આ પુસ્તકને ફૈઝાબાદના ડીએમ વિવેક કુમારે 2016માં લોન્ચ કરી હતી. અવંતિકાની મા એક સરકારી સ્કૂલમાં ટીચર અને પિતા મલેરિયા ડિપાર્ટમેન્ટમાં ડોક્ટર છે. અવંતિકા કહે છે કે હું અત્યારે જૂનિયર રિસર્ચ ફેલોશિપની તૈયારી કરુ છું. મારુ સપનું ટીચર બનીને સમાજને એજ્યુકેટ કરવાનું છે.
4/7
અવંતિકાએ હમનવા નોવેલ લખી છે. જેના પર અવંતિકાએ કહ્યું કે, પુસ્તક લખાઇ ગયા બાદ અનેક પલ્બિશર્સે મારી બુક પ્રકાશિત કરવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં મેં માતાપિતાની મદદથી આ નવલકથા પ્રકાશિત કરી હતી.
5/7
તાજેતરમાં જ 15મેના રોજ મોદીએ ટ્વિટર પર પોતાનો એક વીડિયો મુક્યો હતો જેમાં લખ્યું હતું કે 2020માં નવા ભારતનું સપનું લઇને ચાલવું છે. તમામ હિન્દુસ્તાનીને જોડવા છે. જેના જવાબમાં અવંતિકાએ લખ્યું હતું કે, તમારુ હવે આ સપનું દરેક ભારતીયનું સપનું બની ગયુ છે. નવા ભારતના નિર્માણ માટે અમે એક નહીં હજારો પગલાં ચાલવા માટે તૈયાર છીએ.
6/7
મીડિયા સાથેની વાતચીતમાં અવંતિકાએ કહ્યું કે, હું નાની હતી ત્યારે પ્રથમવાર નરેન્દ્ર મોદીને ટીવી પર સાંભળ્યા હતા. હું તેમના ઘણી પ્રભાવિત થઇ હતી. 2011માં પીએમ સાથે જોડાવવા માટે એકાઉન્ટ બનાવ્યું હતું. 16 મે 2014ના રોજ જ્યારે મોદી લોકસભા ચૂંટણી જીતી ગયા ત્યારે ટ્વિટર પર જ તેમને અભિનંદન આપ્યા હતા.
7/7
લખનઉઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશની ફૈઝાબાદની યુવતીના લખાણથી ખુશ થઇને ટ્વિટર પર ફોલો કરવા લાગ્યા છે. 26 વર્ષીય અવંતિકા હમનવા નામની એક નવલકથા લખી છે. તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ અવંતિકાની ટ્વિટનો જવાબ આપી કહ્યું હતું કે, 'વાંચીને ઘણુ સારુ લાગ્યું, હું તમારા ઉત્સાહની પ્રશંસા કરુ છું.'