માયાવતીએ કહ્યું કે, અમેઠી અને રાયબરેલી આ બંને લોકસભા સીટ અમે કોંગ્રેસ માટે છોડી દીધી છે. તેણે આ નિવેદનથી એવું દર્શાવવાની કોશિશ કરી કે સપા-બસપા ગઠબંધન કોંગ્રેસ સામે નથી પરંતુ એનડીએની વિરુદ્ધમાં છે. આ કારણે ગઠબંધને બંને સીટો પર નહીં લડવાનો ફેંસલો લીધો છે.
2/3
જો સપા-બસપા ગઠબંધન બંને સીટો પર ઉમેદવાર ઉતારત તો કોંગ્રેસની પરેશાની વધી શકતી હોત. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીમાં જ ગૂંચવાયેલા રહેત અને દેશના બાકીના રાજ્યોમાં બીજેપીને ઘેરવાનો સમય ન આપી શકત. બંને સીટો છોડવાનું પાછળ એવું કારણ માનવામાં આવે છે કે લોકસભા ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસ સાથે ગઠબંધનનો માર્ગ મોકળો હોવાની રણનીતિ પણ છે.
3/3
લખનઉઃ બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે સંયુક્ત પ્રેસ કોન્ફરનસ કરીને ઉત્તર પ્રદેશમાં ગઠબંધનની જાહેરાત કરી હતી. તેની સાથે જ માયાવતીએ રાજ્યની 80 લોકસભા સીટોની ફોર્મૂલા પણ સામે રાખી હતી. જે મુજબ બસપા અને સપા 38-38 સીટ પર ચૂંઠણી લડશે અને બે સીટ પ્રાદેશિક પક્ષો માટે છોડી છે. જ્યારે બાકી રહેલી બે સીટ અમેઠી અને રાયબરેલી પર ગઠબંધને કોંગ્રેસ સામે ઉમેદવાર નહીં ઉતારવાની રણનીતિ અપનાવી છે.