શોધખોળ કરો
આ છે અમ્માની 'બેસ્ટ ફ્રેંડ' શશિકલા: પરિવાર સાથે રહેતી જયલલિતાના ઘરે, જાણો દોસ્તીની કહાની
1/5

ચેન્નાઈ: તમિલનાડુના મુખ્યમંત્રી અને AIADMKના પ્રમુખ જયલલિતાના નિધન પછી પન્નીરસેલવમને મુખ્યમંત્રી બનાવાયા છે. પન્નીરસેલવમ જયલલિતાના નિકટના માનવામાં આવે છે. જો કે પડદા પાછળ પાર્ટીની કમાન જયલલિતાની બેસ્ટ ફ્રેંડ કહેવાતી શશિકલા નટરાજનના હાથમાં રહે તેવી સંભાવના છે.
2/5

જયલલિતા અને શશિકલાની મિત્રતામાં પહેલી વાર 1996 ચતિરાડ પડી હતી. જ્યારે AIADMKને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જયલલિતાએ આ માટે શશિકલા અને તેના પરિવારજનોની ખરાબ છાપને જવાબદાર ગણાવ્યા હતા. આ પછી 2012માં જયલલિતાએ શશિકલાને પાર્ટીમાંથી બહાર કાઢી હતી. મીડિયા રીપોર્ટના આધારે શશિકલાના પરિવારજનોએ તેને તમિલનાડુની સીએમ બનાવવાની યોજના બનાવી રહ્યા હતા. આ વાતથી નારાજ થયેલા જયલલિતાએ શશિકલા અને તેના પરિવારને પોતાના ઘરમાંથી બહાર કાઢ્યા હતા. જો કે પછીથી શશિકલાએ માફી માગતા તેમને પાર્ટીમાં પાછા લેવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટનું માનીએ તો શશિકલા પાર્ટીની કમાન તો મળશે પણ તે પડદા પાછળ જ રહેશે. પાર્ટીનું માનવું છે કે શશિકલામાં જયલલિતાની જેમ લોકોને એક કરવાની કલા છે. પણ પાર્ટીના અમુક લોકોને શશિકલા સામે વાંધા પણ છે. આથી તે લોકો સાથે સંવાદ ઓછો રાખશે. જો કે પાર્ટીના મહત્વના નિર્ણયો પન્નીરસેલવમને બદલે શશિકલા જ લેશે.
Published at : 06 Dec 2016 02:44 PM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર





















