શોધખોળ કરો
આઝાદીની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શું આપ્યો રાષ્ટ્ર જોગ સંદેશ? જાણો વિગત
1/7

કોવિંદે કહ્યું કે, ‘આજે આપણે આપણા ઈતિહાસના એક એવા વળાંક પર ઊભા છીએ, જે એક રીતે ઘણો અલગ છે. આજે આપણે ઘણા એવા લક્ષ્યોની ઘણા નજીક છીએ, જેના માટે આપણે વર્ષોથી પ્રયાસ કરી રહ્યા છીએ. બધા માટે વીજળી, ખુલ્લામાં શૌચથી મુક્તિ, બધા બેઘરોને ઘર અને અતિ-નિર્ધનતાને દૂર કરવાનું લક્ષ્ય હવે આપણી પહોંચમાં છે.’
2/7

રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘આપણા જવાનો દેશની આશાઓ અને આકાંક્ષાઓનો પાયો છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં યુવાનો અને વરિષ્ઠ-જનો બધાની સક્રિય ભાગીદારી હતી. પરંતુ એ સંગ્રામમાં જોશ ભરવાનું કામ વિશેષ રીતે યુવા વર્ગે કર્યું હતું. આપણે આપણા યુવાનોનો કૌશલ-વિકાસ કરીએ છીએ, તેમને ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ઉદ્યમિતા માટે તથા કળા અને શિલ્પ માટે પ્રરિત કરીએ છીએ. જ્યારે આપણે આપણા યુવાનોની અસીમ પ્રતિભાને ઊભરવાની તક આપીએ છીએ, ત્યારે જ દેશ આગળ વધે છે.’
Published at : 15 Aug 2018 06:53 AM (IST)
Tags :
President Ram Nath KovindView More





















