જ્યારે તથ્ય એ છે કે ખિલજીએ ચિત્તોડગઢ પર હુમલો કર્યો હતો, જેમાં કિલ્લામાં રહેનારી અંદાજે 16 હજાર મહિલાઓ પોતાના જીવ આપ્યા હતા. ભાજપના ધારાસભ્યે માગ કરી છે કે ફિલ્મ રાજપૂત સમાજને બતાવ્યા સિવાય રિલીઝ ન કરવામાં આવે. તેમણે દેશભરમાં રાજપૂતોને ફિલ્મનો વિરોધ કરવા માટે કહ્યું છે.
2/3
ભાજપના ધારાસભ્યએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે. તેમણે પદ્માવતીના માધ્યમથી ભણશાલી પર ઇતિહાસ સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો. કેટલાક અહેવાલને ટાંકીને કહ્યું કે, ફિલ્મમાં રાણી પદ્માવતી અને મુસ્લિમ શાસક અલાઉદ્દીન ખિલજી સાથે પ્રેમ કરતા જોવા મળે છે.
3/3
તેલંગાણાઃ તેલંગાણાના ધારાસભ્ય રાજા સિંહે રવિવારે કહ્યું કે, જો પદ્માવતીના ઈતિહાસ સાથે છેડછાડ થશે તો સંજય લીલા ભણશાલીએ તેની કિંમત ચૂકવવી પડશે. તેલંગાનામાં ફિલ્મ રિલીઝ નહીં થવા દઈએ. તેમનું કહેવું છે કે, આ ફિલ્મમાં રાજપૂતોની સંસ્કૃતિનું અપમાન કવામાં આવ્યું છે. ફિલ્મ આગામી 1લી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. તેમણે કહ્યું કે જે થિએટર ફિલ્મ દર્શાવશે તે ભડકે બળશે.