અરજદાર હેમાબેન કાન્તિભાઇ વણકરે સમી મામલતદાર કચેરીમાં દબાણ નિયમિત કરી આપી જમીન વિવાદ ઉકેલવા અરજી કરી હતી, આ અરજી બાદમાં મામલતદારે જિલ્લા કલેક્ટરને મોકલી આપી હતી, જેમાં જમીન કુબેર દલા અને ફકીર ડોસા પાસે હતી.
2/6
પાટણઃ દલિત આત્મવિલોપનનો પડઘો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે. દલિત ભાનુભાઇના આત્મવિલોપનના મોત બાદ અરજદારને પોતાની જમીન ખાતે કરી આપવા રાજ્ય સરકારે આદેશ આપી દીધો છે.
3/6
અરજદારનું કહેવું હતું કે જમીન મારા ભોગવટાની છે અને સરકારમાં જે પણ રૂપિયા ભરવાના થાય તે ભરવા અમે તૈયાર છીએ પણ જમીન દબાણ વિવાદ હટાવી નામે કરી આપો.
4/6
સરકારે આદેશ આપ્યો છે આ જમીન સરકારી ચોપડે પડતર છે જેથી રિગ્રાન્ટ કરી જમીન વિવાદ ઉકેલવા કલેક્ટરને પત્ર આપ્યો છે.
5/6
તો વળી બીજીબાજુ જમીન સરકારી ચોપડે પડતર પડી હોવાથી આ કામ શક્ય ન હતું, જેના કારણે ન્યાય મેળવવા દલિત ભાનુભાઇએ જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે આત્મ વિલોપન કર્યું હતું, જેમાં તેમનું મોત થયુ હતું. આ કેસમાં સરકારે અરજદારને જમીન ખાતે કરી આપવા આદેશ કર્યો છે.
6/6
આ કેસ અગાઉ પ્રાંત અધિકારીના હાથમાં હતો તેમાં જમીનને પડતર ગણવામાં આવી હતી. જોકે, આ જમીન અત્યારે હેમાબેન કાન્તિભાઇ વણકરના ભોગવટામાં છે.