તિરૂપતિ: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્દઘાટન કરવા મંગળવારે તિરૂપતિ પહોંચ્યા હતા. જ્યાં તેમને ઉદ્દઘાટન પછી સભાને સંબોધિત કરી હતી. મોદીએ કહ્યું કે ટેકનોલોજી અને મેનેફેકચરિંગમાં વિકાસ કરવાની જરૂર છે. આપણે સૌથી સારા વિજ્ઞાન અને પ્રૈદ્યોગિકી સંસ્થાનોને વૈશ્વિક સ્તરે મજબૂત કરવાની જરૂર છે.
2/4
અગાઉ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ એસોસિએશનના અધ્યક્ષ પ્રો. નારાયણ રાવે કહ્યું કે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનો વિષય રાષ્ટ્રીય વિકાસ માટે વિજ્ઞાન અને પ્રૌદ્યોયોગિકી હશે. તેમને જણાવ્યું કે વિજ્ઞાન કોંગ્રેસનું મુખ્ય સ્થ વિશ્વવિદ્યાલયમાં શ્રીનિવાસ સભાગાર છે જ્યાં પ્રધાનમંત્રી નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાઓ સહિત જાણીતા વૈજ્ઞાનિકોને સભામાં સંબોધિત કરશે. તેમને જણાવ્યું કે દેશભરમાં 14,000 વૈજ્ઞાનિકો અને વિદ્ધાનો સિવાય અમેરિકા, જાપાન, ઈઝરાયેલ, ફ્રાંસ અને બાંગ્લાદેશ જેવા વિભિન્ન દેશોના છ નોબેલ પુરસ્કાર વિજેતા પણ આ સભામાં હાજર રહ્યા હતા.
3/4
વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્દઘાટન પછી સભાને સંબોધિત કરતા મોદીએ કહ્યું, દેશને આગળ વધારવા માટે ડિફેન્સ ટેકનોલોજીથી લઈ ગ્રામીણ ભારતમાં વૈજ્ઞાનિક ગતિવિધિઓની જરૂર છે. ગામડામાં જૈવિક માધ્યમથી વીજળી ઉત્પાદન માટેના પ્લાન્ટ લગાવાશે. આપણે ખેડૂતો માટે વિજ્ઞાનની જરૂર છે. અટલ ઈનોવેશન મિશન પ્રોગ્રામના માધ્યથી વૈજ્ઞાનિક ગતિવિધિઓને વધારવામાં આવશે. અન્ય દેશો સાથે મળીને ટેક્નોલોજીને આગળ વધારવાનું કામ કરવામાં આવશે. વિજ્ઞાનના માધ્યમ દ્વારા લોકોની મહત્વાકાંક્ષા પૂરી કરી શકાય છે. આપણા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સોશિયલ વેલફેર મિનિસ્ટ્રીએ સાયન્સનો ઉપયોગ કરવો જોઈએ. સ્કૂલો અને કોલેજોમાં સારી પ્રયોગશાળાની સુવિધા હોવી જોઈએ. તેનાથી સ્કૂલના બાળકો પણ વિજ્ઞાનમાં યોગદાન આપી શકશે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે પ્લાસ્ટિક વેસ્ટ અને ઈલેક્ટ્રિકલ વેસ્ટના ઉપયોગ પર ભાર આપવો પડશે. સ્ટાર્ટઅપ ઈન્ડિયા પ્રોગ્રામમાં સાયન્સ અને ટેકનોલોજી કી ફેકટર છે.
4/4
ટેકનિકલી ક્ષેત્રમાં 2030માં ભારત ટૉપ 3 દેશોમાં સામેલ થવાની વાત કરી હતી. મોદીએ કહ્યું કે આપણે ટેકનીક ઉપર હંમેશાં ધ્યાન રાખીશું અને વિકાસ માટે તેનો લાભ ઉઠાવવા માટે હંમેશાં તૈયાર રહેશું. એક વધુ વૈજ્ઞાનિક વિતરણ માટે સશ્કત વિજ્ઞાન તેમાં જોડાયેલું છે. આપણે વિજ્ઞાન વિતરિત કરવા માંગીએ છીએ, પરંતુ તેના બંધાણી થવા માંગતા નથી.