શોધખોળ કરો
સુરતથી સૌરાષ્ટ્ર જવા વડોદરા-અમદાવાદ નહીં આવવું પડે, જાણો કેમ
1/5

આ સફળતા બાદ અન્ય રૂટસ પર પણ અમે ફેરી સર્વિસ આપવાની દિશામાં અભ્યાસ પૂર્ણ કર્યા છે અને ત્યાર પછીની કામગીરી ચાલી રહી છે. જામનગર-મુન્દ્રા, સુરત-મહુવા, સુરત-વિકટર, દમણ-દીવ રૂટ શરૂ અંગે કામગીરી તેજ કરાઇ છે. આ ઉપરાંત સુરતથી ઘોઘા-મહુવા કે જાફરાબાદ જેવા સ્થળો અંગે પણ અભ્યાસ કરાશે.
2/5

કચ્છ સાગરસેતુ અંતર્ગત ગુજરાત મેરી ટાઇમ બોર્ડ (જીએમબી) સાથે શરૂ કરાયેલી ઓખા-માંડવી ફેરીએ અત્યાર સુધી ર૦૦થી વધુ ટ્રિપ પૂર્ણ કરી છે અને આગામી દિવસોમાં તે તેની રપ૦મી ફેરી સેવા પૂર્ણ કરશે. આ અંગે વધુ માહિતી આપતા આ પ્રોજેકટ સાથે સંકળાયેલા દ્વારકા-કચ્છ ફેરી એનડ ટૂરિઝમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડિરેકટર અને મરીન એન્જિનિયર રાજેશ દોશીએ જણાવ્યું હતું કે, અમે સફળતાપૂર્વક આટલા સમયથી પ્રવાસીઓને સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી લઇ જઇને ખરા અર્થમાં સાગરસેતુ બન્યા છીએ. હવે નવા રૂટ દ્વારા સૌરાષ્ટ્ર દર્શનથી સાથે સાથે ઓછા સમયની મુસાફરીથી કચ્છ દર્શનનો પણ લાભ લઇ શકાશે. આમ ઓખા-કચ્છની ફેરી સર્વિસ એ નેશનલ એકસપ્રેસ-વેની ગરજ સારી રહી છે.
Published at : 02 May 2017 01:49 PM (IST)
View More























