થોડીવારમાં ભૈરુનાથના ઘરની પાસે આવેલું વીજળીનું ટ્રાન્સફોર્મર ફાટ્યું. જયપુરના જિલ્લા કલેકટરે ઘટના સ્થળે પહોંચીને દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાના વળતર અને દુર્ઘટના માટે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવાની જાહેરાત કરી હતી.
5/7
જયપુર જિલ્લામાં શાહપુરાના ખાતોલાઈ ગામ નજીક ગુજરોં કી ઢાણીમાં ભૈરુરામ લોમડની બે દીકરીઓ તારા અને મીરાના લગ્ન 31 ઓક્ટોબરના રોજ નક્કી થયા હતા. આ લગ્ન સમારંભ માટે ભૈરુરામના સાસરી પક્ષના લોકો મંગળવારે બપોરે તેના ઘરે આવ્યા હતા. ભૈરૂરામની પત્ની કમલા તેના પિયર પક્ષના લોકોના સ્વાગતની તૈયારી કરતી હતી.
6/7
એક રિપોર્ટ પ્રમાણે, પરિવારજનોના સ્વાગત સમારંભ દરમિયાન ટ્રાન્સફોર્મર ફાટ્યું હતું. ટ્રાન્સફોર્મર ફાટતાં તેમાંથી નીકળેલા ગરમ ઓઇલથી મહિલાઓ દાઝી ગઇ હતી. જયપુરના જિલ્લા કલેકટરે મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે. બુધવારે સવારે કેન્દ્રીય મંત્રી અને જયપુર ગ્રામ્યના સાંસદ રાજ્યવર્ધન રાઠોડે અહીં મુલાકાત લીધી હતી.
7/7
જયપુરઃ રાજસ્થાનના શાહપુરામાં લગ્ન સમારંભ દરમિયાન અચાનક0 વીજળીનું થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર ફાટતાં 14 લોકોનાં મોત થયા હતા. જ્યારે 24 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાં બે બાળકો અને છ મહિલાઓનો સમાવેશ થાય છે. દાઝી ગયેલા લોકોને જયપુરની એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.