પરંતુ જો 15 ડિસેમ્બર બાદ પણ તમારી પાસે 500 અને 1000ની નોટ હોય તો તમે 30 ડિસેમ્બર સુધી તેને તમારા બેંક ખાતામાં જમા કરાવી શકો છો. જનધન ખાતામાં જમા કરાવવા માટેની મર્યાદા 50 હજાર રૂપિયા છે. બચત ખાતામાં જૂની નોટ જમા કરાવવા માટે કોઈ મર્યાદા નથી. જો તમે અઢી લાખ રૂપિયાથી વધારે રકમ જમા કરાવો છો તો ધ્યાન રાખો કે તમારી પાસે તે રકમ ક્યાંથી આવી છે તેના માન્ય પૂરાવા હોવા જોઈએ.
નવી દિલ્હીઃ 500ની જૂની નોટ ગુરુવારે મધરાત બાદ ક્યાંય નહીં ચાલે. સરકારે 500ની જૂની નોટના ચલણની ડેડલાઈન 15 ડિસેમ્બર નક્કી કરી હતી. જણાવીએ કે સરકાર પેટ્રોલ પંપ, રેલવે, સરકારી બસ, એરપોર્ટ અને મેટ્રોમાં પહેલા જ 500ની નોટ બંધ કરી ચૂકી છે.