શોધખોળ કરો
પુત્ર તેજપ્રતાપના લગ્નમાં સામેલ થવા લાલૂ પ્રસાદ યાદવને મળ્યા પાંચ દિવસના પેરોલ
1/6

ખાસ વાત એ છે કે લાલૂ પ્રસાદ યાદવે જેલ જવા પાછળ મોદી અને અમિત શાહનું કાવતરૂ હોવાની વાત કરી હતી, પરંતુ પોતાના પુત્રના લગ્નમાં આમંત્રણ આપવામાં કોઈ ભેદભાવ નથી રાખ્યો. એબીપી ન્યૂઝને મળેલી જાણકારી અનુસાર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જેવા સહયોગી નેતાઓની સાથે પીએમ મોદી અને અમિત શાહને પણ લાલૂ યાદવે પુત્રના લગ્નનું આમંત્રણ આપ્યું છે.
2/6

નવી દિલ્લી: બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવને પુત્ર તેજપ્રતાપ યાદવના લગ્નમાં સામેલ થવા માટે પાંચ દિવસના પેરોલ મળ્યા છે. ચારા ગોટાળામાં સજા કાપી રહેલા લાલૂ યાદવ હાલમાં રાંચની રાજેંદ્ર ઈસ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાઈન્સમાં દાખલ છે. લાલૂ પ્રસાદ યાદવે પોતાના પુત્રના લગ્નમાં સામેલ થવા માટે પેરોલ મળવાનો આગ્રહ કર્યો હતો, જેને મંજૂર કરવામાં આવી છે. લાલૂ પ્રસાદ યાદવે આ અરજી પોલીસ મહાનિરિક્ષક જેલને આપ્યું હતું.
Published at : 09 May 2018 04:48 PM (IST)
Tags :
Lalu Prasad YadavView More





















