સમાજ શાસ્ત્રીઓનું માનવું છે કે આ એક ગંભીર સમસ્યા છે અને તે મહિલા-પુરૂષ વચ્ચેના ભેદભાવથી ઉદ્ભવી છે.
2/4
અમદાવાદ: મહિલા અને પુરૂષના ભેદભાવની અસર સમાજ અને લગ્ન જીવન પર થઈ રહી છે. એક માહિતી મુજબ રાજ્યના 10 લાખથી વધુ યુવાનો અપરણિત છે. અપરણિત યુવતીઓની સંખ્યા 2.90 લાખ છે.
3/4
આ પરિસ્થિતિ ઉદભવવાનું કારણ પુરૂષોની સરખામણીએ મહિલાઓનો ઘટતો જતો જન્મદર છે. ગુજરાતમાં 1000 પુરૂષોની સરખામણીએ મહિલાઓનો સરેરાશ જન્મદર 947 છે.
4/4
2011ની વસતી ગણતરીમાં અપરણિત યુવાનોની સંખ્યા 9.16 લાખ હતી. 25થી 34ના વયજૂથમાં બે મહિલાઓની સરખામણીએ સાત પુરૂષો અપરણિત છે.