શોધખોળ કરો

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

'છાત્રોં કી ગૂંજ' કાર્યક્રમમાં કોંગ્રેસ નેતાનું મોટું નિવેદન; કહ્યું- ભાજપ-RSS મહિલાઓને પાંજરામાં રાખવા માંગે છે, આપણે પિતૃસત્તા તોડવાની છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાહુલ ગાંધીએ પુણેમાં મનુસ્મૃતિને શરમજનક, પિતૃસત્તાક ગણાવી.
  • મનુસ્મૃતિ મહિલાઓને આધીન રાખે છે, ભાજપ-RSSને આ જ પ્રિય.
  • મહિલાઓ પર સમય-નિયંત્રણો લાદી પિતૃસત્તા તોડવા હાકલ.

Rahul Gandhi speech Pune: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણેમાં આયોજિત 'છાત્રોં કી ગૂંજ' કાર્યક્રમમાં મનુસ્મૃતિ અને પિતૃસત્તાક માનસિકતા અંગે એક મોટું અને આક્રમક નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મનુસ્મૃતિમાં મહિલાઓને હંમેશા કોઈના આધીન રહેવાની જે વાત કહેવાઈ છે, તે અત્યંત શરમજનક છે અને આજની લડાઈ આ જ વિચારધારા સામે છે.

મહિલાઓને દબાવવાની માનસિકતા મનુસ્મૃતિમાંથી આવે છે

સભાને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, મનુસ્મૃતિમાં એવું લખવામાં આવ્યું છે કે સ્ત્રી બાળપણમાં તેના પિતાને આધીન હોય છે, યુવાનીમાં તે તેના પતિને આધીન રહે છે અને જ્યારે પતિનું મૃત્યુ થાય ત્યારે તેને પોતાના પુત્રોને આધીન રહેવું પડે છે. આનો સીધો અર્થ એ છે કે સ્ત્રી ક્યારેય સ્વતંત્ર ન હોવી જોઈએ. કોંગ્રેસ નેતાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે આવા શબ્દોનો ક્યારેય ઉપયોગ ન થવો જોઈએ.

તેમણે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર નિશાન સાધતા કહ્યું, "મહિલાઓને દબાવવાની આ માનસિકતા મનુસ્મૃતિમાંથી જ આવે છે અને આજે આપણે આ જ માનસિકતા સામે લડી રહ્યા છીએ. ભાજપ અને RSS ઈચ્છે છે કે દીકરીઓ અને મહિલાઓ હંમેશા પાંજરામાં કેદ રહે, પરંતુ આપણે એવું ભારત નથી જોઈતું. આપણે એક એવો સમાજ ઈચ્છીએ છીએ જ્યાં સૌને સમાન આદર મળે."

સ્ત્રીઓ સામે સમયનો હથિયાર તરીકે ઉપયોગ થાય છે

સમાજમાં મહિલાઓ અને પુરુષો વચ્ચેના ભેદભાવ પર વાત કરતા રાહુલે એક ખૂબ જ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, "આ દેશમાં મહિલાઓ સામે સમયનો એક હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સરેરાશ આંકડાઓ જોઈએ તો, એક જ ઘરમાં સ્ત્રી કે દીકરી 5.5 કલાક ઘરકામ કરે છે, જ્યારે પુરુષ કે દીકરો માત્ર 30 મિનિટ જેટલો જ સમય આપે છે."

તેમણે દીકરીઓ પર લાદવામાં આવતા નિયંત્રણો વિશે કહ્યું કે, દીકરીઓ માટે રાત્રે 8 વાગ્યા સુધીમાં ઘરે પાછા ફરવાનો નિયમ થોપી દેવાય છે, જ્યારે દીકરાઓ માટે આવું કંઈ નથી હોતું. દીકરાઓ ગમે તેટલી વાર નોકરી માટેની પરીક્ષાઓ આપી શકે છે, પરંતુ દીકરીઓને એટલી તકો અપાતી નથી. થોડા સમય પછી તેમને એમ કહી દેવાય છે કે હવે તારી ઉંમર લગ્ન લાયક થઈ ગઈ છે.

મહિલાઓ જ આ દેશનો પાયો છે: પોતાના હકો માટે લડો

મહિલાઓને દેશનો મજબૂત પાયો ગણાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, "મહિલાઓ જ આ દેશની સાચી તાકાત અને ભવિષ્ય છે." તેમણે પિતૃસત્તા પર પ્રહાર કરતા કહ્યું કે પિતૃસત્તાક વ્યવસ્થા હંમેશા મહિલાઓ પર જુલમ કરે છે, તેમને ડરાવે છે, ધમકાવે છે અને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે. આપણે સૌએ ભેગા મળીને આ પિતૃસત્તાને જડમૂળથી તોડી પાડવી પડશે.

અંતમાં તેમણે મહિલાઓને હિંમત આપતા અપીલ કરી કે, "આ પિતૃસત્તાને તોડી નાખો. તમારો અવાજ બુલંદ કરો, ખુદ પર ગર્વ અનુભવો અને સમાજમાં તમારા હકો મેળવવા માટે લડતા શીખો."

Frequently Asked Questions

રાહુલ ગાંધીએ પુણેમાં કયા મુદ્દે નિવેદન આપ્યું?

તેમણે મનુસ્મૃતિ અને પિતૃસત્તાક માનસિકતા વિશે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે મનુસ્મૃતિમાં મહિલાઓને હંમેશા કોઈના આધીન રાખવાની વાત શરમજનક છે.

મનુસ્મૃતિમાં મહિલાઓ વિશે શું લખવામાં આવ્યું છે જેનો રાહુલ ગાંધીએ ઉલ્લેખ કર્યો?

મનુસ્મૃતિમાં લખ્યું છે કે સ્ત્રી બાળપણમાં પિતાને, યુવાનીમાં પતિને અને પતિના મૃત્યુ પછી પુત્રોને આધીન રહે. આનો અર્થ છે કે સ્ત્રી ક્યારેય સ્વતંત્ર ન હોવી જોઈએ.

રાહુલ ગાંધીએ કોના પર મહિલાઓને દબાવવાની માનસિકતા માટે નિશાન સાધ્યું?

તેમણે ભાજપ અને RSS પર નિશાન સાધતા કહ્યું કે આ માનસિકતા મનુસ્મૃતિમાંથી આવે છે. તેઓ ઈચ્છે છે કે દીકરીઓ અને મહિલાઓ પાંજરામાં કેદ રહે.

રાહુલ ગાંધીએ સમાજમાં મહિલાઓ અને પુરુષો વચ્ચેના ભેદભાવના કયા ઉદાહરણો આપ્યા?

તેમણે કહ્યું કે સ્ત્રીઓ ઘરકામમાં પુરુષો કરતાં વધુ સમય આપે છે. દીકરીઓ માટે રાત્રે ઘરે ફરવાનો નિયમ છે, જ્યારે દીકરાઓ માટે આવું નથી હોતું અને તેમને લગ્નની ઉંમરનું દબાણ પણ હોય છે.

મહિલાઓને સંબોધતા રાહુલ ગાંધીએ શું અપીલ કરી?

તેમણે મહિલાઓને પિતૃસત્તાને તોડી પાડવા, તેમનો અવાજ બુલંદ કરવા અને તેમના હકો મેળવવા માટે લડતા શીખવા અપીલ કરી. તેમણે કહ્યું કે મહિલાઓ જ દેશનો પાયો છે.

Advertisement

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget