શોધખોળ કરો
41 જેટલા ધારાસભ્યને કોંગ્રેસ બેંગલુરુ લઈ ગઈ, જાણો ક્યા ધારાસભ્ય કર્ણાટક નથી ગયા
1/6

ગાંધીનગરઃ રાજ્યનારાજકારણમાં બહુ ઝડપથી ચિત્ર બદલાઈ રહ્યું છે. બે દિવસમાં કૉંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં જોડાતા હરકતમાં આવી ગયેલી કૉંગ્રેસે તાકીદે વાડાબંધી કરીને 41 ધારાસભ્યોને બેંગલુરુ ખસેડ્યા છે. સાત ધારાસભ્યો ગુજરાતમાં છે. તેમના વિશે હજી કોઈ નક્કર માહિતી મળતી નથી.
2/6

શુક્રવારે વાંસદાના ધારાસભ્ય છનાભાઈ ચૌધરી, બાલાસિનોરના માનસિંહ ચૌહાણ અને ઠાસરાના રામસિંહ પરમારે વિધાનસભાના અધ્યક્ષ રમણભાઈ વોરાને રાજીનામું સુપરત કર્યું હતું. આ સાથે જ છેલ્લા બે દિવસમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યોની સંખ્યા છ થઈ છે. બીજીતરફ કોંગ્રેસના ઉમેદવાર અહમદભાઈ પટેલને પછાડવાની ભાજપની યોજનાને નિષ્ફળ બનાવવા કોંગ્રેસના 41 જેટલા ધારાસભ્યોને શુક્રવારે મોડી રાત્રે ગુજરાત બહાર-કર્ણાટકના બેંગ્લુરુના રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા છે. આ ધારાસભ્યોને મતદાનના એક-બે દિવસ પહેલાં, ૬-૭ ઓગસ્ટે ગુજરાત પરત લવાશે. જો કે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અજુર્ન મોઢવાડિયા અને અત્યારના દંડક શૈલેષ પરમારે ૪૪ ધારાસભ્યોને બેગ્લુરુ લઈ જવાયા હોવાનો દાવો કર્યો છે.
Published at : 29 Jul 2017 07:32 AM (IST)
View More





















