રાજસ્થાન હાઈકોર્ટે વર્ષ 2015માં તેને આત્મહત્યા જેવા અપરાધની શ્રેણીમાં રાખ્યા છે. તેને અપનાવનારા વિરુદ્ધ ઈન્ડિયન પીનલ કોડ 306 અને 309 હેઠળ કાર્યવાહીની પ્રક્રિયા છે. હાલ જોકે આ મામલો સુપ્રીમ કોર્ટમાં વિચારણા હેઠળ છે.
2/6
જૈન ધર્મમાં સંથારાની પ્રક્રિયા હોય છે. આ પ્રક્રિયા વૃદ્ધ લોકો અપનાવે છે. તેમાં જ્યારે માણસને આભાસ હોય કે તેમનું મોત નજીક હોય તો તે ખાવા પીવાનું છોડી દે છે. જૈન શાસ્ત્રો મુજબ ઉપવાસ દ્વારા મોતને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. જૈન ધર્મમાં તેને મોક્ષ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. જોકે કોર્ટે તેના પર પ્રતિબંધ મૂક્યો છે.
3/6
મુનિ તરુણ સાગરનું અસલીનામ પવન કુમાર જૈન છે. તેમનો જન્મ દમોગ (મધ્ય પ્રદેશ)ના ગુહજી ગામમાં 26 જૂન 1967માં થયો હતો. તેમની માતાનું નામ શાંતિબાઈ અને પિતાનું નામ પ્રતાપ ચંદ્ર છે. મુનિશ્રીએ 8 માર્ચ 1981માં ઘર છોડી દીધું હતું. ત્યારપછી તેમણે છત્તીસગઢમાં દીક્ષા લીધી હતી.
4/6
યોગભૂષણ મુનિ કહે છે કે, તરુણ સાગરજી મહારાજે સમાધી લીધી નથી. જોકે તેમણે સારવાર બંધ કરાવી દીધી છે. તરુણ સાગરજી મહારાજની તબીયત ખરાબ થવા અંગે તેમના ગુરુ પુષ્પદંત સાગરજી મહારાજે વીડિયો મેસેજ જાહેર કર્યો છે. જેમાં તેમણે મહારાજનો સમાધિ મહોત્સવ મનાવવાની અપીલ કરી છે.
5/6
મુનિશ્રીની સારવાર ચાલી રહી હતી તેને પણ બંધ કરી દેવામાં આવી છે. તેમણે સારવાર બંધ કરીને ચાતુર્માસ સ્થળે જવાનો નિર્ણય કર્યો છે. બીજી બાજુ તેમના ખબર અંતર પૂછવા માટે પાંચ જૈન સંતો દિલ્હી પહોંચશે. તેમાં સૌભાગ્ય સાગર મહારાજ પણ સામેલ છે. આ માહિતી દિગંબર જૈન મહાસભાના અધ્યક્ષ નિર્મલ સેઠીએ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, તરુણ સાગરજી મહારાજે જે ખાદ્ય વસ્તુઓના સેવનનો ત્યાગ કર્યો છે. તે સંલેખના હેઠળ જ આવે છે. મહારાજજી સંલેખના તર છે. ધીમે ધીમે ખાદ્યપદાર્થ લેવાનું છોડવામાં આવે છે. જોકે કાલે તે આહાર લઈ શકે છે.
6/6
નવી દિલ્હી: જૈન મુનિ તરુણસાગરજી મહારાજની હાલત ગંભીર છે. 20 દિવસ પહેલા તેમને કમળો થયો હતો. દેશભરમાં લોકો તેમના માટે પ્રાર્થના કરી રહ્યાં છે. દિલ્હીમાં ચાતુર્માસ કરી રહેલા મુનિશ્રીની દેખરેખ કરનારા બ્રહ્મચારી સતીશે જણાવ્યું હતું કે, દવાઓ આપ્યા બાદ પણ તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થઈ રહ્યો નથી.