શોધખોળ કરો
બળાત્કારના 100 દોષિતોનો ઇન્ટરવ્યૂ લીધા બાદ બદલાઈ ગયા આ યુવતીના વિચાર
1/9

મધુમિતા પાંડેને આશા છે કે તે પોતાના આ રિસર્ચને થોડા જ મહિનામાં પબ્લિશ કરશે. જોકે, તેણે એ પણ જણાવ્યું કે, તેને તેના કામને કારણે અન્ય લોકોનો વિરોધનો સામનો પણ કરવો પડ્યો. લોકો તેને જજ કરે છે. કહે છે, લો આવી ગઈ વધુ એક નારીવાદી જે આવા રિસર્ચમાં પુરુષોને કોટી રીતે રજૂ કરશે. મધુમિતા કહે છે કે હવે આવા વિચારોનું તમે શું કરી શકો છો.
2/9

મધુમિતાએ એક ઉદાહરણ પણ આપ્યું. એક દુષ્કર્મીએ પાંચ વર્ષની બાળકી સાથે બળાત્કાર કર્યો હતો. તેને જ્યારે તે વિશે પૂછવામાં આવ્યું તો તેણે સ્વીકાર્યું કે તેનાથી ભૂલ થઈ છે અને તેને તેનો પસ્તાવો છે. તેણે કહ્યું કે, હવે તે બાળકી વર્જિન નથી રહી માટે કોઈ તેની સાથે લગ્ન નહીં કરે. પરંતુ તે એ પણ બોલ્યો કે છૂટ્યા બાદ તે યુવતીને અપનાવશે અને તેની સાથે લગ્ન પણ કરશે. જ્યારે મધુમિતાએ પીડિતાના પરિવારને આ અંગે વાત કરી તો તેમણે જણાવ્યું કે, આ મામલે બાળકીને ખબર પણ નથી કે તેનો રેપિસ્ટ જેલમાં બંધ છે.
Published at : 14 Sep 2017 12:27 PM (IST)
View More























