુનાઓ માટે આ માફી છે કે પછી તમારા ભવિષ્યના પ્રોજેક્ટ ફ્લોપ ન થાય તે માટે છે? આવા બીજા ઘણા યુઝર્સે મનોજને ટ્રોલ કર્યો છે.

વિવાદોને કારણે 'આદિપુરુષ'ને ઘણું નુકસાન

'આદિપુરુષ' 500 કરોડથી વધુના વિશાળ બજેટમાં બનાવવામાં આવી હતી. ફિલ્મની શરૂઆત સારી રહી હતી, પરંતુ તે પછી તે એવા વિવાદોમાં ફસાઈ ગઈ કે તે ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે અને તેની અડધી કિંમત પણ વસૂલવામાં સફળ રહી નથી. આવી સ્થિતિમાં 'આદિપુરુષ' મેકર્સ માટે મોટી ખોટનો સોદો સાબિત થયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dhurandhar 2 Box Office Day 5: 'ધુરંધર-2'એ પાંચમા દિવસે તોડ્યા તમામ રેકોર્ડ, 500 કરોડની ક્લબમાં એન્ટ્રી
Dhurandhar 2 Box Office Day 5: 'ધુરંધર-2'એ પાંચમા દિવસે તોડ્યા તમામ રેકોર્ડ, 500 કરોડની ક્લબમાં એન્ટ્રી
'ધુરંધર 2' એ બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ, પ્રથમ દિવસે જ તોડ્યા અનેક રેકોર્ડ 
'ધુરંધર 2' એ બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ, પ્રથમ દિવસે જ તોડ્યા અનેક રેકોર્ડ 
OTT પર આવી ગઇ છે Sunny Deol ની Border 2, આ પ્લેટફોર્મ પર ઘરે બેસી જુઓ સુપરહિટ ફિલ્મ
OTT પર આવી ગઇ છે Sunny Deol ની Border 2, આ પ્લેટફોર્મ પર ઘરે બેસી જુઓ સુપરહિટ ફિલ્મ
Dhurandhar 2 ની બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી; રણવીરની ફિલ્મે રિલીઝ થતાં જ બનાવ્યા 10 મોટા રેકોર્ડ્સ
Dhurandhar 2 ની બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી; રણવીરની ફિલ્મે રિલીઝ થતાં જ બનાવ્યા 10 મોટા રેકોર્ડ્સ

વિડિઓઝ

PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કૉંગ્રેસે ખેલ્યો OBC કાર્ડ
US Israel Iran War Update: આતંકનો આકા શાંતિદૂત કેવી રીતે?
CM Bhupendra Patel : પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રીની અપીલ
Surat Fire Incident: કાપોદ્રામાં મુસાફરો ભરેલી ST બસ સળગી, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત: 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા
મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત: 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા
અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ
અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ
વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા
વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા
ગુજરાત વિધાનસભામાં UCC 2026 બિલ રજૂ: બળજબરીથી લગ્ન પર 7 વર્ષની જેલ, કોંગ્રેસે બિલને ગણાવ્યો 'રાજકીય એજન્ડા'
ગુજરાત વિધાનસભામાં UCC 2026 બિલ રજૂ: બળજબરીથી લગ્ન પર 7 વર્ષની જેલ, કોંગ્રેસે બિલને ગણાવ્યો 'રાજકીય એજન્ડા'
રાજ્યમાં ઈંધણની અછતની અફવાઓ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: હવેથી માત્ર વાહનની ટાંકીમાં જ ભરાશે પેટ્રોલ-ડીઝલ
રાજ્યમાં ઈંધણની અછતની અફવાઓ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: હવેથી માત્ર વાહનની ટાંકીમાં જ ભરાશે પેટ્રોલ-ડીઝલ
"જો યુદ્ધ ચાલુ રહેશે, તો ગંભીર પરિણામો નક્કી...", મિડલ ઈસ્ટ યુદ્ધ પર રાજ્યસભામાં બોલ્યા PM મોદી
31 માર્ચ પહેલા પતાવી લો આ 10 નાણાકીય કામ, નહીંતર નવા વર્ષમાં થશે મોટું નુકસાન!
31 માર્ચ પહેલા પતાવી લો આ 10 નાણાકીય કામ, નહીંતર નવા વર્ષમાં થશે મોટું નુકસાન!
ઈરાનની ચેતવણીથી દુનિયાભરમાં ફફડાટ: એક જ ઝટકામાં અનેક દેશો થઈ શકે છે 'ઓફલાઇન'
ઈરાનની ચેતવણીથી દુનિયાભરમાં ફફડાટ: એક જ ઝટકામાં અનેક દેશો થઈ શકે છે 'ઓફલાઇન'
Embed widget