શોધખોળ કરો

રાજકીય સન્માન સાથે આજે થશે પંડિત જસરાજના અંતિમ સંસ્કાર, ફેન્સ જોઇ શકશે લાઇવ પ્રસારણ

ફેસબુક પર આર્ટ એન્ડ આર્ટિસ્ટ્સ અને દુર્ગા જસરાજ, સાંરંગ દેવ, મધુરા જસરાજ અને પંડિત જસરાજ ફેન્સના પેજ પર આ લાઇવ પ્રસારણ બપોરે બે વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી થશે

નવી દિલ્હીઃ શાસ્ત્રીય સંગીતના પ્રસિદ્ધ ગાયક પંડિત જસરાજની ગુરુવારે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર વિધિ શશે. તેમની અંત્યેષ્ટિ સોશ્યલ મીડિયાના કેટલાય પ્લેટફોર્મ પર લાઇવ થશે. ફેસબુક પર આર્ટ એન્ડ આર્ટિસ્ટ્સ અને દુર્ગા જસરાજ, સાંરંગ દેવ, મધુરા જસરાજ અને પંડિત જસરાજ ફેન્સના પેજ પર આ લાઇવ પ્રસારણ બપોરે બે વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી થશે. આ દરમિયાન રાજકીય સન્માન તરીકે સંગીત માર્તંડ પંડિત જસરાજનો પાર્થિવ દેહ તિરંગામાં લપેટવામાં આવશે. પછી રાઇફલ્સથી 21 ગોળીઓ ફાયર કરીને રાજકીય સન્માન આપવામાં આવશે. આ પછી પંડિત જસરાજના પાર્થિવ શરીને વિલે પાર્લે સ્થિત પવન હંસ સ્મશાન લઇ જવાશે. ઉલ્લેખનીય છે કે, પંડિત જસરાજનુ પાર્થિવ શરૂર બુધવારે મુંબઇ લાવવામાં આવ્યો છે. જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું અમેરિકાના ન્યૂજર્સી ખાતે 17 ઓગસ્ટના રોજ નિધન થયું હતું. તેઓ 90 વર્ષના હતા. પંડિત જસરાજના નિધન પર પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. પંડિત જસરાજનો જન્મ 28 જાન્યુઆરી, 1930ના રોજ હિસારમાં થયો હતો. પંડિતજીના પિતા મોતીરામ પણ શાસ્ત્રીય ગાયક તરીકે જાણીતા હતા. પરિવારમાં જ સંગીતનું વાતાવરણ પામેલા પંડિતજીએ શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે આરંભે તબલાવાદક તરીકે તાલીમ મેળવી હતી. પંડિતજીના પત્ની મધુરા જાણીતા ફિલ્મ નિર્દેશક વ્હી. શાંતારામના પુત્રી છે. પંડિતજીના પુત્ર સારંગદેવ અને પુત્રી દુર્ગા પણ સંગીત, અભિનય અને એન્કરિંગ ક્ષેત્રે જાણીતા છે. તેમને પદ્મ વિભૂષણ, પદ્મશ્રી, પદ્મ ભૂષણ સહિત અનેક એવોર્ડ મળ્યા છે. ગાયત્રી મંત્ર, શિવ ઉપાસના, હવેલી સંગીત, બૈજુ બાવરા, નમઃ શિવાય, ગાયત્રી, ગોવિંદ દામોદરા માધવેતી, નમઃશિવાય, હનુમાન રક્ષા કવચ, ભક્તામર સ્ત્રોત તેમના જાણીતા આલ્બમ છે. નાસાના ખગોળવિદ્ય અને ઇન્ટરનેશનલ એસ્ટ્રોનૉમિકલ યૂનિયન (IAU)ના અંતરિક્ષ વૈજ્ઞાનિકોએ 13 વર્ષ પહેલા શોધેલા એક ગ્રહનું નામ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજના નામ પર રાખ્યુ છે. આ સન્માન મેળવનારા પંડિત જસરાજ પહેલા ભારતીય સંગીતકાર હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
8th Pay Commissionમાં શું તમારો પગાર પણ ડબલ થઈ જશે? જાણો લાભાર્થીઓની સંપૂર્ણ યાદી
8th Pay Commissionમાં શું તમારો પગાર પણ ડબલ થઈ જશે? જાણો લાભાર્થીઓની સંપૂર્ણ યાદી
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
Embed widget