શોધખોળ કરો
અંકલેશ્વરઃ સાવકી માતાએ પહેલા પુત્રને બેભાન કર્યો ને પછી ગળું દબાવીને કરી નાંખી હત્યા, જાણો શું હતું કારણ?
1/5

અંકલેશ્વરમાં મધુવન સોસાયટીમાં રહેતાં સતીષ પાટીલનો 17 વર્ષીય પુત્ર વિવેક ગત શનિવારે બપોર બાદ લાપત્તા બન્યો હતો. આ જ રાતે સતીષના અન્ય મકાનના કંપાઉન્ડમાંથી વિવેકનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના મોઢામાંથી ફીણ નીકળતું હોવાથી તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યકત કરવામાં આવી હતી. પોલીસે બે તબીબોની પેનલ મારફતે પીએમ કરાવતાં ગળુ દબાવાથી શ્વાસ રૂંધાઇ જતાં વિવેકનું મોત થયું હોવાનો પ્રથમ દર્શનીય રીપોર્ટ આવ્યો હતો. મૃતક વિવેકની માતા લતાબેને પતિ સતીષની બીજી પત્ની રોહિણીબેન સામે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.
2/5

પોલીસે રોહિણીબેનની કડકાઇથી પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને પારિવારિક ખટરાગમાં હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. એટલું જ નહીં, મૃતક વિવેકના ચંપલ અને મોબાઈલનો નિકાલ કરવામાં સોસાયટીના વોચમેન સુધાકર લાલચંદ સિમ્પીએ મદદ કરી હોવાની બહાર આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. પોલીસે જોગર્સપાર્ક કેનાલ પાસેથી મોબાઈલ અને જ્યા ચંપલ નિકાલ કર્યો હતો, ત્યાંથી ચંપલ પણ કબ્જે કર્યા હતા.
Published at : 01 Oct 2016 09:54 AM (IST)
View More




















